________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 183 આમ્ર, ને હતપ્રભ સરોવર જેવી બને છે. ૧૯૬૧માં બેટાઈ “તુલસીદલ' લઈને આવે છે. કૂલ અગનમાં બળે' (૧૨/૫/૫૮)માં પ્રતીકાત્મક રીતે ભૂતકાળમાં મૃત્યુ પામેલા બાળકની મૃતિને વણી લેવામાં આવી છે. “અરે કાં ફૂલ અગનમાં બળે'? કહી વિષમ વિરોધ દ્વારા વેદનાની પરિસીમા કવિએ બતાવી છે. ૧૯૬૯માં કવિ બેટાઈ વિશેષાંજલિ' પ્રગટ કરે છે. કવિની લાડલી પૌત્રી વ્યંજના વિશે અહીં વધુ ભાવસભરતાથી લખાયું છે. તો પત્ની મૃત્યુ તો કવિની વેદનાની પરાકાષ્ઠા છે. “શ્રાવણી ઝરમર'માં “સખી હૃદયમંડના'માં પત્ની સાથેના દાંપત્યસહવાસનાં ભૂતકાલીન સંસ્મરણો વાચાબદ્ધ બન્યાં છે. પત્નીએ મૃત્યુબાદ સ્વર્ગમાં કદાચ નવું જગત વસાવ્યું હશે, પણ અહીં તો કવિની એકલતાનો પરિતાપ આકારાયો છે. સુંદરજી બેટાઈના કાવ્યસંગ્રહ “ઈન્દ્રધનુ'ના “પ્રણયમંગલ' વિભાગનાં બધાં જ કાવ્યો સ્મરણાંજલિ કાવ્યો છે. જનની જતાં પ્રેમવાત્સલ્યની પરમદોર તૂટી ગયાની વેદના “જનની કાવ્યમાં વ્યક્ત થઈ છે. જ્યોતિર્મયી જનની માં માતૃજયોતિના સાક્ષાત્કારે નયનની ધન્યતાને વાચા આપવામાં આવી છે. સગત માતાનું ભાવદર્શન વેદના નહિ સંતોષ આપે છે. “અંધશ્રદ્ધાના શ્રાદ્ધ'માં અસ્ત પામતો ચંદ્ર જાણે પુણ્યશાળી પિતૃના આત્માના પિંડનું પ્રતીક બની રહે છે. ગોદાવરીના ગંગાશા માંગલ્યમય પ્રવાહમાં એમને તેમય મૂર્તિનાં દર્શન થાય છે. “વત્સલ વાઘેર' ઓખામંડળની વાઘેર જાતિના એક પુરૂષના અવસાન સ્મરણ સંદર્ભે ભાવાંજલિ અર્પતાં સદ્ગતના આત્માનાં પ્રેમનીર વત્સલભાવે શાશ્વતરૂપે ભીંજવતા હોવાની અનુભૂતિ વ્યક્ત થઈ છે. પોતાની દોઢ જ વર્ષની વયે મા મૃત્યુ પામવાને લીધે માનું કોઈ સ્મરણ કે છબી ન હતાં. માની માર્દવ ઘડેલી નિષ્પાપ ઉરભાવનાઓ કેવી હશે? એ વિચારે કવિ નિરાશ થતા. પણ પછી તરત હૃદયની શ્રદ્ધા કહેતી, મત્યત્વનાં બંધન તૂટશે ત્યારે અનંતસાગરે ભળેલી માનું દર્શન જરૂર થશે. ૧૯૦૮માં જન્મેલા તથા 13 જાન્યુઆરી ૧૯૯૧ના રોજ અવસાન પામેલા કવિ સુંદરમે સ્વાતંત્ર્યોત્સાહ તથા શહીદોની સ્મરણાંજલિને તેમનાં કાવ્યોમાં કેન્દ્રસ્થાને મૂક્યાં છે. જો કે ઉત્તરાવસ્થામાં પછી તેઓ ગાંધીદર્શનમાંથી નીકળી અરવિંદ દર્શનમાં પ્રવેશે છે. “ગઈકાલે'માં પત્ની વહેલી અવસાન પામતાં જીવનનો સઘળો સાર ગુમાવી બેઠેલા કાવ્યનાયકની વ્યથિત મનોદશા વ્યક્ત કરી છે. ધનયુગનો સ્થિતપ્રજ્ઞ'માં (“વસુધા') અમીરી, ગરીબી, જીવન-મૃત્યુ, શોક બધાથી અલિપ્ત રહેનાર સ્થિતપ્રજ્ઞ શોફરની દારુણ ચિત્તસ્થિતિનું વર્ણન હૃદયસ્પર્શી છે. નાના કલ્લોલતા પંખીસમા બાળકની અંતિમ પ્રયાણની - ઘેરી વ્યથાયુક્ત વાત મૃત્યુની કરુણતાને આલેખે છે. સ્વજન મૃત્યુ ક્યારેક સ્મરણરૂપે ઊભરે છે. “અનુદીકરી' કાવ્ય દીકરીના અવસાનને ઘણો સમય વીતી ગયા છતાં ઊભરતાં સ્મરણો સત દીકરીની મૂર્તિને તાદ્રશ કરે છે. - કૃષ્ણલાલ શ્રીધરાણી (1911-1960) ગાંધીજીએ જગવેલ સ્વાતંત્ર્યનાદને કવિતાના પાત્રમાં ઝીલે છે. “મારી બા' શ્રીધરાણીનું લાગણીસભર ભાવદર્શન કરાવતું કાવ્ય છે. ઉષાસંધ્યાને જોતાં કવિ સ્મૃતિના અધે ચડે છે. માટે તેઓ “માતૃત્વની કવિતા' કહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust