________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ.૦ 163 કેળા લૂમ શી ખીંટડિયાળી કેશાવલિવન્તા દ્રૌપદેયોનાં મસ્તકો પૃથ્વીખોળે પડ્યાં 88. (‘કુરુક્ષેત્ર') (આઠમો કાંડ “માયાવી સંધ્યા” પાનું. 36). પછીનું વર્ણન રૂદ્રભયાનક છે. કાળના કોળિયો સમો મસ્તક કુંભ રગડી પડ્યો” 189 (‘કુરુક્ષેત્ર) (‘માયાવી સંધ્યા' આઠમો કાંડ. પૃ. 43) વ્યાસજી કુરુક્ષેત્રને પરાજયની પરાકાષ્ઠા ગણે છે. “સંહાર વિના શું સંસાર જ ન નભે? પાંડુપુત્રોનો આ ત્રિકાળપ્રશ્ન દીવાલોને જઈને અથડાય છે. જેના જવાબરૂપે બ્રહ્મર્ષિ કહે “સંહાર એટલે નવસૃજન અને મૃત્યુ એટલે નવજન્મ.” ખબરદારે લખેલાં વીરકાવ્યોમાં યુદ્ધજન્ય મૃત્યુનો કે વીરોની શહાદતનો સંદર્ભ વણાયો છે. માટીનું મૂલ'માં વીરત્વની ગાથા ગાતાં ગાતાં કાયરને જીવતો મૂએલો, ને “રણશૂરો મરણે, રણધીર' કહી રણમાં મૃત્યુ પામનાર મરીને અમર બન્યાનો નિર્દેશ કવિ કરે છે. (“સંદેશિકા') “ભારતનો ટંકાર' (૧૯૧૯)નાં કાવ્યો મુખ્યત્વે વીરોની શહાદતનાં છે. “સ્વપ્ન' કાવ્ય શહીદોની આપવીતી ગાય છે. ભારતના જીવંત સપૂતોની સાથે જાણે મૃતવીરો પણ ઝઝૂમતા હોવાનું કવિ કહ્યું છે. “રત્નહરણ'માં ભારતમાતાના ગયેલા પુત્રો પાછા આવશે? રત્ન પાછું મળશે ? એમ કહી વીરના મૃત્યુ પર આંસુ સારતા માનવોની વાત કરી છે. “ગુંજનમાં ભારતમાં અનેક જન્મ લઈ વતનને માટે ખપી જવાની વીરોની તમન્ના વ્યક્ત થઈ છે. “શંખનાદ”માં દેશ માટે હાકલ પડતાં શૂરવીરોના રક્ત આભ સુધી ઉછાળવાની તથા કાયરોના મરસિયા તથા વીરોની વીરગાથા ગાવાની કવિ વાત કરે છે. “મરશું તો પણ ધન્ય બનીશું મૃત્યુ વિશે ક્યાં બેડી ?" 190 (“ભારતનો ટંકાર' પ૭) મૃત્યુને બેડી નહિ, પણ મુક્તિ માનતા વીરો મરીને ધન્ય બનવાનો અવસર શોધે છે. “શૂરવીરનાં રણસૂત્ર'માં દેહનો મોહ ન ધરાવતા વીરો, શરીર દેશ માટે અર્પવાના અવસરને ધન્ય ગણાવે છે. નવજીવનનાં આદ્યાન”માં શૂરાઓનું સ્નાન રૂધિરવાટે જ હોવાનો નિર્દેશ છે. “શૌર્યનાં સ્મરણ'માં શહીદ થયેલા શૂરવીરના શૌર્યને યાદ કરી વિરત્વને પ્રોત્સાહન આપનારાંઓને અંજલિ અપાઈ છે. “મય કાય'ને દેશ માટે કુરબાન કરવાનો અહાલેક કવિ જગાવે છે. ૧૯૪૦માં ખબરદારે પ્રગટ કરેલા “રાષ્ટ્રિકા' સંગ્રહમાં સ્વાતંત્ર્યવીરોની શહાદતના સંદર્ભમાં મૃત્યચિંતન થયું છે. “સૌની પહેલી ગુજરાતમાં આશા નિરાશાનો ત્યાગ કરી પોતાની જાતને હોમાવી મૃત્યુની ભેરી વાગતાં સાબદા બની.. જઈ સમર્પણ કરનારાઓની કુરબાનીઓનાં ગીતની કવિ વાત કરે છે. “હલદીઘાટનું યુદ્ધ દુશ્મનોનો સંહાર કરવા તત્પર બનાવતું પ્રેરણાગીત છે. મૃત્યુમુખે હોમાવા તત્પર થયેલા બાવીશ હજાર શૂરાઓના રણમાં ખપી જવાના કોડ વ્યક્ત થયા છે. તો “પુરોહિતની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust