SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 124 તેઓ આતંત્ય અને શાશ્વતીનો અનુભવ કરે છે. કવિના પોતાના જીવનનો ઉત્તરાર્ધ એક મોટી કરુણાંતિકા સમો રહ્યો છે. ને પ્રત્યેક પળે મંગલ મંદિર ખુલવાની પ્રતીક્ષામાં તેઓએ જીવન વીતાવ્યું. આ કાલાધીન જીવનની પાર રહેલા સનાતન જીવનમાં કવિ શ્રદ્ધા ધરાવે છે. માનવ-અસ્તિત્વને તેઓ નિત્યજીવનની છાયારૂપ માને છે. નરસિંહરાવ દિવેટિયાને મન મૃત્યુ એક રૂપાંતર છે. અધિક અધિક વિકાસની ભૂમિ. મૃત્યુ એ જીવનનું જ અન્ય રૂ૫ છે. મૃત્યુ જીવનને એક જુદો જ અર્થ આપે છે. અનંત જીવનસિંધમાં મૃત્યુ તો પછી બની રહે છે કેવળ બુબુદ્દ, પરપોટો જીવન નહિ. મૃત્યુ પરપોટો બની રહે છે. જીવનસિંધુ તો અવિરામ ધારે વહ્યા કરે છે. અમરપણું પ્રગટતાં જ મૃત્યુ મરી જાય છે. અહીં શરૂમાં અકળામણ છે. મૃત્યુની અનિવાર્યતા કવિ સ્વીકારે છે. પણ જૂના પહેલાં નવું જાય એ શી રીતે બને? વસંતમાં જ કૂણાં પર્ણો ખરી જાય તો પછી ઋત ક્યાં રહ્યું ? જ્ઞાન અને ભક્તિનું અપૂર્વ સંયોજન આ કાવ્યમાં થયું છે. માનવજીવન કાલસિંધુના પટ પર ઘસડાતું બબુતરંગ જ હોય તો પછી એ વિવર્તી વિલીન થતાં શોક કે દુઃખ શા માટે ? એ સત્ય કવિને હવે સમજાય છે. (સ્મરણસંહિતા પાનું. 34) “મૃત્યુ એ જીવનતણું છે અન્ય રૂપ બુધી કહે નિત્યનિત્ય યમાલ, જાય જગના જીવ જો” દ૨ (પૃ. 34) અહીં મૃત્યુને જીવનના જ અન્યરૂપ તરીકે કવિ ઓળખાવે છે. - અર્વાચીન કવિતાના ‘વસંતવિજય'નું બહુમાન મેળવનાર કાન્તની કવિતામાં મૃત્યુને તુચ્છ માનવામાં આવ્યું છે. કવિ સૌંદર્ય, વસંત તેમજ યૌવનને, જીવનને તથા એની પ્રેમપૂર્ણ મૃત્યુ વધુ શ્રેયસ્કર હોવાનું કવિ માને છે. “ચક્રવામિથુન' કાવ્યમાં કવિ ‘વિરહ ને જ મૃત્યુ તરીકે ઓળખાવે છે. વિરહ કરતાં મૃત્યુ ઈષ્ટ “પ્રણયમાં કાલક્ષેપ તે જ મૃત્યુ. એ કરતાં તો મરણનું શરણ ભલું” 8 (આપણાં ખંડકાવ્યો, ટિપ્પણ 210) વિરહમાં જ ઝૂરવાનું હોય તો વિરહદુ:ખનો અને સાથે જીવનનો પણ અંત લાવવા સિવાય બીજો ઉપાય નથી. એ ચક્રવાકનું પ્રિયાને સૂચન. દિવસ જોતાં જોતાં સહયોગમાં જ ગહનમાં, મૃત્યુની ઊંડી ખીણમાં પડી દુઃખી જીવનનો અંત લાવવા ચક્રવાકયુગલ વિચારે છે. (પછી ફૂદડીના ચિહનથી એમ કર્યાનું જીવનનો અંત આણ્યાનું સૂચન છે.) અવર કાંઈ ઉપાય હવે નથી - વિરહજીવન સંહરિયે મથી ગહનમાં પડિયે દિન દેખતાં | નયન મીંચી દઈ કરી એકતા” 84 આમ વિરહ-જીવન બંનેનો અંત આણવા માટે આ પ્રેમીયુગ્મ મૃત્યુના ગહનમાં દિન દેખતાં જ એટલે કે જોડાયેલા રહીને જ વિરહમૃત્યુ અને રાત્રિના પરિણામ ન જોવા માટે આંખ મીંચીને એક્તા કરીને મૃત્યુના ગહનમાં પડે છે. “મેનાવતીનું મૃત્યુમાં જનેતા જતાં ખરો તાજ ગુમાવ્યાનો ગોપીચંદનો અનુભવ વર્ણવાયો છે. છતાં અહીં મૃત્યુનું દુઃખ કે વ્યથા નથી. મા માટેનો અહોભાવ અને ઋણ-સ્વીકાર વ્યક્ત થયા છે. “હૃદયગીતા'માં આત્માની શાશ્વતતા તથા અમરતાનો ઉલ્લેખ થયો છે. દેહી એટલે કે આત્મા અમર હોવાથી સ્વર્ગમાં , P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy