SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 221 લીના મંગલદાસે દીકરી કલ્પનાના અવસાન નિમિત્તે રચેલા “કલ્પના' કાવ્યમાં મૃત્યુ વિષે ચિંતન પ્રગટ કર્યું છે. લેખિકા વિચારે છે “મરેલાંની પાછળ રડનારાં અમે પણ મરવાનાં. કોણ રડી શકે?' કોને કાજે “કીસા ગૌતમીની મૂઠી રાઈ કોઈ પાસે ન હતી”૨૩ મૃત્યુના અનુભવે લેખિકાના દર્પના ચૂરેચૂરા થઈ ગયા. મૃત્યુ અહંકારને ઓગાળી નાખે છે. લેખિકા કહે છે “મૃત્યુ અકસ્માત નથી, જીવન અકસ્માત છે. મૃત્યુનો ભરોસો છે, જીવનનો નથી. ૧૯૫૯માં છપાતા “ઘડિયાળ' કાવ્યમાં લેખિકા મૃત્યુની વિરુદ્ધ એટલે કે થનગનતા જીવનની ચૈતન્યની વાત કરે છે. ઘડિયાળ ચાલે છે. કાળક્રમે સુખ નહીં, દુઃખેય નહીં - પણ જડતા-મૂઢતા અને જીવનનો અંત” 24 મનુષ્ય ઇષ્ટદેવ પાસે સદેવ અમરત્વ, પ્રાધ્યું છે. પોતાની જાતને, વિશ્વને ટકાવી રાખવાની ભાવના જીવમાત્રમાં રહેલી છે. લેખિકા કહે છે સ્થિતિની કાયમતામાં નહીં, પણ પરિવર્તનમાં અમરત્વ દેખી શકાય તો દુઃખ રહે ખરું? કવયિત્રી કહે છે . “આ કાયા વાંસળી જેવી છે : તેમાં શ્વાસ પુરાય છે ત્યાં સુધી સૂર નીકળે છે” 25 ચિનારનું પાન’ પ્રતીકાત્મક કાવ્ય છે. પુત્રી કલ્પનાના મૃત્યુસંદર્ભનું સ્મરણ? ગઈ કાલના વંટોળમાં ઊડી જઈ સુકાઈ ખરી પડેલું ચિનારનું પાન ઝાડની ડાળીએ ફરી વળગવા ચાહે તો એ વળગી શકે? કવયિત્રી માનવમાત્રને “વટેમાર્ગુ' કહે છે. ખીલવું, ખરવું પુનરપિ મરણનો આદેશ આપી જાય છે. ૧૯૬૬માં લીના મંગલદાસ “ઊડતાં બીજ પ્રગટ કરે છે. ભાંગેલી વૃદ્ધ જડમાં જન્મેલી વસંતની નવી કૂંપળમાં મરેલા જીવતા થયાનો ચમત્કાર જોયો. નવસર્જન, પુનર્જીવનનો ક્રમ? કવયિત્રી રસ્તા પરના એકેએક મુખમાં સદૂગત દીકરીના મુખને શોધવા પ્રયાસ કરે છે. બિલાડીને જોઈ કકળતા લેલાને નિહાળી કવયિત્રી બિલ્લીને ડાંગ વડે મારવા દોડે છે. પછી વિચારે છે લેલાનું ભક્ષણ પતંગિયું બિલ્લીનું ભક્ષણ લેલું હું પણ તે એક પતંગિયા જેમ જ મૃત્યુનું ભક્ષણ” 12 પદ્મપત્ર પર ઝબકતાં સરકતાં જલબિંદુ જોઈ ભાવવિભોર થયેલાં કવયિત્રીનું મન રડતું હતું. “ઓ સુંદર ઘડી તું જઈશ મા' અને પદ્મપત્ર પરનાં તરલ જલબિંદુ અને ઢગલો થઈ વેરાઈ પડેલી પદ્મપાંદડીઓ કહેતી હતી. આ સર્વ જવાનું જ છે પણ જે જવાનું છે, તે તથ્યના સૌંદર્યને તું પામી લે, પામી લે” The soul' માં કવયિત્રી કહે છે The soul has no colour.. ને છતાં સ્વજનમૃત્યુ હૃદયને હલબલાવી જાય છે. તેથી જ તો કવયિત્રી કહે છે “કાળના યુગયુગાન્તર પાસે તો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy