SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 184 બિરદાવે છે. બા ગઈ જ ન હોય, એવો અનુભવ પણ થાય છે. - કવિ કરસનદાસ માણેક (1912-1980) ૧૯૩૫માં “આલબેલ' પ્રગટ કરે છે. જેનું પ્રથમ કાવ્ય “ખાખનાં પોયણાં' વિશિષ્ટ તત્ત્વદર્શનનું કાવ્ય છે. દાંપત્યજીવનનો ભૂતકાલીન સંસ્મરણો તથા પત્ની જતાં વ્યાપેલી વેરાનીને વિષાદધેરી કલમે કવિએ વાચા , આપી છે. પત્નીના દેહવિલયનું વર્ણન કાવ્યમય છે. વરણ, વાસ, કુમાશ મહિં સરી જયમ ગુલાબ વિભક્ત થઈ છુપે શશી ગળી નિજ ચાંદનીમાં મળે દ્રવી, ભળી, સખિ, તેમ અવ્યક્તમાં” 31 સગુણ સ્વરૂપને અમૂર્તમાં ત્યજી દઈ એ અનંતવિહારિણી સખી અગમ્યમાં અદશ્ય થઈ ગઈ. સદ્ગત પત્નીને ઉદ્દેશી તેઓ કહે છે. “જીવનમાં જગવી ઘનવેદના ઘટતું ના જવું, જીવનસાથિની” 32 કરસનદાસ માણેક જનારાને જાવા દેજોમાં મૃત્યુ પામતા સ્વજનને જવા દેવાની વાત વ્યથિત હૈયે કરે છે. હૃદયને ચૂપચાપ ચીરાવા દેવાનું. નયનમાં અશ્રુ નહિ લાવવાનાં, * વાણીને ધ્રૂજવા નહિ દેવાની, જરાય ઢીલા નહિ થવાનું. પ્રાણપુષ્પની પાંખડી છાનામાના જ છેદાવા દેવાની. કાળજે કાપા પડે તોય નીરવમાં એકલા ઝુરાપો જીરવી લઈ જનારને કઠણ હૈયે વિદાય આપવાની. ૧૯૧૪માં જન્મેલા કવિ શ્રી પ્રેમશંકર ભટ્ટ 29/43 ના દિવસે “ધરિત્રી' સંગ્રહ પ્રગટ કરે છે. એક નવયુવાનનું મૃત્યુ થતાં આઘાત પામેલું હૃદય મૃત્યુ પામનારનાં સ્વજનોની વેદનાને વાચા આપે છે. બે કંકણો નંદવાતાં જેનું હૈયું જ નંદવાઈ ગયું છે, એ શી રીતે વ્યથાને શમાવશે ? એકાદ ક્ષણ ઇન્દ્રરેખામી પ્રગટી ને પછી લુપ્ત થઈ ગયેલી, મૃત્યુ પામેલી નાનકડી દીકરીને ઉદ્દેશી “ઉપરતા' કાવ્ય લખાયું. કાવ્યની કોક કોમળ કલ્પનાની જેમ તેઓ એને વ્યક્ત કરવા ચાહતા હતા. ત્યાં તો એ જ ક્ષણાર્ધમાં ઘર તેમજ બે ઉર (માતપિતાને) સૂનાં કરી ગઈ. “ફલ્થને'માં પિતૃભક્તિ તથા નદી પ્રત્યેની મમતા વ્યક્ત થઈ છે. પિતાના મૃત્યુ સમયે, પિતાનું મોં પણ ન જોઈ શક્યાનો વલોપાત અહીં વ્યક્ત થયો છે. પિતાના અગ્નિ સંસ્કારનાં વેધક સ્મરણો સાથે સંકળાયેલ હોવાથી ‘ફલ્થ” નદી, કવિ માટે “તીર્થધામ બની ગઈ હતી. દેવજી. રા. મોઢાની કવિતામાં (‘શ્રદ્ધા') જિંદગીને અર્થવતી અને મૃત્યુને મૂલ્યવંતુ કરવાનો ઉત્સાહ છે. પ્રિય સ્વજનના મરણનો ભાવ હૃદયસ્પર્શી રીતે આલેખાયો છે. પિતાના મૃત્યુનો શોક પોતાનાં સંતાનો થતાં, એમણે દાદા ગુમાવ્યાની પ્રતીતિ સાથે ગિણતર બને છે. તો “મારી માતા આવી ગઈ યાદ જેવા સાદા સરળ વચનમાં મૃત જનનીના સ્મરણથી જાગૃત થતી શોકવૃત્તિનો આછોઘેરો રંગ પુરાય છે. બેનીના મૃત્યુનો ઘા તો વળી ખૂબ જ અસહ્ય બને છે. શોકની પરાકાષ્ઠા છતા “સદાય હસશું અમે, રસશે જિંદગી હાસ્યથી' એવી પ્રતિજ્ઞાને ભૂલતા નથી. “કેવડી ખોટ' સદૂગત પિતાને ઉદ્દેશી લખાયેલી કરુણપ્રશસ્તિ છે. ઘણાં વર્ષે પિતાનું મૃતિ કાવ્ય લખવા બેઠેલ કવિનો સ્મર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy