________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 125 સ્નેહપૂર્વક ભેટવાની કવિ આશા સેવે છે. આત્મા નવકુસુમ સમાન છે. એ મરે નહિ. પ્રભુની સમીપ પહોંચે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. “અવસાન' કાવ્યમાં કવિ પોતાનાં કાવ્યો મૃત્યુ ને અર્પણ કરે છે. જે સૂચવે છે કે “મૃત્યુ' એમને માટે હવે કલ્યાણમિત્ર બની ગયું છે. કવિ મીઠાં ફૂલડાં સમાન સદૂગત સ્વજનોને યાદ કરી લે છે. પોતાના બધા જ રસભાવો અવસાનને હૃદયે હંમેશ વસે’ એવી પ્રાર્થના કરી મૃત્યુદેવને વંદે છે. તે બલવંતરાય ઠાકોર માણસ માત્ર જંતુડું હોવાનું જણાવે છે. જીવન અપર્યાપ્ત છે. કવિનો પોતાનો પત્નીના નિયત નિશ્ચિત મૃત્યુ સામેનો સંઘર્ષ વ્યર્થ છે. કવિ બલવંતરાય સમગ્ર સંસારને જ મૃત્યુમય ગણાવે છે. ને એમાં સ્વજનમૈત્રીને તેઓ અમૃત સમાન ગણે છે. કવિ અંતે સ્મૃતિનોય લોપ ઇચ્છે છે. આવી સજ્જતા જેણે કેળવી હોય તેને મૃત્યુની ભીતિ તો શેની જ હોય ? એ આવો કાલનું આજ આ આજનું અબઘડિયે એ અગ્નિ ઘડેલું ઝાઝ નિતનિત ચિંતવિયે એ હવે અમે છો, સજ્જ સફર માટે બાબુ નહિ રહ્યાં અમારે કન્જ, કશાં ઈહનાં બાબુ” 1 - (“એક જવાબ' ભણકાર પૃ. 139) મૃત્યુનું નિત્ય ચિંતન કરવાનું કવિ કહે છે. મૃત્યુને કવિ આ ભવસમુંદરને તરી જવા માટેના અગ્નિ ભરેલા ઝાઝ તરીકે ઓળખાવે છે. નવી યાત્રા કરવા માટેના અંતિમ બંદરે પહોંચવાના જરૂરી સાધન તરીકે મૃત્યુનો સ્વીકાર કર્યો છે. બ. ક. ઠા. ની સ્વસ્થતાસભર જીવનદષ્ટિને કારણે મૃત્યુ મોટી વિભીષિકા’ તેમને કદી લાગી નથી. કવિ અજ્ઞેયવાદી હોવા છતાં પરમતત્ત્વને મૃત્યુ પછીની સ્થિતિ માટેના પરમાલંબન ગણીને પ્રબળ લાગણીથી તેઓ આગળ વધે છે. “ચડે અગનખોળિયું પછી શું શેષ ?" 86 (157) મૃત્યુ પછી શું ? કયા રૂપે ? ક્યાં કેમ કરીને જીવતું હશે ? તેની લેશ સમજ નથી. સર્વસમર્પણવૃત્તિને લીધેજ કવિ ન્હાનાલાલના અવસાન સમયે એકદમ મુખર બનીને મૃત્યુ રે ઉપાડ પગ ઉપાડી લે મહને” 8 (પૃ. 159) કહી મૃત્યુને સહર્ષ નિમંત્રણ પાઠવી દે છે. “મૃત્યુને સીધું સંબોધન કરતાં કવિ મૃત્યુને પ્રશ્ન કરે છે. “તું જાણતો શું બાળ યુવા વૃદ્ધ ભેદને?” 88 (પૃ. 160) કવિ મૃત્યુને મિત્રભાવે કહે છે કે પોતે હવે સજ્જ છે. કોઈ પણ પળે એ દાપું ચૂકવી આપવા તત્પર છે. મિત્રની સાથે વાર્તાલાપ કરતા હોય તેમ ઢંઢોળીને પૂછે છે. “મૃત્યુ રે ! હશે જ કાન સાન : . ; વિનંતી સાંભળે તું શું કદી ' . . . ---- - તું શું કહ્યું કરે ?" 89 (પૃ. 160) મૃત્યુ કદી કોઈની વિનંતી કાને ધરતું નથી કે કોઈનું કહ્યું માનતું નથી. તો “યમને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust