________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 224 કવિ ગોવિંદ હ. પટેલે પોતાના “ગુરુ ગોવિંદસિંહ' કાવ્યને “મહાકાવ્ય' તરીકે ઓળખાવ્યું છે. (1/3/45) તેમણે “ગુરુપુત્રોનાં મૃત્યુને તેમજ “ગુરુની મહાસમાધિનો પ્રસંગ સુંદર રીતે વર્ણવ્યો છે. “અવ્યક્ત મૃત્યુફળ વ્યક્ત જેમ ગ્રહે અરિના ગુરુબાણપ્રાણ દેહે જરા વ્યાધિ વસેલ મોત સંબંધ સાથે નિવસે વિયોગ”. દેહની મરણવશતાને સમજી શકનાર સુપુત્રો હમેશાં મરણ સાથે ખેલનારા જ હોય. પત્રો સહિત માને મારી નાખવાની ધમકીથી તેઓ ડરતા નથી. બાળકો ખુમારીપૂર્વક જવાબ આપતાં કહે છે વપુ તો ગૃહ છે શરીરને ગૃહવાસી ચિર, નાશ અંગને" 132 મુસલમાનો શું મરણ પામતાં નથી? એવો પ્રશ્ન કરી બાળકો સહર્ષ મરવા તૈયાર થાય છે. મરતી વખતે કમળ સમાન નયનો બંધ થાય છે. સહેજ અંતર્મુખ બને છે તેઓ. અંતિમ સમયે દીપ વધુ ઝગે, શરીર ભલે બખોલમાં સમાયાં, ઉર તો અકાલમાં વિહરે છે. “પ્રતિપદા'ના કવિ ગોવિંદ સ્વામી મૃત્યુ ચીસને ઉર ઠારતી કહે છે. મૃત્યુને જીવતર જેવું મીઠું પણ એ કહે છે. (‘સંધ્યાકાળે') સૂર્યાસ્તનું કવિએ અહીં પ્રતીકાત્મક વર્ણન કર્યું છે. ( હર જિવતરસમું મૃત્યુ મીઠું કશું રવિને વરેલી, ના કબર પણ શી શુક્રી ફૂલે સફેદ સુધી રહે” 133 શૂન્ય બની ભવરણમાં આથડતા કાવ્યનાયક ઝિંદાદિલીથી જીવતાં જીવતાં “મધુર મરણ” પામવાની ઝંખના સેવે છે. “હૃદયગમતા પંથે ઝિંદાદિલે . . નિત જીવતા ' મરણ મધુરું પામું, ઝંખી રહ્યો, બસ આજ ઓ૩૪ કવિ રમણિક અરાલવાળા અગ્નિને અદય કહે છે કારણ એણે જ તો માને ભસ્મીભૂત કરી હતી. કવિ વિચારે છે “બળતા જીવન કરતાં શીળું મૃત્યુ હિતકર” કે સુરેશ ગાંધી ૧૯૪૪માં “વરદાન' સંગ્રહ પ્રગટ કરે છે. “મૃત્યુપગલી' કાવ્યમાં મૃત્યુપગલીએ અર્ધવિકસિત પાંખડીને છેદી નાખ્યાની વ્યથા પ્રગટ થઈ છે. જીવનની સૌદર્યસુગંધ તેમજ સંગીતની મધુરતાને મૃત્યુ નષ્ટ કરી નાખે છે, એમ કવિને લાગે છે. તો મૃત્યુભયમાં કાવ્યનાયકની નિર્ભયતા શબ્દબદ્ધ બની છે. મૃત્યુનો એમને ડર નથી, પણ એ સૌમ્યરૂપે આવે એવી એમની ઝંખના છે. જીવનદીપની ઓથે, કાવ્યનાયક પોતાનાં કાર્યો પૂરાં કરે ત્યારે ધીમા પગે અશાંત રાત્રિએ આવીને જીવનપ્રદીપ ઓલવી જશે એ કવિને ખબર છે. - કવિ મીનુ દેસાઈ જીવનની એક કરુણ ધન્યતાએ નિમિષ' માત્રમાં કાવ્યો સર્જે છે. સત્યનિષ્ઠ સોક્રેટીસ'માં સ્વાર્પણમંત્ર તથા મૃત્યુ પામવાની ખુમારી વ્યક્ત થયાં છે. મોતની સજાની રાજયાજ્ઞા સાંભળી એમણે બાળકસમું મુક્ત હાસ્ય રેલાવેલું. બાહ્ય વિનાશને તેઓ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust