________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 198 તથા સુખ-દુઃખનાં ગતિ ચક્રોની વાત કરાઈ છે. કુમુદવનની શોભા ખીલી ઝંખવાય રવિ શશિ નભ ઊગે, આથમે એમ થાય સુખદુઃખ ગતિ ચક્ર, યોગ વૈચિત્ર્ય જાણે વિધવિધ વિધિલીલા, માનવીની પ્રમાણ” પર કવિ કહે છે “મૃત્યુ ઉજળું થયું માઘ વડે” “કાળના ગર્ભથી તાર્યો ઉજળી મૃત્યુની ઘડી મારું આજે અમર ઊજળું મૃત્યુનું કાવ્ય કીધું” પછ મૃત્યુ બાદ મૌન બની ગયેલા મિત્ર માટે કરુણતા સાથે કવિ સ્નેહરશ્મિ ‘અમરો મૌનમાં રાચતા' હોવાનું કહે છે. પશુદયાની કરુણભીની વ્યથા શબ્દબદ્ધ કરતા સ્નેહ-રશ્મિ “મુક્તિમાં માણકા પર ફરી વળેલા કાળના ઓળાનો નિર્દેશ કરીને મૃત્યુને મુક્તિ તરીકે ઓળખાવે છે. “છાયા' નામના નાનકડા મુક્તકમાં કાયારૂપી ભાનુના નિધન સાથે જીવ અદશ્ય થવાની વાત માનવના જન્મમરણના નિયમને રજૂ કરે છે. “મૃત્યુને કાવ્યમાં માનવના જન્મ તેમજ મૃત્યુ એક સાથે ઉદ્ભવ્યા હોવાની વાત કવિએ કરી છે. માનવ અને મૃત્યુ નિશદિન સાથે જ ફરતાં હોય છે. ફરક એટલો કે માનવ દશ્યરૂપે હોય, ને મૃત્યુ અદશ્યરૂપે હોય. માનવનો મૃત્યુ સાથેનો પરિચય યુગો જૂનો હોવા છતાં મૃત્યુ કદી માનવના હાથમાં આવતું નથી. કવિ કહે છે, પણ માનવની આંખમાં જ્યારે મૃત્યુ આંખ પરોવશે ત્યારે એની મુખરેખા થોડી છુપાઈ શકવાની? “કોણ ફરી બોલાવે'માં સ્નેહરશ્મિએ સ્વમૃત્યુકલ્પના કરી છે. દુનિયામાંથી વિદાય લેવાની વેળા આવે છે ત્યારે પ્રકૃતિ અને સાદ દઈ પાછો બોલાવે છે. ઘરનાં નેવાં હીબકાંથી છલછલ થતાં, જનારને અટકાવે છે. વનની કુંજકુંજ, પુષ્પોના પુંજની ભીની વ્યાકુળ આંખો જનારના હૈયેય અશ્રુપુર ઉમટાવે છે. ૧૯૬૭માં “સ્નેહરશ્મિ” “સોનેરી ચાંદ રૂપેરી સૂરજ' હાઈકુસંગ્રહ પ્રગટ કરે છે. જે એમની પુત્રી ઉમાને અર્પણ થયો છે. પ્રિયસ્વજનના અશ્રુભીનાં સ્મરણની વાત અહીં ગૂંથાઈ છે. “નેફાઈટીસ'નો ભોગ બનેલી દીકરી ઉમાએ ૧૯૬૩ના મેની છઠ્ઠી તારીખે વિદાય લીધી. એ એક દાયકા સુધી મૃત્યુને કવિએ સતત પોતાની સાથે રહેતું અનુભવ્યું. કવિ સદ્ગત પુત્રીને ઉદ્દેશી કહે છે. ઝાકળ જેવું જીવી ગઈ તું હવે સ્મરણો ભીનાં” 19 તો ભીતરી ચૈતન્યમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા કવિ સદ્ગત દીકરીનાં સ્મરણોથી સ્વસ્થ બનવા યત્ન કરે છે. દીકરીનું શરીર મર્યું છે, ચેતના નહીં. ચૈતન્યદીપને મૃત્યુના અંધકારની પીંછીંનો સ્પર્શ ન જ થાય. “ફરતી પીંછી અંધકારની દીપ ; ' કહે છે કે જે કે : ' ' કે ' જ ' કે ' . . નહીં રંગાય” * : : ફી 9 _ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust