SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 126 નિમંત્રણમાં મૃત્યુનું વિધેયાત્મક રૂપ વર્ણવી એનો સહર્ષ સ્વીકાર થયો છે. બધાજ દલો જેના સુશોભિત બન્યાં છે, એવું પુષ્પ ગહનનિશાના આલિંગને જકડાય છે. જાગીને જુએ છે ત્યાં એની નીચે નવી ફૂટ આવી હોય છે, ત્યારે પોતાનું સ્થાન અન્ય સુંદર પુષ્પ લઈ લીધાના પરમ સંતોષ સાથે એ નિશાગહનને યમને-મૃત્યુને નિમંત્રણ આપે છે. કવિને મૃત્યુનો ડર નથી. પણ એની અનિશ્ચિતતા એમને ભડકાવે છે. કવિને ભીતિ છે, મૃત્યુના દૂરવની, સામીપ્ય તો તેઓ ઇચ્છે જ છે. વૃદ્ધત્વ, એકલતા ને વિષાદમાંથી મુક્ત થવા વહેલું મૃત્યુ ઇચ્છતા કવિથી જાણે મૃત્યુ દૂર ભાગતું હોય એમ લાગે છે. મૃત્યુને કવિ ‘વિરામમધુ' કહે છે. ને “વિસામો” પણ કહે છે. એનો અર્થ એ કે આગળ યાત્રા ચાલુ છે, નામ ભલે પુનર્જન્મનું ન આપીએ. મૃત્યુ તો એની રીતે એની ધૂનમાં જ આવે ને ક્યારેક ક્રૂર તો કદીક કટુ બનીને, ક્યારેક ત્વરિત તો કદીક મંદ મંથરગતિએ આવે. જો કે કવિ તો મૃત્યુને કોઈ પણ સ્વરૂપમાં ગમે ત્યારે સ્વીકારવા તત્પર હતા. “એક મિત્રનું ભરજુવાનીમાં મૃત્યુ' કાવ્યમાં સ્વાનુભૂતિની સચ્ચાઈનો રણકો સંભળાય છે. કાવ્યનો ઉપાડ ચોટદાર છે. અરે, ખતમ આમ સર્વ ચપટીમહીં થઈ જતું બગાસું બસ એક અર્ધ ! ચરખો જ થંભી જતો” 0 . (પાનું-૧૭૨ “ભણકાર') “મો. કા. ની કારને અકસ્માતમાં અકસ્માતનું આબેહૂબ વર્ણન કરતા કવિ મૃત્યુને “અગનફાળ” તરીકે ઓળખાવે છે. પીડાદાયી જીવન કરતાં મૃત્યુ શ્રેષ્ઠ સુધાસમું હોવાનું કવિ “ઝેરસુધા'માં કહે છે. માંદી, થાકેલી, હારેલી પત્ની દરદથી મુક્ત થવા પતિને સ્મિત મધુર નિદ્રા આપી દેવા (અંતિમનિદ્રા) વિનંતિ કરે છે. “બાલ જડાયું બારીએ'માં જીવન મરણનો ભેદ ન સમજતા બાળકની નિર્દોષતાને વાચા આપી છે. માના મૃત્યુ છતાં બાળક તો ગાય છે, હસે છે, અપકવ ડાળે શોક ફાલતો નથી એ જોઈ કવિ ઈશ્વરને માયાળુ કહે છે. અવયંભાવી મૃત્યુ પ્રતિ આમ તો મનુષ્યની કણશઃ ને ક્ષણશઃ ગતિ છે. પણ એનીયે નિશ્ચિત ક્ષણ આવે છે ખરી, “અકળને અગમ્ય ક્ષણ સમીપ ઝર આવશે ચરણમાં મુને તારા સમર્પિ ધરી દઈ જે વહી જશે અગાધોદરે” 91 અહીં પદોની રચના મૃત્યુગતિને સાક્ષાત્ કરી આપે છે. વહી જનારી આખરી ક્ષણ સ્વયં પોતે પણ કાલના અગાધ ઉદરમાં સરી સમાઈ જશે. કવિને માટે મૃત્યુની એ અન્નેય ક્ષણ કેવીક ? મૃત્યુષણની કલ્પના કરતાં કવિ એને “અકથ્ય', “અનન્ય', “ગહન” જેવાં વિશેષણોથી નવાજે છે. પ્રભુના એ પાવક સ્પર્શે અહમ્ પ્રજવલન થતા શું પરિણામ આવે છે? જીવ માત્રનો પ્રશ્ન તે જ કવિનો પ્રશ્ન. મૃત્યુના ઓગાળરસમાં લય પામ્યા પછી જીવનને બલિરૂપે' હોમાઈ સુપક્વ સુપવિત્ર થવાનું? અહીં હિંદુધર્મનો જીવના પુનર્જન્મ ને તેના શક્ય વિકાસક્રમનો ખ્યાલ પણ પ્રકટ થયો છે. અજ્ઞેયવાદી આસ્થાળુ કવિ અહીં એ સંભાવનાયે સ્વીકારે છે. “તું જ હશે શું મંછા હવે? કવિ વિમાસી રહે છે. આ ભસ્માન્તમ્ શરીરમ્ અગ્નિએ ચડતાં તેનું કોઈ સર્વોત્તમ શેષ તત્ત્વ “આત્મા' જેવું કંઈ ખરું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy