________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 209 મૃત્યુને કાળો કદરૂપો ભમરો' કહે છે. (મુક્તાવલી 127) કવિ કહે છે, મૃત્યુ નિશ્ચિત અને અનિવાર્ય હોય તો એને અંગે આટલી વિમાસણ શાને ? ૧૯૭૯માં “અપરાજિતા' પ્રગટ થાય છે મરણશીલ માનવને કવિતાનાં અમૃત પાઈ અમર બનાવવાનું કામ કવિઓ કરે છે, સુદૂર ત્યાં'માં મૃત્યુ પછીના દિવ્ય માર્ગનું વર્ણન કવિ પૂજાલાલે સરસ કર્યું છે. વિશ્વ અન્ય સર્વને વિસરીને ઈહલોકની છેવટની વિદાય લે છે. પરમધામને કવિ શ્રી સચ્ચિદાનંદ સ્વરૂપધામ તરીકે ઓળખાવે છે. ૧૯૮૦માં “દુહરાવલી' પ્રગટ થાય છે. ભગવાનનું સ્મરણ કરતાં ભાવોર્મિના આવિષ્કારરૂપે “દુહરાવલી' છંદ કવિને પ્રાપ્ત થાય છે, ૪૮માં દુહામાં કવિ મૃત્યુને વચગાળાનો માર્ગ કહે છે, મૃત્યુને તેઓ “અંત’ તો ગણતા જ નથી.. ગીતાની જ વાતને વાચા આપતા હોય તેમ ૪૯માં દુહામાં કવિ આત્માની અમરતા નિર્દેશ કરે છે. મૃત્યુ માત્ર, શરીરને પીડા આપી શકે. આત્મા પર એની કોઈ અસર થતી નથી. ત્રેપનમાં દુહામાં પણ એ જ વિચારનું પુનરાવર્તન કરતા કવિ મૃત્યુને યાત્રા આવેલા ‘વિરામ' તરીકે ઓળખાવે છે. જેઓ જ્ઞાનપ્રકાશ જયોતમાં જીવે છે એ અમદે છે. અજ્ઞાનનો અંધકાર એ જ મરણ” એવું કવિ માને છે. જેમને મૃત્યુનો ભય નથી વ. ક્ષણે ક્ષણે મૃત્યુની મીઠાશને અલૌકિક રસાયણરૂપે માણી શકે છે. મૃત્યુને “પુરાવા કહેતા કવિ, એ માર્ગે પગ રાખી અમૃતત્ત્વના યાત્રીઓ બ્રહ્મપરાયણ બનતા હેરાનું 8 છે. તો ક્યારેક કવિ મૃત્યુને “છાવેશી મિત્ર' પણ કહે છે. જે લાગે દુશ્મન, પડ્યું કામ મિત્રનું કરે છે. તેથી જ જ્યારે એ દ્વાર પર આવે ત્યારે, એ પરમ અવસરે એને સત્કારવા તત્પર રહેવાનું કવિ કહે છે, દેહનું ઘર સમયના બંધનમાં બદ્ધ હોવાથી એના પર મુક થવાનું નથી. કવિ મરણના ભયને મરણથી પણ વધુ ખરાબ ગણાવે છે. સૂર્યપુત્રી સાવિત્રીને કવિ મૃત્યુના ગર્તમાંથી તારવા આવનારી સન્મિત્ર તરીકે ઓળખાવે છે. તો નચિકેતાને અગ્નિ અને એનું આરાધિત અમૃતત્ત્વનું જ્ઞાન સ્વયં મૃત્યુને પણ મનાવી લઈ અમૃતનું વરદાન આપી દેતા હોવાનું કવિ જણાવે છે. ૧૯૮૦માં “સોપાનિકા' પ્રગટ થાય છે. માર્ગમાં મૃત્યુ આવે તો એનો મિત્રભાવે હાથ પકડી લેવાની કવિની અભીપ્સા “સંકલ્પમાં વ્યક્ત થઈ છે. “સુંદરના શૃંગમાં ને પંથે પ્રયાણ કરવાની તમન્ના વ્યક્ત થઈ છે. કવિ જીવનને બંધિયાર ને મૃત્યુ ને મુક્ત ગણાવે છે. “આનંદને આવાહનમાં ફરી કવિ સંસારને “મરણાલય' તરીકે વર્ણવે છે. જ્યાં મૃત્યુમાર્ગે જ જઈ શકાય એવી દૂરની સફરની વાત “સુદૂર સફરે'માં કરાઈ છે. કાવ્યનાયક આડા ઊભા રહી માર્ગ ન રોકવા જણાવે છે. કારણ તેઓ તો મિત્રને (મૃત્યુ) ઘેર જઈ રહી છે. જ્યારે અસીમ સિંધુ સાદ પાડી રહ્યો છે ત્યારે જીવને પળનોય વિલંબ ન કરવા જણાવે છે. દિવ્યપંથે પ્રયાણ કરનારાની વિદાયને કલ્યાણમયી કહે છે. આંખમાં અશ્રુ ને હોઠ 52 જ્ઞાનના સ્મિત સાથે “શુભના મહાયાત્રી પ્રિયોને આપજો અભિનંદનો" એમ કરે છે છે. “કાવ્યકેતુ' પણ ૧૯૮૦માં પ્રગટ થાય છે. રમણલાલ જોશી આ કવિતાને સ્વાભિમુજ કવિની કવિતા' તરીકે ઓળખાવે છે. સંધ્યાકાળે સમુદ્ર સ્નાને ગયેલા કવિમિત્ર સારાભાઈ દોશીનો સમુદ્ર ભોગ લીધો હતો. કવિ કહે છે, “જીવન દશ્યમાન ન જાય, એટલા માત્રથી એને “મૃત્યુ' શું કહેવાય? “રતિને આશ્વાસન'માં એક વિશિષ્ટ પ્રકારનો મૃત્યુસંદર્ભ વણાયો છે. શિવજીએ કામદેવનું દહન કર્યા પછી રતિએ દારુણ વિલાપ કર્યો હતો. કારે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust