SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 210 રતિને સીધું આશ્વાસન આપતા હોય એ રીતે કહે છે કે એનો પતિ અનંગ પોતાના દહબંધનથી મુક્ત થયેલો હોવા છતાં વિશાલતર, વિશ્વરૂપે સચરાચરમાં વિસ્તરી રહ્યો છે. મરીને એ વધુ અમર થયાનું કવિ કહે છે. મૃત્યુ કે શિવ કામદેવને મારી ન શકે. બહુ બહુ . તો એને અનંગ બનાવે. “ક્યાં છે ? માં ઘોરમાં ઘોર ગણાતું મૃત્યુ અને એનો અમૃત સ્પર્શ જ પીયૂષરસ પિવાડશે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. ૧૯૮૬માં “યોગતપસ્યા” કાવ્યસંગ્રહ પ્રગટ થાય છે. જેમાં અશ્વપતિની પ્રતીકાત્મક ભુવનયાત્રા વર્ણવાઈ છે. અશ્વપતિ જીવનું પ્રતીક છે. પૃથ્વી પરના મૃત્યુને જીતી શકાયું નથી. રતુભાઈ દેસાઈને એમનાં મા માટે લખેલા “જનની' કાવ્યમાં મોતની છાયને સ્થિર, મધુર ને ધવલ કહી છે. મુખ પરે મધુરી સ્થિર મોતની ધવલ છાય, સુધીર ઢળી રહી” 91 મૃત્યુ પછી માનો યાત્રાપથ કેસરકંકુમથી સભર, ને કુસુમપુંજથી સુગંધિત હોવાનું કવિ કલ્પ યદિ ન જન્મ અને નિધન હશે અમર મંગલ જીવન ત્યાં વસે” 92 મરણને કવિ નવજન્મની ભૂમિકા તરીકે અહીં ઓળખાવે છે. પહેલા મરણનો ભય હતો, પણ પછી મરણને શરણ થવા દિલ ડરતું ન હતું. ૧૯૬૩માં “કલ્પનાનામનો સંગ્રહ રતુભાઈ આપે છે. “પાલખીમાં રતુભાઈ જન્મ મૃત્યુ આવાગમનના રમ્ય ક્રમનો નિર્દેશ કરે છે. પૂર્વમાંથી નિત્ય નૂતન અભિનવ પાલખી અંતે પશ્ચિમમાં શમતી હોવાનું કહે છે. “પૂર્ણવિરામ'માં કવિ જીવનને સાન્ત વાક્ય સાથે સરખાવે છે. આરંભ છે, એનો અંત છે. મૃત્યુને કવિ શાંતિમય પૂર્ણવિરામ કહે છે. રોજ મૃત્યુને ચોક મનુજની નશ્વરતાનું ધ્યાન” 7 એ સત્ય કવિ સમજે છે. કાવ્યનાયક સામાન્ય પ્રકારનું મૃત્યુ પામવાના નથી. ચાર અશ્વના રથ સમ ચાર મનુજના સ્કંધે ચડીને પોતે જવાના એવો કવિનો વિશ્વાસ છે. જે દિ એમનાં નયનનલિનો બીડાઈ જશે, ઓઠની પાંદડી વિલાઈ જશે, કંઠ વિહંગ ચૂપ થઈ જશે. તે દિ એમને દ્વાર આવી એક સેવક ઊભો રહેશે ને તેઓ કૃતકૃત્ય થઈ જશે. કવિની શ્રદ્ધા છે કે એમના મૃત્યુ બાદ કલ્પના તો જરૂર અમર રહેશે. ૧૯૮૧માં રતુભાઈ “સાસુમાની ઝાલરી નામનું એક અંગત શોકપ્રશસ્તિકાવ્ય લખે છે. કૃતિની શરુઆતમાં જીવન અને મૃત્યુ બંનેની અટલતાનો કવિ નિર્દેશ કરે છે. મૃત્યુ પછીના પ્રદેશના નિમંત્રણનું વર્ણન કવિ આ રીતે કરે છે. “આજ સહુ દિશા દે છે નિમંત્રણ માત્ર વહે શાંત વાયુ યેહી પુષ્પો ખીલે, ઝરી જાય છાની ગંધ યહીં, સંગીતના સપ્તસૂર... મહીં, સૂરમાં વિલીન થાય. ચલો તહીં મા.... મૃત્યુને કવિ આનંદલોકની મહાયાત્રા કહે છે. “શું સાચે જ જવા વેળા થઈ ? એ વિચારે ધ્રૂજી ઊઠતા કવિ સાસુમાના મૃત્યુ પછીના નવલા દિવ્યદેશે થનારા પ્રયાણની વાતે સ્વસ્થતા ધરે છે. મૃત્યુ તો કવિને મન પિયામિલનનો અવસર. સી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy