________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 164 રાજભક્તિ સેવકે સ્વામી માટે આપેલા બલિદાનની ગાથા ગાય છે. “મૃત તનનું અમૃતમાં શહાદતનું અમૃત રગેરગમાં ભરી, ભારતને જીવાડવા એના સપૂતોએ મરી ફીટવું જોઈએ એમ કહી યુવાનોની રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહન આપ્યું છે. ગોવર્ધનયુગ અને અંજલિકાવ્યો ભીમરાવ દિવેટિયાએ “કસમાંજલિ કાવ્યસંગ્રહમાં (ઈ. સ. ૧૯૦૩-સં. 1959) કેટલાંક અંજલિકાવ્યો પ્રકટ કર્યા છે. મહાન સમાજસુધારક કરસનદાસ મૂળજીના અવસાનથી આઘાત પામી “કરસનદાસની ગરબી' (1870) કાવ્ય રચ્યું. કરસનદાસ જતાં રંક રખેવાળ ગયાનું તેમજ ગુજરાત સૂની થયાનું કવિ કહે છે. સુધારાબાગનો એ માળી જતાં તિમિર ફેલાયું ને છતાં કવિને શ્રદ્ધા છે કે સદ્દગતના અક્ષય મહિમાને કાળ ઢાંકી નહિ શકે. સને ૧૮૮પના મે મહિનાની ૭મી ને ગુરુવારે વડોદરાના મહારાજા સયાજીરાવનાં ધર્મપત્ની મહારાણી ચમનાબાઈના અકાળ અવસાન નિમિત્તે કવિ “સ્મરણચિન' નામનું શ્રદ્ધાંજલિ કાવ્ય લખે છે. જે એ જ વર્ષના જુલાઈ માસમાં “બુદ્ધિપ્રકાશ'ના અંકમાં પ્રસિદ્ધ થયું હતું. (“ભીમરાવ) - કવિ સંચિતે “ફાર્બસવિરહ'ના અનુકરણમાં શ્રીરંગધર સાથે “મહાબત વિરહ' નામના કાવ્યનું સંપાદન કરેલું. જૂનાગઢના નવાબ મહાબતખાનનાં ૨૯૯૧૮૮૨ના રોજ થયેલા ઈન્તકાલસંદર્ભે આ કાવ્ય રચાયું. કવિ કહે છે તેમનો ઇન્તકાલ થતાં સમસ્ત રાજ્યમાં ગમગીનીનું વાતાવરણ ફેલાઈ ગયું. તેનું બાહકીકત વર્ણન કરવાને બદલે વૃત્તિમય ભાવાભાસજન્ય કલ્પનામૂલક ગદ્યપદ્યાત્મક નિરૂપણ કર્યું છે. કવિ જટિલે હરિ હર્ષદ્ધવના અવસાન નિમિત્તે “સુહૃદમિત્રનો વિરહ અને તત્સંબંધિની કથા' નામનું એકસોદસ કડીનું અંજલિકાવ્ય લખ્યું. સ્વર્ગવાસી ગુર્જર વિદ્વાન હરિલાલ ધ્રુવ અંગેનું આ વિરહકાવ્ય છે. જેમાંના પ્રાપ્ત થયેલા પ્રથમ ખંડમાં કવિએ આપેલી આખા કાવ્યની ભૂમિકા જોવા મળે છે. આ ખંડ ‘વસંતતિલકામાં લખાયો છે. જેમાં સદ્ગતની ગુણસમૃદ્ધિનો ઉલ્લેખ છે. સાહિત્યલહરીના રસસરોવરે આ કવિને તરતાં એમણે શીખવેલું. એવા મીઠડા જીવનને મૃત્યુએ હણ્યાનો એમને ઘેરો વિષાદ છે. તો કવિ ન્હાનાલાલે કેટલાંક સુંદર અંજલિકાવ્યો લખ્યાં છે. કાશીરામ દવેને અંજલિ આપતાં ‘ગુરુદેવ'માં કવિએ સ્વર્ગ, વૈકુંઠ, અક્ષરલોકની પૃચ્છા કરી છે. સદ્દગતનું જીવન તથા મૃત્યુ બંને ઉજમાળાં હોવાનું કવિ કહે છે. “ઊધ્વગામીનું જવું ય ધન્ય લાગે છે એમને. સૌરાષ્ટ્રનો સાધુ'માં પઢિયારને અંજલિ આપતાં “સાન્ત તજી અક્ષરમાં તેઓ ગયાનું કવિ કહે છે. પઢિયારને “નિબંધ આત્મા' તરીકે તેઓ બિરદાવે છે. જ્યારે કવિ ન્હાનાલાલનું પિતૃતર્પણ' તો એક સર્વોત્તમ અંજલિકાવ્ય છે જ. પિતાના અવસાન પછી બાર વર્ષે લખાયેલા આ કાવ્યમાં કેન્દ્રસ્થાને “શોક' હોવાનું નિરંજન ભગતે કહ્યું છે. પિતાને પોતે અવગણ્યા” ને “અસત્કાર્યા તેના પસ્તાવામાંથી આ કાવ્ય જખ્યાનું પણ તેઓ કહે છે. આ જ કાવ્યમાં કવિ તેમના માતાને પણ અંજલિ આપે છે. શૈશવકાળમાં જ ગુમાવેલાં માતાનું હર્ષભર્યું હાસ્ય, કવિ ક્યારેય ભૂલ્યા ન હતા. પિતાને ધર્મમૂર્તિને માને “ભક્તિમૂર્તિ કહી તેઓ બિરદાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust