________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 185 દીવો જરા પણ ઝાંખો થયો નથી. ઠેલી દીધો સમુદ્ર’ બહેનના મૃત્યુ આઘાતને વર્ણવતું ચોટદાર મુક્તક છે. ઘા ઉખેળી ફરીથી મુજને ઠેલી દીધો સમુદ્ર” 33 ‘તારિકા” કાચી વયે મૃત્યુ પામેલી બહેનની સંસ્કૃતિને વાચા આપે છે. “હજુ ક્ષિતિજે ઊગે ન ઊગે ; સ્થિર થાય આભમાં, ને થાય ત્યાં તારિકા અણચિંતવી ક્યાંક સરી ગે ને નભની નિહારિકાને સૂની કરી ગઈ” 34 સ્મરણોને દૂર કરી શકાતાં નથી. સ્મરણના ડંખ રહી રહીને પીડા આપે છે. આયુષ્યની વીશી વટીને બીજીમાં હજુ પ્રવેશ માત્ર કર્યો. તે ઈર્ષાળુ ભાગ્યે બહેનને લઈ લીધી. જેનું કરુણઘેરું નિરૂપણ “સગતબહેનને'માં વ્યક્ત થયું છે. ૧૯૫૯માં મોઢા “આરત' કાવ્યસંગ્રહ આપે છે. સદ્ગત ભગિનીને બહેનના મૃત્યુની સ્મૃતિથી થયેલા ચિત્તક્ષોભમાંથી રચાયેલું સામાન્ય કાવ્ય છે. જો કે એની અભિવ્યક્તિ કાર્યની ઊંડી ધારાથી રસાદ્રિ બની છે.” “મૃત્યુનો તાર ત્રાટક્યો’ શબ્દો વિધિના ક્રૂર પંજાને યથાર્થ રીતે ચિત્રિત કરે છે. “તૃષા' કાવ્યસંગ્રહમાં દેવજી મોઢા મૃત્યુજન્યવિરહપીડાની કવિતાઓ તો આપે જ છે. પણ કવિતા દ્વારા સ્વર્ગવાસી પત્નીની વિરહાકુલ દશાને પણ સચોટ રીતે આલેખે છે. પત્નીના મૃત્યુજનિત વેદનામાંથી રચાયેલી કવિતા-માંનો મૃત્યુલોક અને સ્વર્ગલોકને સાંધતો વિરહ, કવિકલ્પનાના બળે અવારનવાર સંયોગ' બની રહે છે. પ્રિયતમાને બોલાવવા છતાં એ ન આવતી હોવાથી વ્યક્ત થતો મીઠો રોષ અંતે કરુણનો જ પર્યાય બની રહે છે. “કલહમાં સદૂગત પત્નીને યાદ કરી સ્ત્રીઓના રીસાળ સ્વભાવની નોંધ લેતા કવિ પ્રિયતમાના દ્રગ-જલ અને રોષ છણકાને લીધે જીવતર મધુર બન્યાનું કબૂલે છે. જનેતા, ભગિની, દાદીમા, પુત્રી.... સૌને અગ્નિમુખનો કોળિયો થતાં જોયાં, ને એ ઓછું હોય તેમ ઓચિંતી પત્ની પણ મૃત્યુમુખે હોમાઈ. ને વધુ એક ભડકો” સદ્ગત પત્નીને ચંદન કાષ્ઠનું દહન ન આપી શક્યાનો વસવસો કવિને હંમેશ રહ્યો. (‘એકલો) પત્નીના અવસાને વ્યથિત બનેલા કવિ આત્મદર્શન કરે છે. પત્નીને કાંટો વાગતો, તોય કકળી ઊઠતું કવિ હૃદય વહાલીને જલતી ચિતામાં, પ્રજળતી શી રીતે જોઈ શક્યું? કવિની કલ્પના તથા ભ્રમણાની પરાકાષ્ઠા તો ત્યાં છે કે પત્ની ઘેર આવી પતિની આંખો દબાવી “કોણ હું? એવો પ્રશ્ન કરે છે. ને સ્પર્શધ્વનિ, મહેક વગેરેને ઓળખી લે છે. સદૂગત પત્ની આવે છે ત્યારે પતિને જે આનંદાનુભવ થાય છે, એનું કાવ્યમય વર્ણન આવી ગયાં તમે? માં કવિએ કર્યું છે. અલબત્ત આ બધું સ્મરણ કારુણ્ય જ છે. “કો કેસૂડાં સમ ખાખરે આવી ગયાં તમે કોળ્યાની જેણે આણ તે આંબોય મહોર્યો, એનેય થઈ શું જાણે કે આવી ગયાં તમે ?" 3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust