________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 154 “ચંદનની ત્યહાં પાથરી ચિતા કૃષ્ણદેવ અગ્નિશયામાં પોઢયા (દ્વારિકા પ્રલય) 103 હુતાશે લીધો છેલ્લો હવિ, મૃત્યુલોક કમભાગી ને અમરભોમ સૌભાગ્યવાન બન્યો” ન્હાનાલાલે મહઅંશે અખંડ યૌવન, અખંડ સૌદર્ય અને આત્મસ્નેહની વાત વધુ લખી છે. મૃત્યુની વાત તેમની કવિતામાં ઓછી આવે છે. ને આવે છે ત્યાંય વ્યાપક ચિતંનરૂપે. વિષાદ અને શોકનાં ગીત ન ગાવાનું એમનાં પાત્રોને મુખે વારંવાર કહેતા આ કવિની કવિતામાં ક્યારેક વિષાદની લહર ડોકિયાં કરે છે ખરી. સ્વજનો મૃત્યુ પામતાં શોક અને ખની લાગણી અનુભવતાં ઉત્તમ શ્રદ્ધાંજલિકાબો એમની કલમમાંથી સરકી પડ્યાં છે. પણ એને વિશેષ આત્મલક્ષીરૂપે તેમને વ્યક્ત કર્યા નથી. તો પુરાણકથાઓના સંદર્ભે કાળ અને મૃત્યુનું ચિંતન વ્યાપક ફલક પર તેઓએ કર્યું છે. ત્યાં કવિતા અને તત્ત્વજ્ઞાન એકરૂપ બની પરમસત્યો રજૂ કરે છે. કવિ જમશેદજી નસરવાનજી પીતીત “મૃત્યુને આફતનો છેડો' કહે છે. (“ભાંગેલું વહાન”). “જાન તેનો તજીને ગયો'તો તન ને આવ્યો તો આફતનો છેડો ને અંત” (‘મારી મજેહ ને બીજી કવિતા' પૃ. ૩ર૦) કવિ કંગના “નાઈત થાત” પરથી રચેલા “ઊંઘ અને રાત' કાવ્યમાં “મૃત્યુને મુક્તિદાતા ગણાવાયું છે. જેઓ સદાની ઊંઘમાં પોઢ્યા છે, મૃત્યુ પામ્યા છે એમને સુખી ગણે છે. ઊંઘ અને રાત બંને અહીં મોતનાં પ્રતીક છે. “એક ગુજરેલા બાળક વિશે' (‘દેવી મેકબેથ મોયર ઉપરથી')માં કવિએ “મૃત્યુને કાયમનું સુખ ગણાવ્યું છે. જગન ભજી ઊંઘી ગયેલો બાળક સુખી થઈ ગયો હોવાનું કવિ કહે છે. બાળકની નાનકડી છાનઃ વો બહાર નીકળી મરી જઈ, જીવ સુખી થઈ ગયો હોવાનું કવિ કહે છે. - ગજેન્દ્રાય બુચના “હંસગાન'ને માત્ર બુચના જ નહીં, સમગ્ર ગુજરાતી કવિતાના સુંદર કાવ્ય તરીકે સ્થાન મળ્યું છે. કવિને મૃત્યમાં વિશ્વસંગીત સંભળાય છે, અલબત્ત સ્નેહનું. મગનભાઈ ચતુરભાઈ પટેલે “અમરઆત્મા' કાવ્યમાં આત્માના અમરત્ત્વની વાત કરી છે. (“કુસુમાંજલિ સંગ્રહ) કવિ કહે છે. આત્માના અમરત્ત્વનો સ્વીકાર કરીએ તો મૃત્યુની કરાળ કાળી જવાળ પણ મંદ પડી જાય. “સૃષ્ટિનો ખેલ'માં શરૂમાં મૃત્યુની બીક અને ગભરાટ વ્યક્ત થયા છે. પણ પછી મૃત્યુમાં જ સાચું જીવનસૂત્ર હોવાનું કવિ કહે છે. બીજા જીવનમાં પ્રવેશવા માટેના આધારતંતુ તરીકે “મૃત્યુને બિરદાવાયું છે. કવિ મૃત્યુને દુઃખના ભાગીદાર તરીકે ઓળખાવે છે. નૃસિંહ વાણી વિલાસ' (તૃતીય પુસ્તકોમાં શ્રી નૃસિંહાચાર્ય કહે છે. . “નથી ભય તેને આ મૃત્યુનો જેણે જ્ઞાને ગાળ્યાં હાડ” 18 (“નૃસિંહવાણીવિલાસ' પૃ. 60) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust