SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 214 કવિને મન જન્મ અને મૃત્યુ બંને સુંદર છે. જન્મમરણચક્રને કવિ આનંદ અને શાંતિના અનુભવ તરીકે ઓળખાવે છે. પત્નીના ભાઈના અવસાન નિમિત્તે લખાયેલા “અદીઠસવારી' કાવ્યમાં યમરાજના અદશ્ય પાશનો ઉલ્લેખ કરી કવિ મૃત્યુને “ગર્જનશૂન્ય સિંધુ' કહે છે. ‘વણનીર સાગર એ પણ મૃત્યુનો'. મૃત્યુની અશબ્દ શક્તિનો પરિચય તો આ પહેલાંય પુત્રપુત્રીના અવસાન સમયે મળી ચૂક્યો છે. પરમ શક્તિના બે સ્તનરૂપ જન્મ અને મૃત્યુનો અનુભવ એક પછી એક લેવાનો જ હોય તો “ડાબુંજમણું ના ભેદને જોવો નકામો છે. મૃત્યુની શોકપ્રદ લીલાને જ્ઞાન વડે જ સમજી શકાય, એમ માનતા કવિ મૃત્યુના વજચક્રનો અનુભવ પોતાના સંતાનોના મૃત્યુ વખતે કરી ચૂક્યા છે. “ત્યાં ક્યાંયથી દીઠ અદીઠ આવી અશબ્દ શી મૃત્યુતરી સવારી” 04 પણ કવિ તો ક્રાંત-દા ને તેથી એ અદીઠ સવારી તેમની કલ્પનાદષ્ટિને જરૂર દેખાય, અષ્ટ ધજા, અનિવાર વેગ ને અદીઠ રથમાંની એ સવારી, એમાં આરૂઢ થયેલું તત્ત્વ શસ્ત્ર કે સારથી વિનાનું.... અંધાર કે તેજ કશાથી સામનો ન થઈ શકે તેવાએ મૃત્યુતત્ત્વના પ્રચંડ, એકચક્રી ને બ્રહ્માંડવ્યાપી શાસનનો નિર્દેશ કવિ કરે છે. સ્વજનમૃત્યુના આઘાત સામે બધું જ્ઞાન રંક બની જતું હોવા છતાં મૃત્યુની અનિવાર્યતાને સ્વીકારવી જ રહી. “મૃત્યુંજયો ભીખસમાય આખરે શક્યા ઉવેખી નહિ કાલધર્મને” વ મૃત્યુને સમજી નહિ શકવાથી જ એ અમંગલ લાગે છે. નચિકેતાને મળેલા મૃત્યુરહસ્યજ્ઞાનની કવિ પણ ઝંખના કરે છે. ૧૯૬૧માં બેટાઈ “તુલસીદલ' પ્રગટ કરે છે. “આવજે બંધુ આવજેમાં કવિની જન્માંતરોમાંની શ્રદ્ધા પ્રગટ થઈ છે. કવિ કહે છે, માનવને એક જન્મમાંથી બીજા જન્મમાં લઈ જનારને “અંતક' શી રીતે કહેવાય? દરેક જન્મગાંઠે કવિને “મૃત્યુસ્મારક' દેખાય છે. મૃત્યુલીલાને કવિ અલૌકિક ગણે છે. કવિ પોતાના જન્મદિને ભયમુક્ત બની મૃત્યુમિત્રને આવકારવા તત્પર બને છે. આ મૃત્યુ કેવા કેવા રૂપે આવે છે એનોય કવિ સરસ ચિતાર આપે છે, ક્યારેક એ વજઘાતે આવે છે, તો કદિક ફૂલની જેમ કોમળતાથી હાથ પ્રસારે છે. કદીક વાજતે ગાજતું તો કદીક ચોરની જેમ લપાતું પાતું આવે છે. “પ્રાણાધિક ચિરંજીવ' સદ્ગત પુત્રને ઉદેશી લખાયેલું કાવ્ય છે. જેમાં સર્વદિશામાં, સર્વકાલમાં વ્યાપેલા મૃત્યુના ઘોર નિર્જલ સાગરનો કવિ નિર્દેશ કરે છે. “બળેલું પાન' પ્રતીકાત્મક પ્રસંગકાવ્ય છે. બળી ગયેલા છતાં પ્રત્યેક રેખાએ અખંડિત પાંદડાંને પોતાની નાજુક હથેલીમાં સાચવીને દાદાને બતાવતી પૌત્રીના હાથમાંના એ પાંદડાને જોઈ મૃત્યુની રેખાએ રેખામાં તેમને જીવનનો આલેખ દેખાય છે. કવિને અહિં જન્મ મરણ સંદર્ભ દેખાય છે. 3. “જન્મમાં મરણની રેખ-ને મૃત્યુમાં જન્મની રેખ જોયું મેં પર્ણ એ 100 એ મૃત્યુરેખમાં કવિ સમગ્ર જીવના લેખ જુએ છે. તો ટેકા વિના ઊભેલું એક બાલવૃક્ષ (“અધ્ધર બાલવૃક્ષ') મૃત્યુની અવહેલનાનું સૂચક છે. જીવન તો ક્યાં ક્યાં ફૂટી નીકળતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy