________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 195 ફૂલ પધરાવતાં' કાવ્યમાં તેઓએ પ્રગટ કરી છે. (1973) પિતાની યાદનો દીવો સ્થિર જલતો હોવા છતાં શૂન્યતાના અંધકારને તેઓ ભેદી શક્યા ન હતા. “તમે છો ના હવે, એ જ સત્ય બીજું બધું છલ’ એ પ્રતીતિ સતત થયા કરી છે. જો કે પિતાની મૈત્રીની મહેક, પિતાજીનો હાથ ખભે મૂકાયાની અનુભૂતિ પિતાના મૃત્યુબાદ પણ તેઓને કરાવે છે. તો સદ્દગત માને અંજલિ આપતાં કવિ માના ગુણોને સંભારે છે. અંતનો શોક ન હોય “મૃત્યુ'ને રડવું ન ઘટે એ સમજવા છતાં, મા જતાં આંખમાંનાં અશ્રુ તેઓ ખાળી શકતા ન હતા. જશભાઈ કા. પટેલ સં. ૨૦૦૬માં પ્રત્યુષ' નામનો કાવ્યસંગ્રહ આપે છે. “જતાં તું કાવ્યમાં મિત્રના મૃત્યુ સંદર્ભે કવિ શૈશવની પ્રીતને યાદ કરે છે. દૂર રહેલું આકાશ સ્મશાન, ને શિશુસહજ બીકે નીરખેલી ચિતા તેઓ ભૂલી શકતા નથી. તો “સદાનું સિઝાવું'માં પત્નીના અવસાને શતધા ખંડિત બનેલું હદય વ્યક્ત થયું છે. ઘડીમાં રિસાતી ને ઘડીમાં હાસ્યના ઊભરો ઠાલવતી પ્રિયાની છેલ્લી રમત એમને ભારે પડી જાય છે. “રડી રહેમાં પણ પ્રિયાની સંજીવનીથી ઉછરેલું હૃદય પ્રિયા જતાં રડી રડી પ્લેયવિહોણું બની ગયાની વેદના વ્યક્ત થઈ છે. “પૂજય પિતાશ્રી' કાવ્ય કવિના પિતાના મૃત્યુ પ્રસંગે લખાયેલું શ્રદ્ધાંજલિ કાવ્ય છે. પિતાના દેહ પર અગ્નિ ચાંપવાનું દુષ્કર હતું. અષાઢી મેઘ જેમ તેઓ સદા વરસ્યા એના જ દેહ પર આગ ચાંપવાની? પિતાને અણમૂલ સંપત્તિ માનનાર કવિ, પિતાના અવસાને ધ્રૂજી ઊઠયા હતા. ગાંધીયુગ , મૃત્યુનું સ્વરૂપ, વાસ્તવ, ભયાનકતા, મૃત્યુ પામેલી વ્યક્તિ, સ્મશાનવર્ણન, ચિતાવર્ણન, મૃત્યુચિંતન ‘વિશેષકાવ્યો' કવિ રા. વિ. પાઠકના અવસાન પછી એમનાં દ્વિતીય પત્ની હીરાબહેન ૧૯૫૯માં પ્રગટ કરે છે. “બુદ્ધનું નિર્વાણ'માં બુદ્ધના આયુષ્યના અંતનો પ્રસંગ નિરૂપાયો છે. જેમાં શરીર-પૂજાના પ્રપંચમાં ન પડવા જણાવાયું છે. કાવ્યનો અંત કલાત્મક છે. અનુરુપની ગંભીર ચાલમાં ચાલતું આ કાવ્ય એક ઉચિત ઉપમાના વર્ણનથી સમેટાય છે. - “નિર્વાતે ગેરવે પુષ્પો, નિશીથે પારિજાતકને તેમ અશુધ્ધ સંઘેયે, આંસુઓ આંખથી ગ્રવ્યાં 53 “જે વસ્તુ જન્મ પામી છે, તેનો નાશ થશે. એને અટકાવી ન શકાય. સર્વ પ્રિય વસ્તુઓથી આપણો વિયોગ થવાનો “આ વાત પહેલાં પણ બુદ્ધ સમજાવી હતી. અંતિમ વેળાએ હોઠ પર સ્મિત રેલાવતાં બુદ્ધ તેલ ખૂટવાની, પ્રદીપ ઓલાવવાની પળનો નિર્દેશ કરે છે. નિર્વાણ સમીપ હોવાની વાત ખૂબ સ્વસ્થતાથી તેઓ કરે છે.” માતા જેમ બાળકને એક સ્તનેથી છોડાવીને બીજે સ્તને લઈ જાય છે તેમ પ્રકૃતિ માતા મૃત્યુમાં મનુષ્યને એક જીવનમાંથી છૂટો કરી બીજા જીવનમાં લઈ જાય છે.” રવીન્દ્રનાથની જ આ વિચારધારા સાથે કવિ “કવિવર રવીન્દ્રને' અંજલિ અર્પે છે. “તુકારામનું સ્વર્ગારોહણ'માં સ્પૃહા અન વાસના વિનાના સંત તુકારામની સુંદર છબી કવિએ દોરી છે. સ્વર્ગના વિલાસ અને મસ્યલોકના કર્મબંધનથી છૂટવા માગતા તુકારામ સ્વર્ગની ભુલભુલામણી અને મત્સ્ય લોકના કર્મપાશથી ત્રાસી ગયા હતા. પરથમ પરણામ મારા' શેષનું એક અનોખું કાવ્ય છે.. P.P.AC. Gunratnasuri M.S. n Gun Aaradhakrust