________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 189 ગણાવાયું છે. પ્રિયતમાની અંતિમવેળાની પ્રેમળ નજર કાવ્યનાયક ભૂલી શકતો નથી. (‘છેલ્લી પળો') “પ્રાતઃકાલ તણા પરંતુ સમયે નેત્રો બીડાઈ ગયાં” * મૃત્યુજન્ય વિષાદની વાત કરતાં કાવ્યનાયક ગીતાજ્ઞાન દુઃખસમયે નિરર્થક હોવાનું કહે છે. (“મરણ') “શ્રવણવધર્મમાં શ્રવણની પ્રસિદ્ધ કથા વર્ણવામાં આવી છે. શરૂમાં ભાવિ ઘટનાની એંધાણીરૂપ મૃત્યુજન્ય કરુણ શાંતિનું વર્ણન છે. ભૂલમાં રાજા દશરથ વડે શ્રવણ મરાતાં, દશરથનો વલોપાત હૃદયભેદી બન્યો છે. સમગ્ર પ્રકૃતિમાં એના મૃત્યુની કરુણતા છવાઈ હોવાનું કવિ વર્ણવે છે. શ્રવણના માતાપિતા પણ પુત્રવિયોગ ન સહેવાતાં પાણી વિહોણાં માછલાંની જેમ પ્રાણ ત્યજે છે. રાજાને પોતાની જેમ પુત્રવિયોગે ઝૂરીને મરવાનો અભિશાપ આપે છે. રાજા ત્રણેયની ચિતા રચી અગ્નિસંસ્કાર કરી તર્પણાંજલિ અર્પે છે. ગોવિંદ હ. પટેલ ૧૯૩૭માં “સાવિત્રી'ની કથાને આધારે “તપોવન' નામનું કાવ્ય પ્રગટ થાય છે. આ કાવ્યનો આત્મા જ “કરુણરસ છે. ટૂંક સમયમાં યમ પધારી સત્યવાનના લિંગદેહને પાશબધ્ધ કરી પ્રયાણ કરે છે. ત્યાં કરુણરસની પરાકાષ્ઠા જણાય છે. નયનજળ વહે ? ના રક્ત હૈયાતણું ત્યાં જળમય થઈ જતું, ધર્મપંથે પળાતાં” 41 | મુકુંદરાય પટ્ટણી સાથે પ્રબોધ પારાશર્યે લખેલી કવિતાઓ “અર્ચન' સંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે. (૧૯૩૮માં) પત્નીના અવસાન નિમિત્તે લખાયેલા “ગતાને' કાવ્યમાં તેઓ સુખની શમી ગયેલી ધમાલનું, ઘરની જીર્ણતાનું, હૃદયના પ્રાણસ્પંદનોના સ્થંભનનું આર્દિકે વર્ણન કરવા છતાં, પત્ની સહવાસની સ્મૃતિને શાશ્વત ગણાવે છે. સગત સ્વજન આવ્યાનો આભાસ કાવ્યનાયકની વ્યાકુળતાની પરાકાષ્ઠા છે. “ક્યાં જવું' ? માંનો મૃત્યુ પામનાર સ્વજનો ક્યાં જવા માગે છે ? પ્રશ્ન માનવ માત્રનો સનાતન પ્રશ્ન છે. તો જનારનેય સ્વજનોનાં આંસુ અને ઘરનાં દ્વાર રોકે છે. એનેય ક્યાં જવું હોય છે? છતાં જવું પડવાનું. પ્રબોધરાય ભટ્ટનો “અંતરીક્ષ' કાવ્યસંગ્રહ ૧૯૬રમાં પ્રગટ થાય છે. ફૂલને અકાળે મચડી ન નાખવા કવિજગત માળીને પ્રાર્થે છે. પારિજાત હજુ પરીઓના પ્રદેશમાં ઊંધે છે. જૂઈ ચમેલીની કળીઓ હજુ તો માની સોડમાં શૈશવની મધુર નિદ્રા માણે છે. કરેણના ફૂલગુચ્છ હજુ તો છોડમાંથી પાંગરી રહ્યા છે. પવનમાં એનું પારણું ઝૂલી રહ્યું છે. ત્યાં એના પારણેથી એને ન વછોડવા કહે છે. પ્રબોધરાય ભટ્ટે “સગત પિતાને' (અંતરીક્ષ)માં પિતાના અંતિમ દર્શન ન કરી શકનાર પુત્રનો વલોપાત વ્યક્ત કર્યો છે. ફરતા વીંટળાયેલા સ્વજનસહિતનો, ચંદનચર્ચિત, ફૂલેવીંટ્યો દેહ જોવા ન મળ્યાનો કવિને રંજ છે. “પિતાની છબી' કાવ્યમાં પણ 15 કાર (પિતાના મિત્ર) છબી લેવા આવતાં, સુકુમાર સંવેદનશીલ છબી માને મળતી ન હોવાની વેદના વ્યક્ત થઈ છે. બાના અંતરમાં રહેલી પિતાની છબી ફોટોગ્રાફર શી રીતે ઉપસાવી શકે? બે પંક્તિના કિરણતા' કાવ્યમાં વર્ષાના અકાળ મૃત્યુનો સંદર્ભ વણાયો છે. જગતને ઠારવા જન્મેલું અમૃત સૃષ્ટિના તાપથી પોતે જ આમ સળગી ગયાની વ્યથા વ્યક્ત થઈ છે. કવિ ગોવિંદ સ્વામી (64/1921 જન્મ 5/3/1944 અવસાન)ની કલાત્મકતા અને વેદનશીલતાને સુંદરમે બિરદાવી છે. શાશ્વત આનંદમાં નિર્વાણની તેમજ અમૃતની પ્રાપ્તિ માટે કવિનું મથન ચાલુ જ હતું. સુંદરમ કહે છે તેમ સાચે જ આ કવિને એમનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust