________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 127 કે નહિ? કે પછી કશું નહિ? કવિને મૃત્યુની ગતિ ન સમજાય છતાં પ્રભુ પતિ પૂરા આસ્તિક “ચડે અગન ખોળિયું, પછી શું શેષ જીવે શું કહ્યું ત્યાં ? કઈ તરહી લેશ પડે સમજ આજ અથવા અશેષ અગાધતમ સાગરે જ ડૂબકી શુભેશ, બસ તૂ ભરોસે પ્રભો કર કવિ ત્રિભુવન પ્રેમશંકર (1865-1923) ૧૯૦રમાં “કલાપીનો વિરહ પ્રકટ કર્યું. કલાપીના અવસાનથી પ્રેરાયેલું કરુણ અને શાંતિની મિલાવટવાળું દીર્ઘ કરુણપ્રશસ્તિ કાવ્ય છે. જીવાત્માના પુનર્જન્મ ને જન્માન્તરની યાત્રાઓ વિશેના કવિના સિદ્ધાંતો “પ્રકાશ'ના ૨૭મા ખંડમાં ઉચ્ચ રસિકતાવાળા કવિત્વથી વર્ણવાયેલા છે. “કલાપીનો વિરહ'માં કવિએ મૃત્યુના સ્વરૂપને સમજાવવા રમ્ય ઉપમાઓનો વિનિયોગ કર્યો છે. વિરાગ' નામના પહેલા વિભાગમાં કવિ જીવનને સંધ્યાના ક્ષણજીવી રંગો જેવું કહી મોં વિકાસી ઊભી રહેલી રજનીના ઉલ્લેખ દ્વારા પરોક્ષ રીતે આવી ઊભેલા મૃત્યુનું સૂચન કરે છે. દિવસ વીતતાં જેમ કમળો મુરઝાઈ જશે તેમ જીવ પણ તિમિરે મૃત્યુના) હોમાશે. તેથી કવિ કુદરતનાં બચ્ચાંને, નાજુક કુસુમોને ચેતવણી આપતાં અનિલઝૂલે ક્ષણિક રમી લેવા જણાવે છે. પ્રલયના વેગભર્યા વાયુ અધનિમિષમાં આયુ ખૂટી જવાની એંધાણી આપે છે. પાર્થિવ સુખને કવિ રેતીના ઢગલા પરનાં પાણીનાં ટીપાં જેવું ગણાવે છે. કાળી રાત્રિ જાણે કાળરાત્રિનું પ્રતીક છે. પૃથ્વી પર કીડીની હાર, પવનના ઝપાટે જેમ અટવાય, ફંગોળાય એમ મૃત્યુના પગલામાં માનુષી જીવનક્રીડા અટવાઈને પળમાં પીલાઈ જાય છે. સૂકેલાં પાન જેમ પવનના વેગે ઊડીને ક્યાંય ચાલ્યાં જાય એમ જીવ મૃત્યુ ઝપાટે ઊડી જઈ ક્યાંય જઈને પડે છે. જેની કોઈને સમજ નથી. કવિ મૃત્યુને મગરમચ્છ સાથે સરખાવે છે. પર્વત જેવો મચ્છ મોં સામે ઊભો રહે છે. જન્મમરણવિપત્તિને નિત્યનો નિયમ માનવા છતાં, ધૂળનો નાશ સ્વીકારવા જ માનવી દેવાયો હોવાથી સ્વજનમૃત્યુ એને દુઃખ આપી જાય છે. “પ્રકાશ' નામના ત્રીજા ભાગમાં કવિ જ્ઞાનની વાણી ઉચ્ચારે છે. શાંત અને અનંતની પણ ચર્ચા કવિ કરી લે છે. જભ્યાનું નામ જાણિયું રે અભ્યાનું નામ ન હોય નામનો લય પણ નાશમાં . . . . . અ ભ્યાનો નાશ ન હોય રે” (“કલાપીનો વિરહ' 92). સતત નવાં પાન ધારણ કરતાં ને જૂના ખેરવતાં વૃક્ષની સાથે, માનવના જીવનને સરખાવવામાં આવે છે. તેમ કવિ પણ - - “ખરતાં જૂનાં પાન નવીન તરૂવર ધારતાં એવાં દેહનાં દાન જન્મ જન્મ જીવને મળે” (“કલાપીનો વિરહ 107) ડાયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust