________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 180 સમાચારે રામને વનમાં મળવા જતા ભરતને પિતાની સ્વસ્થતા વિશે પૂછતાં ટપટપ ખરતાં ભરતનાં અશ્રુ તથા માતાઓનાં શ્વેત વસ્ત્રો જોઈ હચમચી ઊઠતા રામના હૈયાને કવિએ સુપેરે વ્યક્ત કર્યું છે. “વત્સલ ઓ પિતા માટે નિમિત્તે ત્યજ્યો જ દેહ” " કહેતા રામનો વિલાપ હૃદયદ્રાવક છે. પૂજાલાલ દલવાડીએ (જન્મ. 1901, અવસાન 27 ડિસે. 1985) “ઇસુજન્મ મહોત્સવમાં એ પરમવિભૂતિને જડ જગતે પીવડાવેલા મરણ નિમિત્તે વ્યથા અને ઉગ વ્યક્ત કર્યા છે. તો મૃગના મૃત્યુ અંગેનો વિષાદ “મૃગ મુંડક જોઈને'માં વ્યક્ત થયો છે. મૂર્તિમંત માર્દવ પર મરણની છરી ફેરવનારનું હૃદય કેમ ન દ્રવ્યું? એ પ્રશ્ન કવિચિત્તે ઊઠે છે. “મારા સદ્ગત પિતાજીને શ્રદ્ધાંજલિ (પારિજાત) પૂજાલાલનું એક સુંદર તર્પણકાવ્ય છે. પિતાશ્રીના અવસાન સાથે વહાલનો ગાજતો ટુકડો શમી ગયાની વેદના વ્યક્ત થઈ “અગ્નિના ઓજમાં આખા એ હવે ઓગળી ગયા” 9 પિતા જતાં કવિનું કુટુંબ ઉપવન ઉજ્જડ બને છે. આ “થીજેલાં ઓગળી આંસુ, ટૂંઢે પ્રેમલનાં પદો” 20 કવિ બ. ક. ઠા. એ પ્રવેશકમાં આ કાવ્ય વિષે લખ્યું છે “આખી કૃતિ એવી તો સંશ્લિષ્ટ છે કે, કાપકૂપમાં અવતરણો આપવાં ન જ ગમે. આખી જુઓ, અને જોતાં જોતાં એક, વર્ષોથી જાણીતા કાવ્યની સાથે તુલના પણ આપોઆપ સ્ફરવાની.” - એજ રીતે પૂજાલાલનું “દાદા' કાવ્ય પણ એક અનોખું તર્પણકાવ્ય છે. વિપુલ વડ જેવા દાદાની સ્મૃતિઓને મન ભરીને અહીં વાચા અપાઈ છે. બાળકોનાં દુઃખાશ્રુને આનંદમાં પલટાવી દેતા દાદાજીનું સુંદર ચિત્ર કવિએ આપ્યું છે. - “હથેળીમાં લઈ અમારું મુખ અશ્રુભીંજયું - દ્રવી સ્વયં ગદ્ગદ્ કંઠ ચૂમતા” 2 દાદાના એકેક સ્મરણે કવિહૃદય દ્રવે છે. ગળ્યો કાળાધિના કારણે જળમહીં મહાડુંગર ગળ્યો” 23 નાનીબહેન' વિશેના કાવ્યમાં પૂજાલાલનો ભગિનીભાવ આદ્રતાપૂર્વક વ્યક્ત થયો છે. (‘સોપાનિકા' તો “ચિરંજીવ સ્મૃતિમાં પણ સદૂગત બહેનના જૂઈના પુષ્પ જેવા મધુર સ્મિતભર્યા સુકોમળ વદનને ન વિસરી શકવાની વાત વ્યક્ત થઈ છે. “સુખે સિધાવો' પણ સ્વજનની અંતિમવિદાયનું કાવ્ય છે. જનારને કવિ સુભાગી ગણે છે. “જ્ઞાન” વિદાય આપવા કહે, ને “ઉર' ના પાડે. ૧૯૦૮માં જન્મેલા કવિ રતુભાઈ દેસાઈએ જેલમાં માના મૃત્યુના સમાચાર સાંભળી “જનની નામની શોકસંહિતા રચી, જે મિત્રના આગ્રહથી ૧૯૪૦ના નવેમ્બરમાં પ્રગટ થઈ. જેને તેઓ શોકપર્વની “ઉજવણી' તરીકે ઓળખાવે છે. કવિ અહીં સાદી અને સંયમિત વાણીમાં પોતાની લાગણી વ્યક્ત કરે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust