SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 200 ભાળ્યું છે? માં કવિ દરેકને પ્રશ્ન પૂછે છે “ભાળ્યું છે મૃત્યુ તમે ?' મૃત્યુને કવિ પાંદડાં, ડાળ કે થડ વિનાના નિર્મળ અને નિરાકાર તત્ત્વ તરીકે ઓળખાવે છે. એ એવો પુરુષ છે જેને નથી મસ્તક, નથી ઉર, નથી હાથ ન પગ ન કોઈ અંગઉપાંગ. રેખા, ગતિ, સ્થિતિ, તેજ કે અંધકાર વિનાનું. જાણે એ તો નિઃસીમ અંધકાર. ‘તું અને હું માં પુત્રીમિલનની તીવ્ર ઇચ્છાનો આવિર્ભાવ થયો છે. ઉમાના દેશવેશ તો હવે જુદા છે. પણ તેથી શું? તું આવ, નથી તારે પૂરવ કે પચ્છમ જ નથી અહીં ઉત્તર કે દખ્ખણ અહીં નથી તું, નથી હું જ માનવના મૃત્યુ પછી હું તું ને દૈત ઓગળી જાય છે. હું તું ના ભેદ ઓગળી જાય એવી કોઈ વિરલ ભૂમિકાએ, સદ્ગત દીકરીને કવિ આમંત્રે છે, કે જ્યાં પછી ક્યારેય વિદાય કે વિરહ ન હોય. તો બીજી જ પળે પાછા કવિ સ્વજનમૃત્યુની વેદનાના અનુભવની વાત “લેખામાં કરે છે. મૃત્યુ પામનાર રોગમુક્ત થાય છે. પાછળ રહેનાર વેદના અનુભવે છે. માંદગીને બિછાનેથી મૃત્યુ કાંઠે હવા ખાઈ - રોગી તાજો થાય” tપ કવિ કહે છે ઇતિહાસ રુદન અને મિલનની શાહીથી મૃત્યુ અને જીવનની કથાનાં લેખાં જોખાં આલેખે છે. સ્નેહરશ્મિ અંતે ઉમાના મૃત્યુના સત્યનો સ્વીકાર સમજણપૂર્વક કરી લે છે. દીકરીનું મૃત્યુ એમને વિશાળ દષ્ટા બનાવે છે. ઉમા માટેનું સ્નેહગીત હવે વ્યક્તિનું મટી સમષ્ટિનું બને છે. ગીત આ પહેલું દીકરીનું અરે હા મા તે વિશ્વ આખાનું જ ઉમા પોતેજ હવે એક અનંત શાશ્વત ગીત બની જાય છે. કારણ મૃત્યુ દ્વારા અમર બની એ એકની મટી વિશ્વની બની ગઈ છે. જીવના આતંત્ય માટે કવિ કહે છે. ત્યાંથી એ આવે તેમાં રહે, તે મહીં એનું નિર્વાણ 7 કવિને દ્વિધા એની છે કે એ કોને અમર કરે ? “લો તો ખીલે, ને ખરે કાકા કવિ કોને અમર કરે 8 (કેવળ વીજ) માનવપુષ્પ પણ ખીલે, ને ખરે. જન્મ, જીવન મૃત્યુ, કવિ એની કવિતામાં કોને અમર કરે ? સ્મશાનઘાટે એકવાર નીરવ પગલાં સંભળાયાની વાત કવિ “જૂના સ્મશાન ઘાટે'માં કરે છે. ચિતાની શીતળ ઘેરે અંગ પુલકિત થયાનો અનુભવ થાય છે. મૃત્યુ સાથેની પરિચિતતાની જેમ સ્મશાનભૂમિ સાથેની પરિચિતતા તેઓ અનુભવે છે. ઉમાના મૃત્યુને કારણે જ નહિ. પણ અનેક જન્મોમાં અંતે તો સ્મશાનમાં જ ઠરીઠામ થયા હશે ને? સમગ્ર અસ્તિત્વમાં એક સાથે ધબકતા જીવન અને મૃત્યુના ક્રમનો નિર્દેશ લોકગીતના ઢાળમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy