________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 146 ઉપર પ્રાણીમાત્રને, મનુષ્ય સુદ્ધાંને શોગટાં બનાવીને રહે છે. અહીં આ વિશ્વની “અણદીઠ અને બળવાન Cosmic Force' સંગે આપણે ખેલીએ છીએ અને તે શોગટાં આપણે આપણાં કરીને માનીએ છીએ તેને ક્ષણવારમાં એ મારીને હરી લે છે. કવિ વિશ્વના નિયમોમાં માંગલ્ય અને શ્રદ્ધા રાખવા સૂચવે છે. કાળને દુઃખના ઔષધ તરીકે તેઓ સ્વીકારતા નથી. કાળ નામના સત્ત્વને આક્રોશપૂર્વક કવિ કહે છે. “કાળ ઓ તું તૃપ્ત થા બાળ મુજ મોંઘો હરી” 148 (“સ્મરણસંહિતા” પાનું. 19) હવે વિસ્મૃતિનો મંત્ર આપી નવો પ્રહાર કાળ શા માટે આપે છે એ સમજાતું નથી. બ. ક. ઠા. એ. “આરતી નામના કાવ્યમાં કાળની ભયાનકતાનું વર્ણન કર્યું છે. તર્કવિતર્કમાં પણ કાળ વિશે કવિ ચર્ચા કરે છે. તેઓ કહે છે કાળ જ બધાને છેહ દે છે. મયોનાં શરીર જ માત્ર નહિ અનુભવ, વીતક, હીર બધું જ એ ભૂલી જાય છે. અર્થાત કાળ ભક્ષક છે.” - કવિ ત્રિભુવન પ્રેમશંકર કાળને મણિધર નાગ તરીકે વર્ણવે છે. (“કલાપીનો વિરહ પાનું. 8) 149 તો કલાપીને ઉપાડી લેનાર કાળને તેઓ “કબાડી' પણ કહે છે. કલાપી કાળની અચોક્કસ ગતિનો ઉલ્લેખ કરતાં કહે છે. ગતિ કાલની ચોક્કસ ન્હોય સખે. ભરતી પછી ઓટ જ હોય સખે” ‘ઝેરી છૂરી'માં કાળ પર આક્રોશ ઠાલવતાં કવિ કહે છે કે અપક્વ ઉરપુષ્પોને ચૂંટી લેવાનો, આશાભર્યા જિગરને ઊંચકી જવાનો, અકાલ મૃત્યુ દ્વારા કોઈની સ્મૃતિને લૂંટી લેવાનો પરવાનો પ્રભુ પાસેથી કાળને મળ્યો નથી. “હાનાલાલ મધુકોષ'માં જીવનસંધ્યાના પ્રતીકરૂપ “સંધ્યા' કાવ્યમાં સમગ્ર વિશ્વમાં ઘૂઘવતી “કાળસંધિકાનો નિર્દેશ થયો છે. પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુ'માં “કાળપ્રભુને વધાવો'માં સામેથી કાળની પધરામણી થાય એ માટેનો ઉત્સાહ કવિ વ્યક્ત કરે છે. કવિ કાળને સત્કારવા ઉત્સુક છે. “ગગનધડાકામાં કાળના ડંકાની વાત કવિ કરે છે. “કુરુક્ષેત્રમાં કુરુક્ષેત્રને જ કવિ કાળબ્રહ્મના ઇતિહાસગોત્ર તેમજ ઇતિહાસની મહાસંધ્યાઓની કાળકથા કહે છે. એને “કાળના કારમા બોલ' તરીકે પણ ઓળખાવે છે. કાળની નોબતના પડઘાઓની ઇતિહાસગાથાય કહે છે. “મહાસુદર્શન' નામના બારમાં કાંડમાં “આશ્રમવાસિકપર્વમાં “ભીખાદિનું દર્શન' નામના બત્રીસમા અધ્યાયમાં યાદવોના નાશની વાત સાંભળી યુધિષ્ઠિર કહે છે. કાળના પાશને હું માન આપું છું” 150 (‘કુરુક્ષેત્ર” પાનું. 10) ‘દ્વારિકાપ્રલયમાં યમની વાગતી ઘડીઓ તથા સૂનકારમાં મહામૃત્યુ ગાજી રહ્યું હતું, ત્યારે એ મૃત્યુઢગલાઓ વચ્ચે કેવળ કાળસ્વામી જ અમર્યા હોવાનું કવિ કહે છે. કવિનું “હરિસંહિતા કાવ્ય જ “કાળની ખંજરી' વાગતાં અધૂરું રહ્યાનું સત્ય, માનવજીવન પરના કાળના વર્ચસ્વનું દ્યોતક છે. “હરિસંહિતા'ના “મહાભ્ય'માં કવિ કાલિંદીના ધરાને “કાળના મુખ જેવો' કહે છે. ને હરિને કારમાં કાળના કાળ-મહકાળ' તરીકે વર્ણવે છે. પ્રથમ મંડળના પહેલા અધ્યાયમાં “સાંધ્યરોગમાં પણ અવિરત ઉછળતા “કાળના લોઢ'ની કવિ વાત કરે છે. ને અંધાર તથા તેજને “કાળની બે પાંખો' કહે છે. ચોથા અધ્યાયમાં કાળના ડંકાની ગર્જનાનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust