________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 140 “નથી ભય તેને આ મૃત્યુનો જેણે જ્ઞાને ગાળ્યાં હાડ” 130 (નૃસિંહવાણીવિલાસ' તૃતીય પુસ્તક (60)) જન્મી મરવું વારંવાર એ જીવને અધીન છે. મરણ કેડો મૂકતો નથી, ને મૂઢ જન પોતાનું અભિમાન છોડતો નથી. “કાળ ગ્રહી કર કાઢતો દેહ ગ્રામ ઘર બહાર” " (“નૃસિંહવાણીવિલાસ' તૃતીય પુસ્તક પૃ. 109) તેથી જ તો સંસારમાં રહેવા છતાં મનથી વેગળા રહેવા કહેવાયું છે. જગતની વાસના તો જીવભાવ પ્રગટાવી વિવિધ યોનિમાં સદા જન્મમૃત્યુ પામે છે. - ભાઈશંકર કુબેરજી શુક્લ (‘કાવ્યવિલાસ' નામના કાવ્યસંગ્રહમાં કઠોપનિષદની નચિકેતાવાર્તાનો સંદર્ભ ગૂંથી મૃત્યુ ચિંતન વ્યક્ત કર્યું છે. વિષ્ણુના સ્વરૂપમાં અગ્નિનું જ્ઞાન તથા વરદાન પામનાર નચિકેતા જન્મ મૃત્યુના ચકરાવામાંથી મુક્ત થઈ ત્રિગુણાતીત બને છે ને અમરત્વ પામે છે. નચિકેતા મૃત્યુનું રહસ્ય પામવા ઇચ્છતો હતો. નચિકેતાની અડગતાથી પ્રસન્ન થઈ નચિકેતાને યમરાજે “મૃત્યુના રહસ્યનું જ્ઞાન-વરદાન આપ્યું હતું. બુલાખીરામ ચકુભાઈ દ્વિવેદી રચિત “કાવ્યકૌન્તુભ'માં ઉપદેશાત્મક રીતે મૃત્યુની છણાવટ કવિએ કરી છે. “કોણે દીઠી કાલીમાં અલ્પ આયુના આદમીને ચેતીને ચાલવાની શિખામણ આપવામાં આવી છે. “નામ તેહનો નાશ'માં આકાશ અને અવનીને પણ અમર નથી ગણાવ્યા. મૃત્યુની વાસ્તવિક્તાનો નિર્દેશ કરતાં કવિ કહે છે. ધુમાડાના બાચકા ને મૃગજળની મીઠાશ જેવા આ સંસારમાં નામ તેનો નાશ છે. કનૈયાલાલ મુનશીનાં માતૃશ્રી તાપી મુનશી “અનુભવતરંગ” નામનો કાવ્યસંગ્રહ આપે છે. સ્થૂલ અને સૂક્ષ્મ વચ્ચેનો ભેદ બતાવતાં તેઓ કહે છે. એ તો સ્થૂલ શરીરસંબંધ છૂટી જાશે રે કરો સૂક્ષ્મ દેહનો સંગ જ્ઞાન જ થાશે રે” 132 (“અનુભવતરંગ' પાનું. 4 “કાવ્યપંદિતા' - ર૯). સૌ. સુમતિ ભૂપતરાય મહેતા (ઈ. સ. 1890 થી 1911) “હૃદયઝરણાં'માં માનવીના દેહ અને આત્માના સંબંધને સ્પષ્ટ કરે છે. દેહની પ્રત્યેક સુખદ તેમજ દુઃખદ અનુભૂતિની આત્મા પર અસર થતી હોવાનું તેઓ કહે છે. જીવનનાં દુઃખો માણસને સુખની ક્ષણિક્તાનો ખ્યાલ આપે છે. હૃદયઝરણાં, કવયિત્રીનો મરણોત્તર કાવ્યસંગ્રહ છે. (1912) “પ્રભુપ્રસાદી' ભા. 2 (40 પદો)માં ક્યાંક કાવ્યશક્તિના ચમકારો છે. પોતાની નાજુક સ્થિતિનું યોગ્ય રૂપક દ્વારા આÁવર્ણન તેઓ કરે છે. પોતે કૃતિકાનું પાત્ર હોવાથી, વધુ ભાર ન દેવા વિનવે છે. અન્યથા એ ફૂટી જશે. પોતાના નાના ને અસ્વસ્થ જીવનથી હાર્યા વગર ક્યારેક સ્વયમ્ સમાધાનકારક પ્રશ્ન કરે છે. “જ્યોતિ હોય અનંત અંતર વિષે અલ્પાયુ હો તોય શું?” કવયિત્રીના ઉત્તમ કાવ્ય “શાંતિ હૃદયના ઊંડાણમાં એવો ધ્વનિ જગાડે છે, કે જેમાં જીવનના અંત સમયના એંધાણ હોય, એના છંદોબદ્ધ સ્વરૂપમાં જીવનની સચ્ચાઈનો રણકો સંભળાય છે. પોતાને થયેલા વ્યાધિને કારણે એમના મૃત્યુની એંધાણી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust