________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 141 એમને મળી ચૂકી હતી. “મૃત્યુશા કાવ્યમાં સર જોર્જ ક્લાર્કની ગુણવતી પુત્રીના મરણના સંદર્ભમાં કવયિત્રીએ મૃત્યચિંતન વ્યક્ત કર્યું છે. મૃત્યુ સમયે એમના વ્યાધિગ્રસ્ત મુખ પર પણ અપૂર્વ શાંતિ છવાઈ હતી. એને માટે જીવનદેવ અને મૃત્યુદેવ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. એક સંસારમાં, ને બીજું સંસારપાર એને ખેંચતું હતું. બેભાનાવસ્થામાંના એના મોહકસ્મિત પર મૃત્યુદેવ પણ મોહી પડ્યા હતા. * “હાસ્યથી મૃત્યુનો દેવ મોહીને મધુરી પર દિોડી આવ્યો ચુંટી લેવા. ગ્રહ્યો તે બાલિકા કર” 133 (“હૃદયઝરણાં' પૃ. 20). સ્મશાનભૂમિ' કાવ્ય બહેનના અવસાન સંદર્ભે લખાયું છે. મૃત્યુને અહીં વ્યક્તિરૂપે કચ્યું છે. “મૃત્યુદેવ છુપાઈ પૂર્ણ સમયે પેઠો હમારે ગૃહ ખેંચી લીધી ગરીબ મહારી - ભગિની દુઃખ હૈયું સહે” 134 (‘હૃદયઝરણાં' પૃ. 21) સ્મશાનભૂમિ જોઈ માનું મૃત્યુ યાદ આવતાં ઉર લાગણીથી ભરાઈ જાય છે. તેઓ કહે છે, “ના તુટ્યાની બુટી છે'. “અશક્તિ' કાવ્યમાં મૃત્યુની નિશ્ચિતતાનો સંદર્ભ કવયિત્રીએ આપ્યો છે. બધાને માથે ઈશ્વર રક્ષક તરીકે બેઠો હોવા છતાં મૃત્યુ તો સૌ માટે નિશ્ચિત છે. “મૃત્યુ દ્વારા જીવનમાં કવયિત્રી પ્રતીકાત્મક રીતે જીવન અને મૃત્યુની વાત સમજાવે છે. એક જોડલું શાંત સ્તબ્ધ, બેઠું નહિ અને વસે એ અનંતકાળ સુધી વહિ.” 135 છે (હૃદયઝરણાં પૃ. 156) જેમાંના એકે (મૃત્યુ) શરીર પર શોકવસ્ત્ર ધારણ કરેલાં ને અન્ય (જીવન) સુંદર પણ તકલાદી શોભતાં વસ્ત્ર પહેર્યા હતાં. જીવનના સહસ્રરંગથી ઓપતાં વસ્ત્રો છતાં એ બધામાં ‘તદપિ છાયો શ્યામ વર્ણ તે સર્વમાં' (મૃત્યુ) જીવનની રંગીનીમાં મૃત્યુની કાળી ઝાંય હોવાનું કવિ કહે છે. મૃત્યુ પાસે કોણ રાજા, ને કોણ રંક? મૃત્યુ પાસે સૌ સમાન. કવયિત્રી કરુણકટાક્ષ સાથે કહે છે” અને કાષ્ઠના કીડાએ પૂછયું નથી મરનારની પદવી રાજવીની હતી કે સેવકની? જીવડું પણ પદવીની પૃચ્છા કરતું નથી. જીવન નિશ્વાસથી રડે છે એ જોઈ મૃત્યુ હસે છે ને કહે છે. “કારણ જે તુટવાનું તે તુટી જશે . * નાશવાન સર્વેનો નાશ થઈ જશે.” 13 (“હૃદયઝરણાં'—૧૫) વિકારી વસ્ત (દેહ) અવિકારી ક્યાંથી બને ? જડથી બનતી દેહ નિત્ય ક્યાંથી રહે ? કવયિત્રી કહે છે જે આત્મા મુક્ત થવા ઇચ્છે છે એને મૃત્યુ મુક્ત કરે છે. આ જગમાં નહિ જન્મેલા ને જન્મ સમયની રાહ જોતા આત્માઓ જન્મવા માટે આગળ ધસે છે, ને દેહત્યાગી ગયેલા જીવો તો પાછા ફરી જૂના જગતમાં નેહ ધરીને આવે છે. (નવે જન્મ, નવે રૂપે) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust