SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 187 સરતાં અશ્ર પ્રગટે છે, પાછા શમે છે. પાછાં સરે છે. “ખંડ-૨'નાં “અધ્ય', “શ્રાદ્ધ' અને શ્રદ્ધાંજલિનાં કાવ્યો પણ સદ્દગત પત્નીને જ અર્પણ થયાં છે. “જન્મતિથિ' પણ પરોક્ષ રીતે સદ્ગત પત્નીને અંજલિ આપતું કાવ્ય છે. જનાર જાય પછી હયાત રહેનારની વ્યથા અકથ્ય હોય છે. પોતાના હૃદયનો વલોપાત મૃત પત્નીને શી રીતે દેખાડી શકવાનો એ પ્રશ્ન સંદેશામાં વ્યક્ત થયો છે. તો અહીં રહેલાં સ્વજનોનાં ઉન્ડાં ઝાંખમાં આંસુ રખે પત્નીને દેવદર્શનમાં બાધારૂપ બને એની ચિંતા “પરલોકનાં પ્રયાણ'માં વ્યક્ત થઈ છે. દેવપૂજા કરવા બેસતી વખતે પણ સદ્દગતનાં સ્મરણો જાગી ઊઠતાં વિષાદજન્ય અથુ ઉભરાતાં સમાધિમાં એકરૂપ બનતાં, એ અશ્રુ પ્રભુ માટેનો પ્રસાદ બની રહે છે. હજુ આ બધાં દુ:ખ ઓછાં હોય તેમ પુત્રનું અવસાન થાય છે. જે પ્રથમ શોકને વધુ ઘેરો બનાવે છે. સદ્ગત પુત્રની સૌમ્ય અને રમ્ય મૂર્તિને તેઓ યાદ કરે છે. દેશળજી પરમારે (જન્મ ૧૩/૧/૧૮૮૪/અવસાન-૧૯૬૬) ૧૯૧૧માં પત્નીનું અવસાન થતાં સદ્ગતાની સ્મૃતિમાં “મણિમંદિર' નામનો પચાસ રાસનો એક સંગ્રહ તૈયાર કર્યો. “આ સતામાં કાવ્યનાયકને સ્મરણસંગે મૂકી વિપ્રલંભ કરુણને સર્જી ચાલી ગયાનો વિષાદ વ્યક્ત થયો છે. “સ્નેહને મૃત્યુ નથી હોતાં એવી શ્રદ્ધાય ક્યારેક ડગી જાય છે. પત્ની ચાલી જતાં પ્રીતની અમર ક્ષણ લુપ્ત થયાનું અનુભવાય છે. (‘અષાઢસ્ય પ્રથમ દિવસે') “સ્વપ્નમૂર્તિ' પણ સદૂગત પત્નીને જ અનુલક્ષીને લખાયું. એકાએક કોઈ રજતવરણી વિસ્તરતી દેવદૂતી પાંખો મઘુતિ પ્રકાશતી અનુભવાય છે. પણ એ સ્વપ્નભોમમાંથી જાગ્રત થતાં જ વાસ્તવનું ભાન થાય છે. “સહચરીને'માં પણ સદ્ગત પત્નીનાં સ્મરણોની દાહકતાના અનુભવની કવિ વાત કરે છે. માતાના અવસાને વ્યાપેલી હતાશાની વાત કવિ કાલિંદીમાં કરે છે. ૧૯૨૨માં બાળપુત્ર પ્રવીણના અવસાન નિમિત્તે લખાયેલા “સપ્તર્ષિને આરે' કાવ્યમાં વસુંધરાને આપેલો એ બાળ જાણે મૂઢ બનેલા પિતૃહૃદયને “બાપુ” કહી જગાડતો હોય એવી અનુભૂતિ એમને થાય છે. પુષ્પસમાં બાળકના મૃત્યુ પછી પિતૃહૃદય સૂનું બન્યું છે. મૂગાં બનેલાં ફૂલ જાણે કવિથી રિસાઈ ગયાનું તેઓ કહે છે. લાડે રમાડું બાળ મીટ ભરો મીઠડી નીંદરને ઘેન, કેમ ઝડપાઈ ગયાં ફૂલ મારાં રિસાઈ ગયાં."૩૬ કવિતામાં જ્યાં જયાં સ્વાનુભૂતિની સચ્ચાઈ આવી છે. ત્યાં એ વિશેષ અસરકારક બની છે. રમણલાલ વસંતલાલ દેસાઈ (182/1954) 1935 ડિસેમ્બરમાં નિહારિકા કાવ્યસંગ્રહ આપે છે. “વિધવા' કાવ્યમાં સ્વજન મૃત્યુએ ઉદ્વિગ્ન બનેલી સ્ત્રીની મનોવ્યથા પ્રગટ થઈ છે. પોતાના હૃદયને ઉદેશીને એ કહે છે હવે તને ધડકવું શું ગમે?” વિધવાનાં અશ્રુનું કવિ અહીં સુંદર વર્ણન કરે છે. “આકાશે નથી વાદળી નવ હજી વીતી ગઈ રાત્રિ વાત . ક્યાંથી આ સમયે તુષાર P.P.AC. Gunratnasuri M.S. સરીખાં ભીનાં ખરે મૌક્તિકો” 30 un Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy