SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 201 રચાયેલા “કોને કોની ખોટમાં થયો છે. ખાલી જગ્યાઓ સતત પુરાતી રહે છે. તેથી જ કોઈની ખોટ કોઈને વરતાતી નથી. જીવન ધબકે નાડીએ : તો મૃત્યું રોમેરોમ દીકરો આવ્યો ખોળલે કાંઈ ખાંધે. ચઢિયલ બાપ” 69 બાપ વિદાય લે છે, ને દીકરો પધારે છે. એક જાય, એક આવે, એ ક્રમ સતત ચાલ્યા કરે. દાયકાઓના અનુભવોથી રંગબેરંગી ઝાંયવાળા દેહના ઉત્તરીયને કાંચળી ઊતારતા સાપની જેમ ઊતારી ક્યાંક હવે ટીંગાડી દેવા કવિ ઉત્સુક છે. મને તો છે ભૂમાના કોડ જેમાં મારે હું મટીને નામરૂપથી પર થવું છે એ તો મૃત્યુ મૃત્યુ ?" 30 નામરૂપથી પર થવાની વાતને કવિ “મૃત્યુ' તરીકે ઓળખાવે છે. ને મૃત્યુ જ માનવને નામરૂપમાંથી મુક્તિ અપાવે. પોતાની આત્મકથની કહેતા “એટમને કવિ “મૃત્યુદેવતા' તરીકે વર્ણવે છે. નવા રૂપે એ જ યમદેવતા છે. કવિ ઉમાશંકરે મૃત્યુઘટનાને જુદા જુદા સ્તરે, સમયે, ક્ષણે જુદી જુદી રીતે અનુભવી છે. “કલાનો શહીદ'માં સૌદર્ય અને કલા ખાતર મૃત્યુ પામવાનો મહિમા વ્યક્ત થયો છે. ને જન્મદિને કવિ મૃત્યચિંતન કરે છે. (નિશીથ') જન્મદાતા પિતાનું મૃત્યુ યાદ આવતાં ૧૯૩૪માં “પિતાનાં ફૂલ' કાવ્ય લખાય છે. પોતાની યુવાન વયે પિતાનું મૃત્યુ થવા છતાં કવિ મૃત્યુથી નથી ગભરાયા. મૃત્યુને કવિએ શુભ્રધવલ કલગીસમું કહ્યું છે. અગ્નિમાંથી બચેલાં અસ્થિફૂલ વીણતાં કવિ એક વિચિત્ર અનુભવ કરે છે. શમ્યા મૃત્યુલોકો, અમર ફરકતી નીરખીને પિતાનાં ફૂલોમાં ધવલ કલગી વિશ્વક્રમની” 1 જન્મમરણનો વિશ્વક્રમ ધવલ કલગી સમો હોવાનું કવિ કહે છે. કવિને મૃત્યુ સાથે કૈક દહાડાની વાતો આટોપવી હતી, “મૃત્યુને'માં આ વાતચીત એમણે શબ્દાંક્તિ કરી છે. મૃત્યુ સાથેનો માનવનો સંબંધ યુગો જૂનો હોવાનું તેઓ કહે છે. મૃત્યુએ જ માનવ સાથે વધુ નિકટનો ઘરોબો કેળવ્યો છે. માનવના પ્રથમ શ્વાસ સાથેજ મૃત્યુ જન્મી ચૂકે છે. કોઈને કદી જાકારો ન આપતા મૃત્યુને કવિ “વિસામો' કહે છે. પોતાને દ્વારે ઘણા લાંબા સમય સુધી ઘેરા ગંભીર મૂક સ્વરૂપે મૃત્યુને બેઠેલું કવિએ જોયું હતું. જિંદગીના પાત્રમાં અંતે તો મૃત્યુને જ બેઠેલું માનવ જુએ છે. મૃત્યુ માનવનો બાળપણનો સાથીદાર અંતે દૈને જીવ-ને હાથતાળી માતો થાતો અંતથી જીવ કેરા” 72 સૃષ્ટિ પર મૃત્યુ અને ચેતનાની સ્પર્ધા અવિરત ચાલતી હોવા છતાં કવિ મૃત્યુને વિજયી તો ક્યારેય ગણતા નથી. શરીર ભલે વિલાય, જીવનતત્ત્વની, જિંદગીની ધારા તો વણથંભી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy