________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 192 પામેલી માની સ્મૃતિઓ ગોવિંદભાઈએ શબ્દબદ્ધ કરી છે. તુલસી વિલાઈ જતાં તુલસીની ક્યારી પ્લાન બને, એમ મા જતાં ઘર સૂનું બન્યાનું કવિ અનુભવે છે. કવિ માને પતાસા જેવી મીઠી શિક્ષિકા તરીકે ઓળખાવે છે. “મને નહિ દવાનું વ્હાલ હતી વ્હાલપોની દવા” 41 માનાં અંતિમ દર્શન કરવા સદભાગી ન થયાનું કવિને ઘણું દુઃખ હતું. હવે તું જ શરીર તો કજળી પંચભૂતે ભળ્યું હવે નયન બીડી સૂક્ષ્મ થકી ભળવાનું રહ્યું જ ગોવિંદભાઈ પટેલ નાની બાળકી મનીષાના અવસાનના દુ:ખને હળવા કરવાના માર્ગ તરીકે કાવ્યાભિવ્યક્તિને શ્રેષ્ઠ ગણે છે. ૧૯૬૯માં “સત મનીષાને' લખ્યું. જો કે સંતાનમૃત્યુના દુઃખને અક્ષરદેહ આપતી વખતે પણ કવિપિતાએ ભરપૂર યાતના અનુભવતાં વચ્ચે ક્યાંક કલમ મૂકી દીધી હતી. કવિ કહે છે “હંયાં રહ્યાં તાં દ્રવી એવી રીતથી છે કે જ્ઞાન સૌ પલળી જતું ત્યહીં” 40 મૃત્યુ પામેલી દીકરીની આંખમાં કાજળરેખ આંજી, ગાલ પર ઝીણું ટપકું કર્યું. ને કપાળેય ઝીણી કાળી બિંદી કરી પછી સુકોમળ દેહને પુષ્પોથી ઢાંકી દીધો. “કૂલો થકી તું રહી મઘમઘી ને - તું શાં બન્યાં સુંદર ફૂલ સંગતે” 48 રાતાં વસ્ત્રોમાં વિંટાળી, જાળવીને એને હાથમાં લઈ, કવિ પિતાએ, એના પર ચુંબન વરસાવી હૈયાફાટ રુદન કર્યું. ફૂલ જેવી બેબીને ઉપાડતાં કવિ પર્વત ઉપાડીને ચાલતા હોવાનું અનુભવે છે. “માથું કરો ઉત્તરમાં, મૂકી દો” 49 પડોશીના એ વ્યવહાર-બોલમાં કવિને જાણે લોકક્ષયકૃત પ્રવૃધ્ધનો અંતરને ભેદી નાખતો આદેશ સંભળાયો. છેલ્લે છેલ્લું મુખદર્શન કરી વસ્ત્રથી મુખ ઢાંકી, વેદનાને અંતરમાં ભારી રાખી અનંત પારણે સુવાડતા હોય એમ ઊંડાણમાં દીકરીને મૂકી દીધી. એના પર યંત્રવત સુગંધી દ્રવ્યો, મીઠાઈના પીંડ, પુષ્પો દ્રવતે આંસુએ મૂક્યાં. - “બેબી મને તું ન કઠોર માનતી જાણું નહીં આ બધું શું થતું રહે 50 એક, બે, ત્રણ, એમ દોહ્યલી ક્ષણો વીતતી ચાલી, ભીની માટીએ એને દબાવી. દાટી તોય જાણે એ પહેલાની જેમ જ હસી રહી. ત્યાં ઘીનો દીવો પ્રગટાવ્યો. ને એ સાથે જ બેબી પણ જાણે નાની જ્યોતિ સ્વરૂપ બની. નિર્મોહી શી નિજત્વને પ્રકાશી રહી, ઘેર આવ્યા પછી ખાલી હાથમાં માત્ર શોકને ઝુલાવવાનો રહ્યો. તારા વિનાના કર ખાલી એ હવે, ઝુલાવવાનો અવ ત્યાં શું શોકને” ચિરંજીવી મનીષા સદૂગત બની ગઈ. હવે અગણ્ય સ્મૃતિરૂપે જ એને યાદ કરવાની હતી. સ્વજનના મૃત્યુ સમયે ઋણાનુબંધ સહુ આવતું જતું S1 P.P. Ac. Gunratnastics Jun Gun Aaradhak Trust