SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 147 કવિ ઉલ્લેખ કરે છે. પાંચમા અધ્યાયમાં “કાળનું સરોવર' ચિદાકાશે જોયાનો નિર્દેશ કરે છે. દસમા અધ્યાયમાં “કાળચક્રને થંભાવવાનો જુસ્સો વ્યક્ત થયો છે. અગિયારમા અધ્યાયમાં વિશ્વવિધાત્રીમાં કાળના કલિભાવને વાંચવા ઉત્સુક કવિ વિશ્વવિધાત્રી પાસે કાળવણીમાંથી કાળલીલાનું કથન કરવા માંગણી કરે છે. માનવકાય કાળવણીનો કાંડ લખવાનું શરૂ તો કરે છે, પૂરો લખ્યો નથી. કાળની સાગરસીમ જોઈ તેઓય કંપી ઊઠે છે. તો અઢારમાં અધ્યાય “મહાસુધર્મધર્મા કોલાહલ'માં યુગસંધિની વાત કરતા કાળની છાંયને કવિ “ઘોર'નું વિશેષણ આપે છે. કવિ ન્હાનાલાલ કહે છે " “કાળ કાળનું કામ કરે છે. કાળના શાસન અને સામ્રાજ્યનો અનાદર કોઈથીયે શક્ય નથી” 151 (અધ્યાય-૧૮ “હરિસંહિતા' “મહા સુધર્મધર્મા કોલાહલ' પૃ. 149) એકવીસમા અધ્યાયમાં “કાળને કોક કાંઠે મળવાની કવિ વાત કરે છે.' હરિસંહિતા'ના દ્વિતીયમંડળ “પંચવટી પરિયાણ'માં પણ કવિએ કાળચર્ચા કરી છે. જેમાં સૃષ્ટિનાં તત્ત્વો ખીલવા ખરવાની વાસ્તવિક પ્રક્રિયાનો નિર્દેશ છે. પાંચમા અધ્યાયમાં ‘દાનભૂલી મહાનગરી'માં કવિ કહે છે. પૃથ્વી પોતે જ ચિરંજીવ નથી તો પછી સૃષ્ટિનું સંતાન ચિરંજીવ શી રીતે હોય ? જેનાં અંત અને આદિ છે, એ માનવી તો મૃત્યુ પીધેલો છે. આખું વિશ્વ કવિને કાળના બાણ વડે કોરાતું કુરુક્ષેત્ર જણાય છે. ચતુર્થ મંડળના સત્તરમાં અધ્યાયમાં ન્હાનામોટા સૌ એક સાથે કાળવાસી છતાં કાળથી પર હોવાનું કવિ કહે છે. નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ “શુષ્કવૃક્ષ' નામના એક અન્યોક્તિ કાવ્યમાં કાળની ગતિને ન્યારી’ કહી છે. કવિ મગનલાલ ચતુરભાઈ પટેલ “કુસુમાંજલિ” નામના કાવ્યસંગ્રહમાં “ક્ષત્રિપાળ' નામના કાવ્યમાં વીરોને બિરદાવતાં કહે છે “વીરો તો મૃત્યુને હરાવી પોતે મૃત્યુના કાળ બની રહે છે. કાળ વીરોનાં શરીરને પોતાની દાઢમાં ચાવી શકે, વીરોના વીરત્વને નહિ. “અનંતકાળ” નામના કાવ્યમાં કવિ મગનલાલ કાળને “કઠણ ખેલાડી તરીકે ઓળખાવે છે. કવિ કહે છે “આ નશ્વર જગતમાં એક કાળ જ અનશ્વર અનંત છે.” “કાળજ્વર' કાવ્યમાં કાળનું ભયાનક વર્ણન કરવા છતાં કવિ એને કરુણાળુ પણ કહે છે. જગતના મૂર્ખ લોકોને કાળ ભયાનક લાગે છે. બાકી એ તો સદા વાર્તાલ્યમૂર્તિ જ છે. માનવને દુઃખી સંસારમાંથી એ મુક્ત કરે છે. પણ પાછું નિકટનું સ્વજન મૃત્યુ પામે છે ત્યારે કાળ બિહામણોય લાગે છે. કાળના વખાણ કવિ કરતા હતા ત્યાંજ કોમળ કવિને કાળે ઝડપી લેતાં સ્વજનો વ્યથિત બને છે. બુલાખીરામ ચકુભાઈ દ્વિવેદી “કાવ્યકૌન્તુભ' નામના સંગ્રહમાં “કોણે દીઠી કાલ' કાવ્યમાં અલ્પ આયુના આદમીને ચેતીને ચાલવાની શિખામણ આપે છે. પશુ, પક્ષી, પ્રાણી સૌ કાળના ગ્રાસ હોવાનું કવિ કહે છે. કાળની સાથે છળ કરી કોઈ છૂટી શકતું નથી. કહી, કવિ કાળની સર્વોપરિતાને સ્પષ્ટ કરે છે. દીપકબા દેસાઈ “સ્તવનમંજરી'માં ક્રૂર કાળને ઉદ્દેશી “પ્રિય-ને' કાવ્યમાં “અકાળે કુમળી કળી કાં ચૂંટી?” એવો પ્રશ્ન કરે છે. ૧૫ર (પાનું. 80) કવિ ખબરદાર કાળ અને જમને પર્યાય ગણે છે. “જે જાયું તે જાય', “નામરૂપનો નાશ”, “કાળ ન મૂકે કોઈને કહેતા કવિ કાયા અને જીવની પ્રીતને પલકમાં તોડી નાખતા જમને “અજીત' ગણાવે છે. કવિ કહે છે કાળ કદી કાગળ લખીને કે અગાઉથી કહેવડાવીને આવતો નથી. દશ્યરૂપે દેખાતા . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy