________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 136 ખેલતા હરિનો નિર્દેશ, જન્મ, મૃત્યુ, જન્મના ચક્રનું સૂચન કરે છે. કવિ કહે છે “માનવીને મૃત્યુ છે ને અમૃતો દેવને ગયાં” 20 (‘હરિસંહિતા' પૃ. 148) કદાચ અહીં પહેલીવાર કવિ દેવ અને માનવની સરખામણી કરતાં માનવને મળેલ “મૃત્યુનો અફસોસ કરે છે. અગિયારમા અધ્યાયમાં (‘અગ્નિહોત્રનાં તીર્થ') કવિ માનવને માત્ર “પંચભૂતોનાં પૂતળાં' તરીકે ઓળખાવે છે. આ જગતમાં કોઈ નિત્યના વાસી નથી. એ સત્ય અહી રજૂ થયું છે. “હરિસંહિતા' ગ્રંથ-ર ચતુર્થમંડળના આઠમા અધ્યાયમાં યમની દાઢનું વર્ણન કરતાં કવિ કહે છે. કરે કંઠાળ દંતાળો યમના દંષ્ટ્ર દાખતો - સાગર રમતો તો ત્યહાં ભવાન્સ શો ભયાનક” 121 (47) સોળમા અધ્યાયમાં કવિ જીવનના અર્થનો કોયડો ઉકેલવા મથે છે. કવિ કહે છે, આયુષ્યની પેલે પાર તો પછી મૃત્યુ પણ નથી હોતું. મૃત્યુથી ઢંકાયેલો જીવનદીપ કંઈ ખરેખર બુઝાઈ જતો નથી. જમશેદજી નશરવાનજી પીતીત કહે છે મોતથી સતત દૂર ભાગતા સિકંદરનેય મોત છોડ્યું ન હતું. અસંખ્ય મુલકો સર કરનાર સિકંદર પણ અંતે તો કબરને પામ્યો એ વાત કવિ “મારી મજેહ નામના કાવ્યમાં કહે છે. “જનમ જીંદગી, મરણ છે પગલાં તરણ આયો, રેહ્યો, ગીયો ને પછી તારું તન મિસ્તીના પરદામાં થશે અનદીઠ” પર (‘મારી મજેહ તથા બીજી કવિતાઓ' પૃ. 83) “મારી મજેહ' (૭)માં કવિ વિચિત્ર સંદર્ભમાં મૃત્યુની વાત કરે છે. “ખૂનના સંદર્ભમાં કવિ કહે છે, ખૂનની રાતોનો મેલ ધોવાતો નથી. ખૂન કંઈ કેટલાનેય કમોતે મારે છે. “મારી મજેહ' (૧૬)માં ફરી પાછા કવિ “મ્યોતને મારા હું જોતો જ નથી' કહેનાર સિકંદરને મોતનો પયગામ મળ્યો ત્યારે એણે શું કર્યું? એનો ચિતાર આપે છે. રક્ષણ માટે અનેક ઉપાયો છતાં ‘સિકંદરનો જીવ માટીનો ઢગ થઈને પડ્યો હેઠલ' લાખ ઉપાય કરવા છતાં મોતથી ન બચી શકાયું. તો મોતના સંભળાતા ભણકારાનો નિર્દેશ કવિ “બેચેન ઘડી (૧૯૪)માં કરે છે. જિંદગીના પાણીમાં ઓટ આવતાં હોત આવીને હૈયાતી બુઝવી નાખશે. ને કવિનું માટીનું ઘર (શરીર) લૂંટી લેશે. માટીનું બનેલું એ ઘર માટીમાં મળી જશે. “જુદાઈ' કાવ્યમાં કવિની મોતને મળવાની ઇચ્છા વ્યકત થઈ છે. કવિનું મન એ જ વિચારમાં સતત ઘુમરી ખાતું. “મોહત' (શેખ સાઅદી પરથી) કાવ્યમાં અનેક નામવરોના મોત દ્વારા મિટાઈ ગયેલી હસ્તીનો ઉલ્લેખ કરી નશ્વરતા અને સમગ્ર વિશ્વ પરના મોતના સામ્રાજ્યનો મહિમા કવિ દર્શાવે છે. “એક અટૂલી ઘોર' (શલિ પરથી)માં એક કબરનું હૃદયદ્રાવક વાસ્તવિક ચિત્ર રજૂ થયું છે. “એક કમબખ્તની ઘોર-ધોર પણ કોણ કહે ? માત્ર પથ્થરનું રોતું, ત્યાં ઉત્તરના દરિયાકિનારા પર સદા તોફાની વાયરા વાય છે. ત્યાં આર્ત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust