________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 128 કવિ મય જીવનની નિરર્થકતા દર્શાવતાં જણાવે છે કે માનવનું મૃત્યુ થતાં એનું ચમારપણુંશરીરપણું છૂ થઈ જાય છે. ને આત્મા મુક્ત થઈ વિહરે છે. તેથી તો ચમારપણાને વ્હાલ ન કરવા સૂચવે છે. આ વિશ્વ એ કાંઈ માનવનો પોતાનો દેશ નથી. માનવ તો અહી મહેમાન છે. એનો નિજ દેશ તો નિરાળો ને અલૌકિક. મસ્ત કવિ અહીં કલાપીની શલામા જ કહે છે. “હમારા દેશમાં જાતાં હમોને કોઈ ના રોકે હતા મહેમાન બે દિનના હમોને કોઈ ના રોકે” 95 (‘કલાપીનો વિરહ' 111) ક્લાપાના મૃત્યુનો આઘાત કવિને જરૂર છે. પણ હવે તેઓ અન્ય કવિઓની જેમ અધ્યાત્મરગ રંગાઈ પ્રભુની પ્રેમધૂણીમાં પોતાનું મુડદું જલાવી (દેહભાવ ઓગાળી) અહમને પણ ઓગાળી મુક્ત બને છે. જ્ઞાન અને સમજને લીધે અંતે ચિત્ત શાંતિ અને સમાધાન પામે છે. પણ મિત્રસ્નેહ યાદ આવતાં કવિહયું મિત્રવિયોગે ઝરવા લાગે છે. આત્માની અમરતા અને દિવ્યતાની ઝાંખી થતાં મૃત્યુ શરીરનું હોય, આત્માનું નહિ એ સત્ય સમજાય છે. 1 ક્લાપીનાં કાવ્યોમાં મૃત્યુનો સંદર્ભ અવારનવાર આવે છે. “મૃત્યુ” કાવ્યમાં પ્રેમવાત્સલ્ય સાથે મૃત્યુની વેદનાને સાંકળવામાં આવી છે. બાળકનું મૃત્યુ કવિચિત્તને હલાવી નાખે છે. કિંઈ સમજાતું નથી. એમનો વિલાપ સાંભળી ગુફામાં દૂર રહેલો એક અવધૂત આવીને હારું ગયું કમલ મૃત્યુ તણે બિછાને ત્યાં સૌ જશે, જગત તો ભ્રમછાબડ છે 96 (‘કલાપીનો કેકારવ') . છે મૃત્યુ જન્મ, જીવવું સહુ ભાસ માત્ર તો મૃત્યુથી રુદન, જન્મથી હાસ્ય શાને ?" 9 | (‘કલાપીનો કેકારવ' પાનું 91) અવધૂત પાસેથી જ્ઞાન મેળવતાં કવિનો (નાયકનો) શોક શમે છે. ને બાળકની ભાળવણી તેઓ મૃત્યુને જ કરે છે. એકાંત કલ્પનાવિલાસનો એકરાર કરી પોતાના નિરાળા રાહનો ઉલ્લેખ કરતાં આ કવિને મરવાનું મન થઈ આવતું. તેથી તો કહે છે. “હમોને શોખ મરવાનો હમારો રાહ છે ન્યારો” 98 (કલાપીનો કેકારવ' પૃ. 103) સારસી' કાવ્યમાં પ્રેમઘાયલ હૈયાનાં દુઃખનો નિર્દેશ કવિએ કર્યો છે. શિકારી વડે પ્રિયતમ મરાતાં જલપુરનેત્રે ઊભેલી સારસીનાં બાલુડાં તો પર રમવાય નથી શીખ્યા, આ 3 શું પિછાને? “ભરત' કાવ્યમાં પુનર્જન્મ પરની કવિની શ્રદ્ધા વ્યક્ત થાય છે. મૃત્યુ સમય જેમાં વાસના રહી જાય તેની તેમાં જ ગતિ થાય છે. એમ કહેવાય છે. ભારતની વાસના અંતિમ પળે મૃગમાં રહી જવાથી પછીના જન્મ અને મૃગ થઈ જન્મવું પડ્યું એવી કથા છે. તો બિલ્વમંગલમાં સીધી કોઈ મૃત્યુ-ધટના ભલે ન હોય. દેહની નશ્વરતાનું ચિંતન જરૂર છે. કામાંધ પુરુષની મનોદશાના ઉદ્દીપન તરીકે, દીવામાં બળી મરતાં પતંગનાં પ્રતીકરૂપ વિનિયોગ કરાયો છે. યમુનાતીરે શબ જોતાં નાયિકા જીવનના અંતનું, અન્યથા સુખરૂપ લાગતા દેહની નશ્વરતાનું દર્શન પ્રિયજનને કરાવે છે. મરણ પછી એ સુદર દહન, લાકડામાં જ બાળવાનો છે, એ સત્ય-કથન દ્વારા પ્રિયતમને અગાઉથી મૃત્યુ માટે તૈયારી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust