SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 228 અમરતાનો કવિ અવશ્ય મહિમા ગાય છે. “આંખો બીડાઈ જશે'માં પણ સાલિકે મૃત્યુની અનિવાર્યતાનો સંદર્ભ ગૂંચ્યો છે. દેહ માટીમાં મળી જવાનો હોવાથી દેહના શણગારને કવિ નિરર્થક ગણે છે. ખાકના અંબાર પર મઝારની જરૂર કવિ જતા નથી. (“એના જ વિચારો શા માટે?) દેહનાં બંધનમાંથી આત્માને મૃત્યુ જ છોડાવી શકે. સાલિક પોપટિયાએ રૂબાઈત પણ આપી છે. જેમાં નાના મુક્તક જેવી કવિતા સંગ્રહાઈ છે. “શાન પામ્યો'માં અનુભવેલા અપમાનની વ્યથાને વાચા આપતાં મૃત્યુનો મહિમા ગવાયો છે. જગત છોડી જવાની પળ આવે છે ત્યારે સમજાય છે કે જિંદગાની મોત માટે જ મળી હતી. શાંતિથી પોઢેલી અચેતન કાય પર કંદન ન કરવા કવિ સૂચવે છે. “નહીં નહીં'માં કાવ્યનાયક એમના મૃત્યુ બાદ અત્તર ન લગાવવા, ફૂલોની ચાદર ન ઓઢાડવા ને કબરમાં એમનો આત્મા તડપે ત્યારે આંસુ પણ ન વહાવવા વિનવે છે. તો “માગણી' કાવ્યમાં મરનાર વ્યક્તિ પોતાની લાગણી ન દુભવવા પ્રેમીજનને વિનવે છે. ૧૯૭૪માં હસમુખ મઢીવાળા “યરલવ' સંગ્રહ પ્રગટ કરે છે. “મસ્ત ફકીર' કાવ્યમાં જીવન કરતાં મૃત્યુનો વિશેષ મહિમા ગાતા આ કવિ કહે છે “મને મૃત્યુ લાગે અધિકતર વ્હાલું જીવનથી” (પૃ. ૧૩યરલવ) જીવનની ખુલ્લી આંખના દર્શનને કવિ સીમિત ગણાવે છે. મૃત્યુ થતાં આંખ બીડાય, બીડાયેલી આંખે દર્શન વધુ મધુરાં થતાં હોવાની વાત મૃત્યુની મધુરતાને સ્પર્શે છે. મરણને તેઓ મસ્તફકીર' તરીકે ઓળખાવે છે. “નનામી આ મારી'માં કવિ પોતાના મૃત્યુની વાત કરે છે. સ્વજનો એમની કાંધે પોતાનું મૃતશરીર લઈ જઈ રહ્યાની તેઓ કલ્પના કરે છે. નનામીમાં પોઢેલા ચેતનહીન ચખો જાણે મરણ પછીના પોતાના જીવનને નિહાળી રહ્યા હોય એવું લાગે છે. હસમુખ મઢીવાળા ૧૯૫૬માં આશ્લેષ' કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. આ સંગ્રહમાં અંજલિ કાવ્યો ઠીકઠીક પ્રમાણમાં છે. કવિ કહે છે “થયું ન થયું, બનવાનું નથી, તો પછી " “મૃત્યુ અંગે મિથ્યા રુદન શાને?” વીસ વર્ષના પુત્રને ગુમાવનાર ડોસાના આ શબ્દોએ કવિને જીવનમાં મરણના મૂલ્યને પામતાં શીખવ્યું છે. કેડી'ના કવિ બાદરાયણ મૃત્યુના માર્ગને “તેજનો માર્ગ કહે છે. નરસિંહરાવના અવસાન નિમિત્તે રચેલા “તેજને મારગ' કાવ્યમાં જીવનનો ત્યાગ કરી સનાતન ભવ્ય જીવનમાં પ્રયાણ કરતા આત્માને “ઓરે પ્રવાસી'નું સંબોધન કવિ કરે છે. મૃત્યુના અસ્તિત્ત્વના ઈન્કારનો સંદર્ભ કવિ અહીં ટાંકે છે. બાદરાયણ મરણને માત્ર “સ્થિતિભેદ' કહે છે. જે વસ્તુતઃ આત્માનું ઉન્નત દશા ભણી પ્રયાણ જ છે. “સ્મરણોને વિદાય' નિર્લેપતાનું કાવ્ય છે. સ્વજનોનાં મરણ પછી સ્મરણોની આસક્તિ પણ શા માટે ? તો “પ્રકૃતિનું ગીત'માં પરોક્ષ રીતે જન્મમરણચક્ર નિર્દેશાયાં છે. “અપૂર્ણ શોધ'માં કવિ બાદરાયણ સૂક્ષ્મ સૌંદર્યની શાશ્વત વાંછનાનો નિર્દેશ કરે છે. સ્થૂળ દેહના વિલય સાથે એ વાંછના શમતી નથી. અન્ય જન્મમાં પણ એ એવી ને એવી રહે છે. “નરસિંહરાવના અવસાન નિમિત્તે લખાયેલા ગાનવિરામ' કાવ્યમાં નરસિંહરાવના મૃત્યચિંતનને કવિ યાદ કરે છે. માનવ-જીવન પૂર્વાલાપ પછીનું સૂક્ષ્મ જીવન તે ઉત્તરાલાપ. ગાન કદી વિરામ પામતું નથી. અખંડઅક્ષર જીવન અવ્યક્તના ગાનમાં સતત વહેતું રહે છે. આ અમીદાસ કાણકિયા ૧૯૩૭માં “દીપશિખા' કાવ્યસંગ્રહ આપે છે. હંસને આત્માના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy