________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 188 નાયિકા આંસુને પાછા વળવા કહે છે, કારણ આંસુને લૂછનારો તો સદા માટે ચાલ્યો ગયો મગનલાલ ભૂધરભાઈ પટેલ ‘પતીલ'ના કાવ્યસંગ્રહ “પ્રભાતનર્મદા” (૩૧/૧૨૪૦)માં વર્ઝવર્થની ભૂસી ગ્રે'ના “ગુમ થયેલી ગુલાબ'ના અનુવાદ-કાવ્યમાં શરૂમાં કવિ સ્મશાન વર્ણન કરે છે. કાદવમાં ખૂંપી ગયેલી ગુલાબ અંતે એક કલ્પનારૂપે, સ્મરણરૂપે જ રહી હોવાનું કવિ કહે છે. “દરિયા પર નાવ ડોલતી' કાવ્યમાં મૃત્યુ પામનાર સ્વજનના બાકી રહેલા સ્વજનના આઘાતની પરાકાષ્ઠા એવી કરુણ રીતે વ્યક્ત થઈ છે કે, તેઓ મૃત્યુને નહિ, પણ મૃત્યુ પામનાર સ્વજનોને “નૃશંસ' કહી બેસે છે. કવિ મગનલાલ ભૂધરભાઈ પટેલ (પતીલ) પિત્રાઈ ભાઈ વૃજલાલના અવસાન બેચેન બનતાં ‘વિષાદ' નામનું કાવ્ય આપે છે. મિત્ર સમા ભાઈના મૃત્યુની વેદના મગજને ખાલી બનાવી વિષાદજ અનુભવ -કરાવે છે. “સ્વજનવિરહ' કાવ્ય સદ્ગત સ્વજનોના વિયોગને કારણે સોહામણું સ્વવાર સરકી ગયાની અનુભૂતિને તીવ્ર રૂપે રજૂ કરે છે. કવિ કહે છે “દીઠા કદીય આવતા, કબરમાંથી પત્રો તમે ? તો મિત્રાવસાને મૃત્યુવત્ વેદનાનો અનુભવ “દીઠો મેં દોસ્તને મારામાં રજૂ થયો છે. જીવતાં જીવત જાણે કફન અને જનાજાનો અનુભવ થયો છે. કવિ શંકરલાલ પંડ્યા “મણિકાન્ત-કાવ્યમાળા' (1928 ઈ. સ.) પ્રગટ કરે છે. જે એમના હૃદયના ખળભળાટમાંથી ઊભી થઈ છે. નિર્ભાગી નિર્મળા યાને એક યુવકની કરુણાજનક પ્રેમકથા એમના જમાનાનું અતિ લોકપ્રિય થયેલું કથાકાવ્ય છે. નિર્મળા અને શશિકાન્તનો પ્રણય કરુણમાં પરિણમે છે. નિર્મળાની નવી માની ચડવીથી એના લગ્ન બીજે ગોઠવાતાં એ આત્મહત્યા કરવાનો સંકલ્પ કરે છે ને પોતાના લગ્નની કંકોતરી શશિકાન્તને મોકલે છે. જેમાં પોતે મૃત્યુ સાથે પરણવાની હોવાનો સંકેત આપે છે. શશિકાન્ત પણ બે વખત દેહ ત્યજવા પ્રયાસ કરે છે. અંતે એક વખત નદી કિનારે ભેખડ પરથી નદીમાં પડે છે. વિદ્યુતના ચમકારથી ચળકાટ જળમાં થઈ રહ્યો હે નિર્મળા ! એવું વદી શશિકાન્ત જળવાસી થયો” 8 ને ગામમાં એની પથ્થરની સમાધિ ગામલોકો ચણાવે છે. કવિ નલિન મણિશંકર ભટ્ટ ૧૯૩૨માં “નલિનીપરાગ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. વીજળીની જેમ થોડુંક અલપઝલપ ઝબકી થોડું જીવી વિસ્મૃતિમાં ધરબાઈ ગયેલી પ્રિયાની શોધ કરતો નાયક મૃત્યુને ઉદ્દેશી કહે છે. ક્યાં છુપાવ્યાં મરણ વદ ને અસ્થિશેષો પ્રિયાના” ? 36 મૃત્યુ પર પ્રિયાના અસ્થિશેષ છુપાવ્યાનો આરોપ કરાયો છે. “ક્યાં ગઈ તું એકલી'? માં પણ પ્રિયતમને છોડીને ચાલી ગયેલી મૃત્યુ પામેલી પ્રિયતમાનો ઉલ્લેખ છે. ‘વિલાપ'માં પ્રિયા ચાલી જવા છતાં એની જીવંત પ્રતિકૃતિ બધે જોવા મળતી હોવાનો સંતોષ વ્યક્ત થયો છે. પ્રિયાના મૃત્યુએ હૃદયમર્મ તૂટ્યા હોવા છતાં જીવન કરતાં મૃત્યુને વિશેષ પ્રેમસભર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust