________________ - મજ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 219 * એનેય થઈ શું જાણે કે આવી ગયાં તમે” ? 18 છેલ્લે પોતાની જીવનસંધ્યાએ અગ્નિદેવ પાસે કવિ તેજસ્વી મેધાનું વરદાન માગે છે. જેથી જીવન અને મૃત્યુનાં રહસ્યો ઉકેલી શકાય. ૧૯૮૨માં મોઢા “અમૃતા' સંગ્રહ લઈને આવે છે. સદ્ગત પત્નીને જન્માન્તરની પત્ની તરીકે બિરદાવતાં કવિ કહે છે, બીજે દેહ ધારણ કરી લીધેલી પત્ની મળે તો ઓળખી ન શકાય. પણ પત્ની તો એમને ઓળખી કાઢશે એવી એમને શ્રદ્ધા છે. “જીવતા હશું'માં સ્વમૃત્યુ કલ્પના રજૂ થઈ છે. પોતાની સ્થૂળ હસ્તી મટી ગઈ હશે, પણ સૂક્ષ્મ તો નિરંતર રહેવાની. સંતતિના હાથમાં અનંત અસ્તિત્વની છડી સમર્પ દઈ ક્યાંક તો તેઓ જીવતા હોવાના એ શ્રદ્ધા જીવનતત્ત્વના સાતત્યનું સૂચન કરે છે. “મને અમૃત અર્પજેમાં માનવના જન્મ, જીવન અને મૃત્યુ વિશેના કવિના વિચારો વ્યક્ત થયા છે. જન્મ અને મરણના અવિરત ચક્રનો નિર્દેશ કવિ આ રીતે કરે છે. ઉભય જન્મ ને મૃત્યુનો અહીં જબરદસ્ત થાક મુજ સ્થૂળ આ લહે” 119 અહીં અમૃતને પામવાની અભીપ્સા વ્યક્ત થઈ છે. કવિ જયેન્દ્રરાય દૂરકાળ “સ્નેહસરિતા' લઈને આવે છે. આનંદશંકરભાઈ આ કાવ્યોને કરુણપ્રશસ્તિ' તરીકે ઓળખાવે છે. આ કાવ્યો મહદ્અંશે શોક અને કરુણાનાં છે. જેનું નિમિત્ત સદ્ગત કવિપત્ની સૌ સંયુક્તા છે. છેલ્લા “ઉત્તરાલાપ' કાવ્યમાં શોક પછીના સ્થાઈ ભાવનો અનુભવ જોવા મળે છે. શોક અંતે અખંડ લીલામય વિરાટમાં તથા આનંદમય પરમપ્રેમાસ્પદ આત્મસ્વરૂપમાં અંતહિત થાય છે. શોક કરીનેય શું ? કારણ એ શોક વિશ્વાત્માને તો સ્પર્શવાનો નહિ. વળી ચૈતન્યધામમાં તો સદા આનંદના ઓઘ જ ઉછળતા હોવાથી કવિ શોક ન કરવા કહે છે. કવિ દેશળજી પરમાર ૧૯૧૧માં પત્નીનું અવસાન થતાં સદ્દગતાની સ્મૃતિમાં મણિમંદિર' નામનો સંગ્રહ આપે છે. આ જ સંગ્રહ ૧૯૨૯માં “ગૌરીનાં ગીતો'ને નામે પ્રગટ થાય છે. બીજની કલા સમી ઊગી ને આથમી ગયેલી પત્નીને આ કાવ્યો અર્પણ થયાં છે. (લગ્ન 1910 અવસાન 1911) કવિ અહીં અમેરિકન સંત થોરોના વિચારો વ્યક્ત કરે છે. “આપણા આપ્તજનના અનંત વિયોગ કરતાં ભવ્ય ઘટના બીજી કોઈ નથી” સાન્ત અને અનંતના સાચા અર્થભેદનો અનુભવ થયાનું કવિ નોંધ છે. ૧૯૫૪માં કવિ “ઉત્તરાયન” સંગ્રહ આપે છે. “આહુતિ'માં મૃત્યુભારથી ઝૂરતા ઉરની હૃદયવ્યથા વ્યક્ત થઈ છે. મૃત્યુ અંગેનું વિભીષિકાયુક્ત ચિત્ર અહીં રજૂ થયું છે. પાષાણનાં ચક્ષુ ધરાવતો યમદૂત સદા, સમીપમાં રહેતો હોવાનું કવિ કહે છે. “પાષાણચાવત્ આ યમદૂત ક્રૂર સદા સમીપ” 120 હોવાનું કવિ કહે છે. ખરી પડતી લીંબોળી (‘પાકી લીંબોળી) જોઈ કૃતાન્તના પગભાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust