________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 181 “રુદનની મુખથી હળુ બે કડી સરી અને જલ ઓઠ પરે વહ્યાં નવ જીવું અવ કાળ વધુ અહીં” 24 જનનીના ઉચ્ચારોને મૂઢ પુત્ર સમજી શક્યો નહતો. માતાના દેહના ભસ્મરાશિને લઈને વહેતી પૂર્ણા નદીને કિનારે ઊભા રહી કવિ સ્મૃતિઓમાં ખોવાઈ જાય છે. “કયા નિધુર યમદૂત આવી ચેતન ચોર્યું જીવનકેરું ધીમે ધીમે મૃત્યુવેશે”૨૫ - કવિ રતુભાઈ ૧૯૮૧માં “સાસુમાની ઝાલરી' નામનું એક અંગત શોકપ્રશસ્તિ કાવ્ય લખે છે. ૧૫૧૦/૭૯ના રોજ સાસુમા “ઝીણીબેન દયાળજી વશી'નું અવસાન થયેલું 15 1080 પ્રથમ નિર્વાણદિને કવિ આ રચના કરે છે. કવિ સ્નેહરશ્મિને આમાંની પ્રત્યેક કૃતિ આત્મીયતાના સ્પર્શથી ધબકતી લાગી હતી. સાસુમાના અગ્નિસંસ્કારનું વર્ણન કાવ્યમય ભાષાને લીધે કરુણમધુર ભાવ જન્માવે છે. “સાસુમાની અર્થી મૂકી નીચે, રચી ચેહ સીંચ્યા કાષ્ઠ, નેને શ્રાવણના મેહ મૂક્યાં થોડાં ચંદનના કાઠ કર્યા ધૃત કેરા લેપ” 24 એ કંચનકાયાને ચિતા પર મૂકી, શાંતિપાઠ ઉચ્ચાર્યા ને પછી અધ્ય આપ્યાં. “અને અંતે અરે ભસ્મ બન્યો દેહ થઈ શાંત ને શીતલ વિપુલ વિપુલ જલરાશિ થકી ચેહ” 27 ૧૯૮૬માં રતુભાઈ યાત્રાપથનો આલાપ' કાવ્ય પુસ્તક પ્રગટ કરે છે. જે સમગ્રપણે તત્ત્વજ્ઞાનની કવિતા બની રહે છે. પરિણામે એમાં “કરુણ' ને સ્થાન જ નથી. તો “ખંડેરનો ઝુરાપો' પત્ની મમતા દેસાઈની પ્રથમ પુણ્યતિથિએ પ્રકાશિત થાય છે. કવિ પત્નીનો જન્મ 2271914 તથા અવસાન ૧૧ર/૧૯૮૯ના રોજ થયાં. “ખંડેરનો ઝુરાપો'માં પત્નીના મૃત્યુથી થયેલા અંગત શોકને સર્વજનીન બનાવવા પ્રયત્ન કરાયો છે. ખૂબ અશ્રુ વહાવ્યાં બાદ સ્વસ્થ બનેલું કવિચિત્ત મૃત્યુ વિષેના નિષેધાત્મક વિચારો ત્યજી દે છે. કવિની જીવનપ્રતિમાને દેહપ્રાણે બાંધી ખભે લઈ ક્ષણાર્ધમાં એ મૃત્યુદૂત આંચકીને અલોપ થઈ જાય છે. તેથી દુઃખ અને આક્રોશ છે. કવિ મૃત્યુને ભિક્ષુક જ નહિ, મહાભિક્ષુક કહે છે. મૃત્યુનું દાપુ રોજ કેટલું ચુકવવું ? ૧૯૩૭માં અમીદાસ કાણકિયાનો “દીપશિખા’ નામનો કાવ્યસંગ્રહ બહાર પડે છે. ક્યાં જનની શોધે ?' કાવ્યમાં મૃત બાળકને ખોળામાં લઈ એને કપાળે ભાવભર્યું ચુંબન કરતી માતાનું હૃદયસ્પર્શી ચિત્ર કવિએ આપ્યું છે. “પૃથ્વીના પાલવમાં પોઢે અંગે ફૂલની ચાદર ઓઢે હાસ હતું કે તેના મોઢે 1 ક્યાં જનની શોધે ?" 28 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust