________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 215 હોય છે. જીવનની સુંદરતા મૃત્યુનો વિચાર સરખોય ન કરે. ઉવેખે મૃત્યુને શું આ ફૂટતું નવજીવન ઉલ્લસે વિલસે જાણે સંદાનવ સનાતના 107 પોતાના અસ્તિત્વના સૌંદર્ય પર એ એવું મુસ્તાક છે કે મૃત્યુની તો જાણે એને મન ઐસીતૈસી, જીવનના સૌદર્યનો સ્વીકાર અને મૃત્યુનો તિરસ્કાર કરતું એક સુંદર કાવ્ય, તો “જર્જરવૃક્ષ' વળી ભાવિ મૃત્યુની ભીતિની વાત લઈને આવે છે. ભેખડે બાઝી માંડ ટકી રહેલા વૃક્ષના ચિત્ર દ્વારા જીર્ણતંત જિજીવિષાનું સૂચન થયું છે. મોતના ભયે ધ્રૂજી રહેલી એ જીર્ણતંતુ જિજીવિષાને કવિ નિરર્થક ગણે છે. જન્મમૃત્યુના બે બિંદુઓનો નિર્દેશ શૂન્યસૃષ્ટિ'માં થયો છે. જન્મમૃત્યુને બાંધતી એ રેખા જાણે શૂન્યનો જ વિસ્તાર છે. મૃત્યુની ખીણના અંધારા જાણે રસ્તામાંય સુકોમળ ગલીના કોમળ મધુર પ્રકાશની કવિ ઝંખના “ન જાણું કયમ' ? માં વ્યક્ત થઈ છે. કલ્પના તથા સ્મરણમાં સદ્ગત પત્નીનો સહવાસ અનુભવતા કવિ માટે સદ્દગત ચંદ્રશીલાની પુણ્યતિથિ શ્રાવણી શુક્લપંચમી વસતપંચમી બની જાય છે. ભૂતકાળના રંગગુલાબો સ્મરણરૂપે કવિના અંતરની અમાસને અજવાળે છે. (“શ્રાવણી ઝરમર') ૧૯૦૮માં જન્મેલા અને 1991 (13 જાન્યુ) એ અવસાન પામેલા કવિ સુંદરમ્ ના ઘડતરનો કાળ રાષ્ટ્રીય પુનરુત્થાનનો પણ કાળ હતો. “કોયા ભગતની કડવી વાણી' અને ગરીબોમાં ગીત'માં મૃત્યુનું નિરૂપણ સામાજિક કરુણતાના સંદર્ભમાં થયું છે. “લાડવા ખવાડમાં મૃત્યુ પાછળ થતા ખોટા ખર્ચ તથા મૃત્યુ પામનાર તથા “મૃત્યુની આમન્યાના લોપ પરત્વે કવિ આપણું ધ્યાન દોરે છે. કવિને માનવ અસ્તિત્વનું કુતૂહલ જરૂર છે. પણ સાથે સાથે જીવનના માધુર્યને મોતના ફાકા વડે કેમ રોળી નાખ્યું? એ પ્રશ્ન સતાવે છે. “હે દેશ મારામાં દેશપ્રેમ માટે “અમરમૃત્યુ' વરવા સજ્જ થયેલ હૃદયની તથા “ઊઠો રે કાવ્ય “મોતનાં તેડા'ના સહર્ષ સ્વીકારનો પરિચય આપે છે. “જન્મગાંઠ'માં (કાવ્યમંગલા'). જિંદગીને જ એક પ્રચંડ ગાંઠ કહેતા કવિ કાળના અનંત સૂત્રનું ચિંતન રજૂ કરે છે. ને તેથી જ જન્મગાંઠની વાતે માનવ આટલો આહલાદતો કેમ હશે, એ કવિ સમજી નથી શકતા. એ ના ગઈ” (“યાત્રા')માં એક નાનકડી બાળાના અવસાન સંદર્ભે વ્યથિત થયેલા એક શિક્ષકની મનોવ્યથા અને મૃત્યુના ક્રૂર પંજા સામેનો આક્રોશ વ્યક્ત થયો છે. તો યુવાન કવિ ગોવિંદ સ્વામીનું મૃત્યુ સુંદરમ્ સમક્ષ એક પ્રશ્નાર્થ બનીને આવે છે. કમનીય વાસંતી પ્રભાતે ઉમંગભેર ટહેલવાની મનોરમ ઘડીએ કવિની કાંધે શબ બની ચડવાનું ગોવિંદે કેમ પસંદ કર્યું ? એ પ્રશ્ન કવિને હલબલાવી જાય છે. મૃત્યુના દરદની દવા હજુ કોઈને ન જડવાનું કવિ કબૂલે છે. “તવ નિરૂતરી મૌનને ઘટે નહિ જ ખંડવું.” % કવિના મનમાં એક સનાતન પ્રશ્ન જાગે છે. “ચૈતન્યનો રાશિ વિલય થતાં એ બધો અણુસમુચ્ય શું સદંતર વિલય પામે?” સદ્ગત મિત્રની સાથે અગ્નિમાં શયન કરી વેદના વિલોપવાનું મન થઈ આવેલું. પણ એય ક્યાં શક્ય છે? અનાદિ યુગથી અગમ્ય જન અગ્નિ અંકે શમ્યા છતાં નહિ સજીવ ચિત્ત પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust