SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 202 ચાલ્યા જ કરે છે. તેથી જ મૃત્યુ સાથે જયાફત માણવા, એને સત્કારવા કવિ તૈયાર છે. મૃત્યુના પ્રેમાળ અને હૂંફાળા સ્પર્શ સાથે આયુષ્યની અનંત આશાઓનો અંત આવે છે. હંમેશ મૌન ધારણ કરતા મૃત્યુને કવિ પોતાના પ્રશ્ન પ્રત્યે રસ ન કરવા સમજાવે છે. કારણ મૃત્યુ પોતે જ એક મહાપ્રશ્ન છે. પ્રશ્નોથી ના રીસ હે, નિત્યમૂક શોભે તું ને, જે સ્વયં પ્રશ્નરૂપ ?" 73 કવિ જિંદગીને મૃત્યુના અર્ક તરીકે ઓળખાવે છે. તેથી મૃત્યુથી ત્રાસવાનું ન હોય. જો કે વિશ્વકુંજે જગડાળ પર પ્રસરેલી જીવનક્રીડા સંકેલી લેવા મૃત્યુએ માંડેલી મીટથી કવિ સભાન છે ખરા. (“મૃત્યુ માંડે મીટર) કવિ ઉમાશંકર મૃત્યુની કરાલતા તેમજ ભવ્યતાને ઓછી કરવા માગતા નથી. તેઓ એ પૂરેપૂરું સમજે છે કે ભીષણ મૃત્યુમુખને કોમળ ન જ કહેવાય. ને છતાં, મૃત્યુને એના મૂળ સ્વરૂપ સાથે જ કવિ આવવા કહે છે. “આવ મોત, સંદેશ બોલ તવ ઘર્ઘર નાદે નહીં ન્યૂન, વધુ ભલે રુદ્ર તવ રૂપ, ધરીશ તું જ કવિ અહીં મૃત્યુના સ્વરૂપનું ભયાનક વર્ણન કરે છે. પણ પોતે તો ડરતા નથી. મૃત્યુના દાંત ગણવા તેઓ ઉત્સુક છે. મૃત્યુને એનું મુખ ઉઘાડવા પડકારે છે. વક્રદત, અતિચંડ, ઘમંડભરેલ વિષાદે મુખ ઉઘાડ તુજ, શાંત ચિત્ત તવ દંત ગણીશ હું” 05 તો “નિશાપંથ'માં મૃત્યુની મીઠી હૂંફ તરફ કવિ પ્રતીકાત્મક રીતે ઇશારો કરે છે. જિંદગીના અનેક કોલાહલો વચ્ચે કોઈ ગેબી દિવ્યસ્વર “આવ રે આવ ચાલ્યો' સંભળાય છે. “થાક્યા દેહ ફરી શરૂ કરી આખરી એક યાત્રા” અહીં તેજસ્વી મૃત્યુને મળવા જવાની આખરી યાત્રાનો કવિ ઉલ્લેખ કરે છે. સૌને જ્યારે જન્મથી મૃત્યુ તરફ આગળ વધવાનું છે, ત્યારે કવિ મૃત્યુથી જન્મ તરફનો નવપથ શોધે છે. (“દેશવટે) કદાચ પુનર્જન્મ પ્રત્યેની શ્રદ્ધાનો સૂર અહીં વ્યક્ત થયો છે. સૌ મત્યને ભમવું જન્મથી મૃત્યુ યાવત હું મૃત્યુથી જનમતો નવપંથ શોધું 5 આ જ કાવ્ય મૂળ અંગ્રેજીમાં “ધિ એલ્ફિન્સ્ટોનિયન' (૧૯૩૫)માં છપાયું હતું. પ્રાચીના'નાં કાવ્યો મહદઅંશે યુદ્ધજન્ય મૃત્યુમાંથી નીપજતી યાતનાનાં છે. માત્ર બાલરાહુલ' કાવ્ય એમાં જુદું પડે છે. પોતાના કુલદીપકને જોતાં ભગવાન બુદ્ધને રાહુલના નિર્વાણની સાથે સાથે સંસારના સહુ જીવોના નિર્વાણનો વિચાર આવે છે. આ શરીરમાં જ બધા કલેશ સમાયા હોવાનું તેઓ કહે છે. આનંદ સાથેના સંવાદમાં તેઓ જણાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy