SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 155 ભાઈશંકર કુબેરજી શુક્લ યમ અને નચિકેતાનો સંવાદમાં મૃત્યુને મુક્તિ રૂપે ઓળખાવ્યું છે. નચિકેતા અહીં બીજું વરદાન મૃત્યુ વિનાના સ્વર્ગમાં જવાની ઇચ્છાનું માગે છે. સુમતિ મહેતાના ૧૯૧૨માં પ્રગટ થયેલા મરણોત્તર કાવ્યસંગ્રહ “હૃદયઝરણા”ના શાંતિ(પાનું 160) કાવ્યમાં અંતિમ શાંતિની દેવીને હૃદયના ઊંડાણથી આવાહન અપાયું છે. “રહો શાન્ત છે, હું શ્રવણ કરું છું શાન્તિના મધુરા રવો એ છેક સમીપે આવી ગાએ હાલા ....શા મધુરા સ્વરો ને શાંત તે મુજ અંગ શાન્તિ ધરી વાતો આદરે કંઈ શબ્દ પણ ઉચર્યા વિના ને વાતો મહારાથી કરે” 9 (‘હૃદયઝરણાં' 160) (કાવ્યસ્પંદિતા’ 37) આવી રહેલા મૃત્યુ અને એ પછી મંગલદાયક શાંતિનો સંદર્ભ પણ અહીં ગૂંથાયો છે. આ ગાનનો મૂક રવ હૃદયના ઊંડાણમાં એવો ધ્વનિ જગાડે છે, કે જેમાં જીવનના અંત સમયના એંધાણ હોય, એના છંદોબદ્ધ સ્વરૂપમાં જીવનની સચ્ચાઈનો રણકો સંભળાય છે. સુમતિ મહેતાએ “દિવ્ય બાળક' કાવ્યમાં મૃત્યુને “મુક્તિધામ “દિવ્યધામ' તરીકે ઓળખાવ્યું છે. બાળક એની માને “દિવ્યધામ'ના અલૌકિક આનંદનો અનુભવ જાણે કહે છે. બાળક પર પ્રેમ હોય તો માનેય દિવ્યધામ આવવાનું આમંત્રણ આપે છે. કવયિત્રી કહે છે “વિશ્વમાં જે જીવન આરંભાયાં, સુખી થયાં, ટક્યાં, ને પાછાં ગયાં તે સૌને મૃત્યુથી વધુ આનંદ થયો છે. જીવન કરતાં મૃત્યુ વધુ યશદાયી હોવાનું કવિ કહે છે. જીવનમુક્તિના એક માત્ર ઉપાય તરીકે કવયિત્રી “મૃત્યુને ગણાવે છે. પુત્રી હેમીનાના મૃત્યુ નિમિત્તે લખાયેલા “દર્શનિકા' નામના કાવ્યમાં “સૃષ્ટિની અસ્થિરતા નામના ખંડમાં કવિ ખબરદાર મૃત્યુને વાસનાસભર જીવનમાંથી છુટકારો હોવાનું કહે છે. મૃત્યુ પામેલાં સ્વજનો દૂર પ્રવાસે ગયાનું કવિ માને છે. કવિ કહે છે માણસનું શરીર મરે છે, જીવન નહિ. જ્યારે “મૃત્યુનું નૃત્ય' નામના બીજા ખંડમાં કવિ મૃત્યુનો જ અસ્વીકાર કરે છે. અર્થાત્ મૃત્યુ જેવું તત્ત્વ ન હોવાનું જણાવે છે. કારણ “મૃત્યુને તેઓએ “મંગલરૂપે હવે સ્વીકાર્યું છે, જોયું છે. મૃત્યુ દ્વારા નવજીવન પામતું જગત સદા તાજું ને નવપલ્લવિત રહે છે એમ તેઓ માને છે. કવિ ખબરદાર કહે છે “જીવન તો હજુ યે વણસે, પણ મૃત્યુ કદી વણસતું નથી' એ પોતે હારી જઈ જીવનને, શ્વાસને વિજય અપાવે છે. “મૃત્યુ ન હોય તો વિજય ક્યાં-શ્વાસનો”?(‘દર્શનિકા' 69) મૃત્યુથી ન ડરવાનું કહેતા કવિ મૃત્યુને જીવનના મીઠા અંત તરીકે ઓળખાવે છે. કવિ ખબરદારને મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા છે. અજ્ઞાન અને અણસમજને લીધે વિરૂપ દેખાતું મૃત્યુ હવે જ્ઞાન પ્રાપ્ત થતા સુંદર લાગે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy