SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 134 ઓળખાવે છે. “માયાવી સંધ્યા' નામના આઠમા કાંડમાં અર્જુનને કવિ સાક્ષાત ઘૂમતા મૃત્યુ' તરીકે ઓળખાવે છે. એકાદશકાંડ (‘શરશયા)માં ભીખના પ્રાણત્યાગનું કવિ વર્ણન કરે છે. યોગધારણ કરી જે જે અંગોનો ત્યાગ કરવા માંડ્યો, તે તે અંગમાંથી બાણ બહાર નીકળી જવાં લાગ્યાં. ભીષ્મ શલ્યોથી રહિત થઈ ગયા. એટલે તેમનો પ્રાણાત્મા મસ્તકને ભેદીને આકાશભણી ઊડ્યો. દેવવ્રત દેવદેશે સિધાવતા હતા મૃત્યુલોકનું એ કલ્યાણ મુહૂર્ત હતું” 12 (કુરુક્ષેત્ર 14 એકાદશકાંડ) યુગસમાપ્તિના છેલ્લા મંત્રોચ્ચાર ભીષ્મ ઉચ્ચારે છે. “શરશયાની આ અઠ્ઠાવન વરધોમાં શતાબ્દીની વેદના વેઠી છે મહેં. ભીષ્મના મૃત્યુને કવિ જન્માન્તરના મહોત્સવ તરીકે વર્ણવે છે. કવિ મૃત્યુને અંધાર નહિ, પણ તેજમાર્ગ કહે છે. “સૂર્યચંદ્રમાં થઈ હતી યમટેડી અંધારમાર્ગ નથી તેજમાર્ગ છે.” 113 (“કુરુક્ષેત્ર' પૃ. 29 “શરશયા એકાદશકાંડ'). કવિ કહે છે “પિતામહ મૃત્યુ પી અમર થયા જગતે જાણ્યું આજ હિમાલય પડ્યો મૃત્યુને કવિ અહીં “નવપ્રભાત'નું નામ આપે છે. “સંહાર વિના શું સંસાર જ ન નભે ? પાંડુપુત્રોનો આ ત્રિકાળ પ્રશ્ન દીવાલોને જઈને અથડાય છે. બ્રહ્મર્ષિ કહે છે. “સંહાર એટલે નવસૃજન, મૃત્યુ એટલે નવજન્મ” “જગતની જોગમાયાના ગરબામાં જોગમાયા પોતાને કલકલંદર કાળિકા તરીકે ઓળખાવે છે. “જન્મમૃત્યુને એના “નેણનાં હાસ્ય તરીકે કવિ ઓળખાવે છે. “જન્મ પહેલાં સર્વત્ર મૃત્યુ જ હતું સૃષ્ટા સૃજનપૂર્વે સંહારને સર્જે છે જન્મ પહેલાં મૃત્યુ અવતરી ચૂકે છે.” 4 | (‘કુરુક્ષેત્ર' “જગતની જોગમાયાનો ગરબો” પૃ. 23) જન્મમૃત્યુથી પરના દેશને કવિ પરમાનંદના દેશ તરીકે ઓળખાવે છે. એ મૃત્યુની કેડીઓ વીરાંગનાઓની પગદંડીઓ છે. મૃત્યુને કવિ જન્માન્તરની વાર્તા કરે છે. “કુરુક્ષેત્ર'માં કૃષ્ણનિધન માટે કવિ આ પ્રમાણે વર્ણન કરે છે. “યદુવંશની સાગરસમાપ નિરખીને કૃષ્ણદેવે કીધા જગતને જુહાર, કાળને વડલેથી એમ ખરી પડી કેટલી એક કૂપળો” મૃત્યુના પડદા પાછળના અમૃતને કવિ સનાતન ગણાવે છે. ને પાંડવોના મહાપ્રસ્થાનને તેઓ કાળકારમું ગણાવે છે. ૧૯૪૪માં “દ્વારિકાપ્રલય' પ્રગટ થાય છે. આ કાવ્યમાં કવિએ શ્રી કૃષ્ણદેવનું નિરાળું ત્રીજું સ્વરૂપ રજૂ કર્યું છે. નારદ અને કૃષ્ણના સંવાદ-રૂપે જન્મ અને મૃત્યુનું ચિંતન કવિ અહીં રજૂ કરે છે. “નારદ નથી જાણતો તું જન્મસંગાથે જ જન્મે છે મૃત્યુ (દ્વારિકાપ્રલય’ 35) ને “વહાલાંઓનાંય શબ તો છે બાળવાનાં” (37 ‘દ્વારિકાપ્રલય') P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy