________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 132 પુરુષ સાથે કરી છે. ને નારીની સંજીવની સાથે. “કાલનિદ્રામાં પંખીના બચ્ચાની માના થયેલા ક્રૂર મરણનો નિર્દેશ થયો છે. જનનીના અકાળ મૃત્યુની કરુણતા સામસામા બે વિરોધી ભાવો દ્વારા વિશેષ વેધક બની છે. કવિ કહે છે જનનીની મરણપળનું કલ્પાંત કાળથી પણ જોયું ન ગયું. “બાલ્યસ્મરણમાં જીવનની ક્ષણભંગુરતા અને સુખની નશ્વરતા વિશેનું ચિંતન રજૂ થયું છે. મૃત્યુને જ કવિ સાચા દશ્ય તરીકે ને “અંતિમ સત્ય' તરીકે ઓળખાવે છે. મૃત્યુને શાશ્વત સનાતન સત્ય ગણવાની વાત કવિએ કરી છે. નાજુક કરુણ ઉરભાવ વહાવતા “બાલાવસાન' કાવ્યમાં આકાશપાતાળ એક કરતી મા અંતે કરુણ આક્રોશ વ્યક્ત કરતાં મૃત્યુને “નમેરું' “નફફટ' ને “કઠોર' ગણાવે છે. “અભિલાષ' કાવ્યમાં જન્મમરણના ચકરાવામાંથી મુક્ત થવાની ઝંખના વ્યક્ત થઈ છે. લાંબો જીવનપથ કાપ્યા પછી વિસામાની–મોક્ષ મુક્તિની ઇચ્છા વ્યક્ત થઈ છે. - કવિ ન્હાનાલાલ (1877-1946) એમનાં કાવ્યોમાં ઊંડું મૃત્યચિંતન રજૂ કર્યું છે. મ્હારો મોર' (“કેટલાંક કાવ્યો' ભાગ-૩ ૧૯૩૫)માં મોરના મૃત્યુના વિષાદમાંથી સર્જાયેલી એક નારીની વેદના નિમિત્તે કવિએ મૃત્યચિંતન આપ્યું છે. મૃત્યુ પામેલા મોરને જીવાડવા યોગીને વિનવતી સ્ત્રીને યોગી કહે છે. સૃજનની સાથે જ બાલે 1. યમરાજે જાળ નાંખેલી છે.” 107 (કેટલાંક કાવ્યો' ભા. 3/21) મૃત્યુને કવિ જન્મનો પડછાયો કહે છે. મયૂરનું જગજીવન પૂરું થતાં અમૃત જીવન આરંભાવાની વાત યોગી કરે છે. યોગી કહે છે “મૃત્યુમુક્ત દીઠું માનવીનું કો કુલમંદિર?” 18 (‘કેટલાંક કાવ્યો' ભાગ 3|31) - કવિ કહે છે “માટીના માળખાં નં-દાય તે મૃત્યુ”. કવિ નવસર્જનનો ઉલ્લાસ સહર્ષ સ્વીકારે છે. જગતમાં મૃત્યુના સૂર્યાસ્તો છે. તો નવસર્જનના સૂર્યોદય છે. ડાબી આંખે મૃત્યુ નિરખી માનવી કંપે છે. સૃજનના નવપલ્લવ નિરખી નિરખી જમણી આંખે આનંદjય ઘટે. જોકે જીવનનો વિશેષપણે પુરસ્કાર કરતાં આ કવિ મૃત્યુથી ઘડકતા જગતને લાલબત્તી પણ અચૂક ધરે છે. સ્વજનોની પીડાની યથથતા દશાર્વતાં કવિ કહે છે “મૃત્યુના માહાઓઘ સમાંતર જ જીવનનો મહાપ્રવાહ વહેતો હોય છે. પણ માનવીઓ સ્વજન જતાં હૈયાં-સૂના વ્યાકુળ બની જાય છે. (“કેટલાંક કાવ્યો' ભાગ-૩-૩૭). મયૂરને મનાવી લઈ જનાર યમરાજાની કરુણા અપાર હોવાનું કવિ કહે છે, ને તેથી જ તો મોરનું મૃત્યુ મરી ગયું” “અવધે યમ તો ઉતારવે છે જ સૌના સંસારવાઘાઓ” ને ઓઢાડે છે ચિતા સંન્યાસની કંથા” સૌરાષ્ટ્રનો સાધુ'માં પઢિયારને શ્રદ્ધાંજલિ આપતાં કવિ ઈહલોક અને પરલોકની ચર્ચા કરે છે. એને વળી પ્રેમનાં બંધન શાં? અનિત્યમાંથી નિત્ય ધામમાં તેઓ જતાં સોરઠ સાધુસૂનો થયાનું કવિ કહે છે ઈહલોક અનિત્ય પરલોક નિત્ય. “પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુ' (૧૯૪૧)માંના ધન્ય હો ધન્ય જ પુણ્યપ્રદેશ” તથા “શુકનની ઘડીઓમાં ઇચ્છામૃત્યુને વરેલા ભીખ પિતામહનો મહિમા બતાવતાં કવિ કહે છે. ભીખ મૃત્યુનેય ખાળીને યુદ્ધવાટે શાંતિ પ્રબોધતા પોઢ્યા. વીરોને ભીષ્મ પિતામહની જેમ મૃત્યુને પરહરી શાંતિમંત્ર ઉચ્ચારતાં યુદ્ધવાટે સંચરવા હાકલ કરે છે. વીરને વળી મૃત્યુ શાં? દેશ માટે શહાદત વહોરનારાને મૃત્યુ ન હોય, વીરો તો મરીનેય અમર બને છે. મૃત્યુને મુઠ્ઠીમાં લઈને યુદ્ધમાં જવા તત્પર P.P.AC. Gunratnasurf M.S. Jun Gun Aaradhak Trust