SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 226 મધુર છે. સ્વજને મૃત્યુ વૈરાગ્ય જન્માવે, મરનારની પાછળ જવાના વિચારો આવે, સ્મરણો વેદના આપે. “પિતૃવંદના'માં પિતાના મૃત્યુથી પ્રાપ્ત થયેલ વિષાદમૃતિના સંદર્ભમાં પ્રો. ગોવિંદભાઈ પટેલે કેટલુંક મૃત્યચિંતન આપ્યું છે. કવિ માને છે કે “વિલય તો માત્ર સ્થળનો જ થાય છે હવામાંય પિતૃસ્મૃતિનાં તીવ્ર, મૃદુ, મંદ્ર આંદોલનો, લઘુક વર્તુલો રચતાં ને અનતમાં વ્યાપી જતાં, સૂક્ષ્મરૂપે અંતરમાં પિતાનો શાશ્વત વાસ અનુભવતા કવિ, પિતા નહિ પરંતુ સ્વયં મૃત્યુ પોઢી ગયાનું કહે છે. “અને મરણ સેજમાં, વિકળતાભર્યું છોભીલું થઈ કળતર, સ્વયં શિથિલ મૃત્યુ પોઢી ગયું”૧૩૫ ગોવિંદભાઈ પટેલે “માતૃવંદના' કાવ્ય પણ લખ્યું છે. માના અવસાન પછી સ્થૂળ દેહે ન દેખાતાં માને સૂક્ષ્મ દેહે, આંખો મીંચી, અંતરમાં જોવાનો પ્રયત્ન કર્યો છે. “દેહ નષ્ટ થાય, સ્નેહ નહીં, પરમ ચૈતન્ય રૂપે સકળ તત્ત્વોમાં એ સદા વિલસે.” પણે તુલસી છોડથી વહતી ગંધ કોની ફૂટી ? * કિલોલ કરી રહેતું કોણ તર, વેલ, ને પત્રમાં ?" * પણ છેલ્લી વખતે મા એવું ઊંધી ગઈ ને ચેતના શરીર ત્યજી ક્યાંક સરકી ગઈ, ને પેલું સ્થૂળ જલી જઈ વિભૂતિ' બની રહ્યું. નાની બાળકીના અવસાન નિમિત્તે લખાયેલા “સગત મનીષાને' કાવ્યમાં પોતાની મૃત પુત્રી જાણે નાની જયોતિસ્વરૂપ બની નિર્મોહી શી નિજત્વને પ્રકાશતી મૌન રહ્યાં રહ્યાં પ્રકાશને દાટી શકાય શું કદી' ? એવો પ્રશ્ન પૂછી ન રહી હોય ? એવી અનુભૂતિ કવિપિતાને થાય છે. દુર્ગેશ શુક્લ ૧૯૪૯માં ઝંકૃતિ' કાવ્ય-સંગ્રહ પ્રગટ કરે છે. પિતા શિવશંકર શુક્લને અંજલિ આપતાં કવિ (“બીલીપત્ર') વૃતાંતની સૂંકને “કરાલ' કહે છે. પ્રજારામ “અંજલિ' કાવ્યમાં અમૃતની અંજલિના છંટકાવના અનુભવની વાત કરે છે. - “અણધાર્યું આભ થકી ઢોળાયું અંગ પર રૂપ હસે, કોણ જાણે કોનું ?" 137 આત્માની અંદર ડોકિયું કરનાર તપસ્વી ચિત્તને સતત કોઈ રૂ૫ હસતું ઢોળાતું અનુભવાય છે. અમૃતની શોધ કરવી નથી પડતી, અમૃત પોતે જ માનવની હયાતી દરમ્યાન જ એને શોધતું આવે. જ્યાં પછી બાહ્ય રીતે શરીરથી મૃત્યુ પામવાની પ્રતીક્ષા કરવાની પણ જરૂર રહેતી નથી. “ફિક્સ' કાવ્યમાં માનવના જીવનતત્ત્વની શાશ્વતતાનો નિર્દેશ કરાયો છે. એટલે કે દેહ નષ્ટ થાય છે. જીવનતત્ત્વ નહિ. જીવનનું એ ફિકસ પક્ષી રાખમાંથી, મૃત્યુમાંથી પાછું ફરી ઊભું થાય છે. તો “યાત્રાવિરામ'માં સાંકેતિક રીતે જીવનયાત્રાના વિરામની, મૃત્યુની વાત કહેવાઈ છે. શ્રી અરવિંદના કાવ્યના આ ભાવાનુવાદમાં પ્રદોષના ઓળાની વાત દ્વારા મૃત્યુની વાત સાંકેતિક રીતે વર્ણવાઈ છે. મૃત્યુ પછીના વિશાળ ચૈતન્યાનુભવને અહિં વાચા અપાઈ છે. “બુદ્ધનાં નયનમાં બુદ્ધના ચરિત્ર દ્વારા જન્મ, જીવન, મરણનાં સંદર્ભો વણાયા છે. મૃત્યુ એ રોગનું નહિ પણ આસક્તિ અને વાસના, તૃષ્ણાનું પરિણામ હોવાનું બુદ્ધ સતત કહેલું, એક જ મરણને જોયું ને બુદ્ધ અમૃતની શોધમાં નીકળી પડ્યા હતા. જીવન પૂરું થવાની તૈયારીમાં હોય ત્યારે બધું જ કોક મહાશાંતિમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy