SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 178 એ નાજુક મધુરતા મૃત્યુ સ્પર્શે અળપાઈ ગઈ. શ્વાનના રુદનસ્વર, સ્વજનમૃત્યુની એંધાણી આપે એમ મનાય. જે રાત્રિની શાંતિ જ નહીં જીવનની શાંતિનેય ડહોળી જાય. પુત્રી ઉમાનું મૃત્યુ કવિની ઊંઘને હરામ કરી દે છે. પેલા શ્વાને (મૃત્યુદૂત) બધું વિખેરી નાખ્યું. ૧૯૭૪માં “અતીતની પાંખમાંથી' નેહરશ્મિ પ્રગટ કરે છે. કવિને પોતાનો જીવનરવિ અસ્ત થતો ભાસે છે. પોતાના આવી રહેલા મૃત્યુનો સંકેત “અધ્ય કોને ? માં વ્યક્ત થયો છે. “પાનખરમાં ઉમા જતાં કવિના જીવનમાં વ્યાપેલી એકલતા વ્યક્ત થઈ છે. “વિજન વાવપણ કવિના ખાલી જીવનનું પ્રતીક છે. ઉમાના અવસાન પછી માનવની પામરતાનો, ને કાળના શાસન તથા વર્ચસ્વનો અનુભવ થઈ ચૂક્યો છે. “શાના આ ઉધામા ? માં દીકરીના મૃત્યુના આઘાતથી ભાંગી પડેલા કવિના થાકઅનુભવને વાચા અપાઈ છે. સાગર કિનારે દૂર દૂર જતી દીકરીની પગલીઓ જોઈ કવિ એને થોભી જવા કહે છે. પણ એ નથી થોભતી. મૃત્યુ પામનાર વ્યક્તિ અને હયાત રહેનાર બંને ગમગીનીનો અનુભવ કરે છે. ગમે તેટલી સમજણની વાતો કરીએ કે તત્ત્વજ્ઞાન ડહોળીએ પણ માનવમન, સંવેદના એવાં છે, કે જન્મ એને હર્ષ આપે, ને મૃત્યુ વેદના. “લેખા” કાવ્યમાં કવિ વ્યવહારૂ વાત લઈને આવે છે. મૃત્યુ પામનાર રોગમુક્ત થાય છે. પાછળ રહેનાર વેદના અનુભવે છે. ૧૯૮૪માં કેવળવીજ' પ્રકાશિત થાય છે. સિતાંશુ યશશ્ચંદ્ર લખે છે. “ગુજરાતીમાં ખરું હાઈકુ-સ્વરૂપ તો આવ્યું શોકને શ્લોકત્વ અર્પવાના સ્નેહરશ્મિના પ્રયોગોમાંથી, હાઈકુના સ્વરૂપની શક્તિ છે કે મૃત્યુ પરનાં કાવ્યો પણ ચીલાચાલુ ચિંતનથી ખરડાવામાંથી બચી જાય છે. રહે છે કેવળ ભાવસ્પંદન ભર્યું કલ્પન.” * એક તરફ મરણની ફરી ફરી થતી વાત. બીજી તરફ કિશોરી યુવતીના દેહમનના ઓરતાઓમાં ને મોહકતામાં છલકાતો જીવનનો ઉત્સવ. આ બે સ્નેહરશ્મિના હાઈકુકાવ્યના થીસીસ ને એન્ટિથિસીસ” પખ કવિને જન્મદિવસમાં હવે આમ તો કોઈ રસ રહ્યો ન હતો. પણ જીવનપથ થોડો ટૂંકાયાની પ્રતીતિ થોડીક રાહત આપે. કવિનું જીવન ઉમાના મૃત્યુ પછી સૂકાં પર્ણ જેવું, અંધારી રાત જેવું વેરાન બન્યું. ને રસ્તો વિજન, વેરાન, ને સૂમસામ. ૧૯૮૪માં પ્રગટ થયેલ “નિજલીલા'ને શ્રી યશવંત શુક્લ નિર્મુક્ત અભિવ્યક્તિ' તરીકે ઓળખાવી છે. ઘરના મોભે આવીને બેઠેલા કોક અજાણી ભોમના પંખીમાં દીકરી જ નવારૂપે આવી ચડ્યાની પ્રતીતિ, કવિને થાય છે. ઈન્દ્રધનુની ઝાંયથી ચમકતાં તેજલ ચીર એણે પહેરેલાં દેખાય છે. “ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ' સંગ્રહ પણ ૧૯૮૪માં પ્રગટ થાય છે. ધીરુભાઈ પરીખ નોંધે છે એ પ્રમાણે “એમનાં મૃદુ અંગતોર્મિનાં કાવ્યો વધુ ચોટદાર બની આવ્યાં છે. સદ્ગત પુત્રીએ શિશુવયમાં એક વૃક્ષ પર કોતરેલ ફૂલ જોઈ જે કરુણમધુર સંવેદન કવિને જાગ્યું. તેનું થડ પરનું ફૂલ” નામના સુબદ્ધ સોનેટમાં અસરકારક નિરૂપણ થયું છે.” ૧૫-બ (644 સકલ કવિતા.) . “એ અપરમા”, “વિદેહ પુત્રીને', “પુત્રીને' જેવાં કાવ્યોમાં કરણની કલાત્મક નિષ્પત્તિનો આસ્વાદ પામી શકાય છે. “એક ઘવાયેલી પંખિણી'માં Mercy killing' (કરુણા પ્રેરિત હત્યા)ની કરુણઘેરી ઊર્મિ પણ સચોટતાથી નિરૂપાઈ છે.” * આ ગદ્યકાવ્યો Poetic Prose' ના કુળનાં છે. સ્વજનમૃત્યુથી થતી સ્વજનોની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy