________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 203 “આયુષ્ય છે ત્યાં સુધી છે જ યુદ્ધ કો મૃત્યુ પૂર્વે ન સંપૂર્ણ બુદ્ધ” 37 “હા, દેહ જોયો પ્રિય નાશવંત જોયો સુખોનો અનિવાર્ય અંત વિચારતો કે હું તરીશ ધન્ય હવે ફરી જન્મ ન દેહ અન્ય” 08 ફરી જન્મ, ફરી દેહ, ફરી મૃત્યુની ઘટમાળમાંથી મુક્તિ એ જ નિર્વાણ. કવિને પહેલાં મૃત્યુનો ડર લાગતો. પણ પછી તો તેઓ સામેથી જ મૃત્યુ પાસે “અમીભિક્ષા માગે છે. મૃત્યુની બાથ શિક્ષા નથી રહેતી, ઊલટું એ સાથે સંસારના સર્વ ઘા રુઝાઈ જવાના. “એ તને બાથમાં ભીડે તો રખે ગણે તું શિક્ષા” 09 ૧૯૬૫માં પ્રકાશિત થયેલા “મહાપ્રસ્થાન'નાં કાવ્યોમાં પણ મૃત્યચિંતન જોવા મળે છે. મહાપ્રસ્થાન' કાવ્યમાં હિમાળો ગાળવા હિમાલયે પ્રયાણ કરતા પાંડવોના ક્રમશઃ મૃત્યુની વાત કરાઈ છે. સહદેવ પોતાને તેમજ બાંધવોને “મૃત્યુયાત્રી' ગણાવે છે. “મૃત્યુની શીળી હિમશયા' સૌની પ્રતીક્ષા કરી રહી હોવાનું કવિ કહે છે. દ્રૌપદીના મૃત્યુ સમયની આભાને અમત્ય ગણાવી છે. નકુલ મૃત્યુ સામે અમય જેવા જીવનસૌંદર્યનો જયજયકાર બોલી વિદાય માગે છે તો દ્રૌપદી અને ચાર ભાઈઓનાં મૃત્યુને યુધિષ્ઠિર હિમશુભમૃત્યુ' કહે છે. ને પોતે પણ એવા જ મૃત્યુની ઝંખના કરે છે. યુધિષ્ઠિર' કાવ્ય “મહાપ્રસ્થાનના અનુસંધાનમાં લખાયું લાગે છે. સ્વર્ગમાં દુર્યોધનને સુવર્ણ રાજસિંહાસને વિરાજમાન જઈ યુધિષ્ઠિર અકળાય છે ત્યારે નારદ એમને સમજાવે છે. વૈરમાત્ર મરણાન્ત' મરણ સાથે વેર માત્રનો અંત આવે છે. યમદેવની પરીક્ષામાં ત્રણ વખત ધર્મય્યત થયેલા યુધિષ્ઠિર “યમઃ પિતરઃ કહી યમદેવનો અનુગ્રહ યાચે છે. ને સુયોધન તથા અન્ય અભાગી બાંધવો સાથે વસવાટની અનુમતિ માગે છે. ધારાવસ્ત્ર'માં કવિ મૃત્યુને અખંડકાળમાં માનવના થતા પુનઃપ્રવેશ તરીકે ઓળખાવવા મથે છે. તેઓ કહે છે મૃત્યુ, અખંડ કાળમાં પુનઃ પ્રવેશ? જીવનકાળનો સ્વાદ ક્ષણક્ષણનો ઘંટ, એકરસ અસ્મિતા” 80 કવિ કહે છે “કોઈ એક ક્ષણની નિકા હટાવી મૃત્યુ સ્વયં બોલી રહેશે “લે પ્રભુ સાથે તારે હાથ - મિલાવવા હતા ને? મૃત્યુ એટલે પ્રભુ - સાથેનું હસ્તધૂનન” 81 પુરાણોમાં મૃત્યુનૃત્યની વાત ઉલ્લેખાઈ છે. કવિ ઇન્દુલાલ ગાંધી મૃત્યુની ક્યકાલીન વાત કરે છે. (‘ગોરસી” 1939) ચિતાની ભડભડ જ્વાળાઓ નિલાકાશે પહોંચે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust