________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 217 આકાશ શી નીલ ગભીર આંખો ઉષા સમા ઓઠ સુવર્ણ તારા સુનેરી એ કેશકલાપ ઝાંખો - બળી જશે દેહની તેજ-ધારા” 12 ને આ વિચારેજ તેઓ ધ્રૂજી ઊઠે છે. “મૃત્યુનૃત્યમાં કવિએ મૃત્યુના સૌંદર્યને વર્ણવ્યું છે. પ્રકૃતિની હરિયાળી વચ્ચે ચાલતા મૃત્યુના અતિરમ્ય અભિરામ નૃત્યની કવિએ સુંદર કલ્પના કરી છે. દિશા પારથી આવતી મૃત્યુની સવારી જાણે ભેરવતાનની વેણ વાય છે. બુલબુલ આવીને ડાળે બેસી જાણે મૃત્યુનૃત્યની સાથે તાલ આપતાં નાચતાં નાચતાં ખરી પડે છે. પ્રણયસ્પર્શ, સૌંદર્ય, માધુર્ય, સંગીત આ બધું મૃત્યુ સાથે જાણે અનુપમ નૃત્ય કરે છે. જીવનમાં જે નૃત્ય કર્યું ના મૃત્યુમાં એ અંગ મરોડ 113 મૃત્યુની, એના નૃત્યની મોહિની જ એવી કે બધું જ નૃત્ય કરતું થઈ જાય. એજ સૂચવે છે ' કે જીવન કરતાં મૃત્યુ વધુ સંગીતમય છે. “મૃત્યુની દીપકવાટ'માં કવિ મૃત્યુને પથદર્શક દીપક સાથે સરખાવે છે. જીવનનો ઝળહળતો દીવો પહેલ વહેલો જે દિવસે પ્રકાશ્યો એ જ દિવસથી મેઘધનુષ્યની રંગલીલામાં જ મૃત્યુનો પ્રેમળ સ્પર્શ પમાયો છે. મૃત્યુ પણ અંતરમાં અનેક અરમાનો લઈને આવે છે. “કાઠિયાવાડમાં સીધો મૃત્યુસંદર્ભ નથી. બેએક ઉલ્લેખો મળે છે. કૃષ્ણપ્રભુને મરવા લાયક દેશ તરીકે કાઠિયાવાડને કવિ ઓળખાવે છે. કબરે કબરે સીતાફળીની છાંયા | મૃત્યુનોંધનો મધુપ્રમેહ એમાં માય” 14 કવિ કરસનદાસ માણેક ૧૯૩૫માં “આલબેલ” પ્રગટ કરે છે. કાવ્યનાયકની મૃત પત્ની ક્યારેય પાછી આવવાની નથી. પણ માનવ હંમેશ અશક્યના જ અભિલાષ સેવે છે. સખિની ઝાંખી ક્ષણેક થાય તો બદલામાં હજાર મૃત્યુઓની યાતનાઓ ને કરોડો નરકવ્યથા ભોગવવા તેઓ તૈયાર છે. સ્વજનમૃત્યુની વેદનાની ટીમ પોતાના જીવનને પણ સતત મૃત્યુવારિધિ તરફ પ્રયાણ કરવું અનુભવાવે છે. (બપોરે ને અત્યારે) કવિ કરસનદાસ માણેકે તો પહેલેથી જ પોતાના મૃત્યુબાદ કોઈ પણ પ્રકારનું સ્મારક ન રચવાનું સ્વજનો, મિત્રોને જણાવી દીધું હતું. “કબર પૂરશો ના ફૂલો વેરશો મા પ્રશસ્તિના ફોગટ ન ફાતેહા ભણશો” 115 એમના મૃત્યુબાદ ગુણકથા, ફૂલપ્રશંસા, પ્રશસ્તિવચનો થાય એ એમને પસંદ ન હતું. ૧૯૬૪માં “રામ તારો દીવડો' પ્રકાશિત થાય છે. જીવન અને મૃત્યુ જુદાં કે વિરોધી નથી. ફૂલની તું જ હરિ ફોરમમાં એ વાત રજૂ થઈ છે. તો મૃત્યુની ભીષણ મઝધારે નવજીવનદાયી અમૃત બની પ્રગટવા પણ કવિ પ્રાર્થે છે. (“ઉરની એકલતામાં રામ') “માનવ મૃત્યુને જીતી લે’ એવા કસબની યાચના “કોઈ એવો કસબ બતાવો'માં થઈ છે. જીવનની પ્રારંભાવસ્થામાં જ મૃત્યુએ ખખડાવેલાં એમનાં કારનો નિર્દેશ કરતા કવિએ એકલતા અને નિરાધારીનો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust