________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 120 ગોવર્ધનયુગ-મૃત્યુ સ્વરૂપ મૃત્યુચિતન, મૃત્યુની વાસ્તવિકતા - તથા મૃત્યુની ભયાનકતા સ્નેહમુદ્રા'ના સર્જકનું ચિંતન જ મૃત્યુજનિત શોકનું શામક છે. “મૃત્યુ એટલે બસ આત્યંતિક વિનાશ જ, કે પછી તેની પાર કંઈ હોતું હશે? મૃત્યુ જે આમ અપ્રતિહત અને અનિવાર્ય, તો જીવનનો અને પુરુષાર્થનો અર્થ શો ? આવા આવા પ્રશ્નો કવિહૃદયને ઘેરી વળે છે. “સ્નેહમુદ્રાનું મૃત્યચિંતન ધ્યાન ખેંચે તેવું છે.”) એમ અનંતરાય રાવળે નોંધ્યું છે." વણ આદિ ને વણ અંત વણ આકાર ને વણ માપ સ્થિર એક ને જગ સંચરે તે માંરી જે તે એક હું” કઇ 85 મા કાંડમાં સમુદ્રગર્જન બટુકડા માનવીને અમૃતત્ત્વના સતના અનંત પ્રવાહની ઝાંખી કરાવી ભવ્ય ગંભીર વાણીમાં ઉદ્યો છે. જગતમાં કંઈ જ નષ્ટ થતું નથી. નાશનો તો માત્ર આભાસ દેખાય છે. હતું તે હજી છે. પ્રતિધ્વનિ'માં મૃત્યુ પછી જીવનો કેવી રીત ઐહિક જગત સાથે સંબંધ રહે છે, તે વિશે પ્રશ્નોત્તર છે.” “સ્વપ્નમાધુર્યમાં પ્રિયારૂપી લહરીનું શરીર પંચમહાભૂતમાં લીન થઈ પંચભૂતના જગતમાં મળી અદશ્ય થઈ ગયાનો નિર્દેશ છે.” * “એવા રૂડા આંબલિયાની ડાળ મૂકીને | કોયલ ક્યાં ગયા રે તમને આવી છે આવી પાંખ આંબલિયો અપંગ છે રે ઊભો ઊભો ફૂલે ને કરમાય” 7 માં અન્યોક્તિના ચમકારા છે. યમતિમિરના પડદા તળે પોતાની પત્ની ઢંકાઈ રહેલી છે. કંઈ નાશ નથી પામી. મૃત્યુનો પડદો ફાડી તેની પાછળના સત્ય પળવાર દેખાડનાર જગવ્યાપી સ્મશાન પ્રબોધરૂપ શોકનાશક પ્રકાશ તે (નાયક) પોતે છે. નાયકની પ્રિયા અનંતતામાં લીન થયેલી છે. તેથી દેખાતી નથી. શરીર જીવન મૃત્યુથ લાગે છે. પણ આત્મા તો મૃત્યુના પડદાની પેલે પાર એવો ને એવો તેજસ્વી છે. “જીવ મરતો, મૃત્યુ જીવતું” & “સ્નેહમુદ્રા (પૃ. 131 સ્નેહમુદ્રા) - ગોવર્ધનરામની મૃત્યુ પામેલી દીકરી લીલાવતી નિમિત્તે કવિએ “લીલાવતી જીવનચરિત્ર' લખ્યું. જેમાં મૃત્યુ પામેલી દીકરી તત્ત્વચર્ચા કરતી હોય એવી કલ્પના કવિએ કરી છે. મૃત્યુ પામેલી દીકરી જાણે “કોણ સ્ત્રી? ને પુરુષ કોણ ? અપત્ય કો, કો તાત ?' એવા સનાતન પ્રશ્નો મૂકતી ગઈ. કવિને સમજાતું નથી શોક શો કરવો ? શકે ત્યવોય શે? શોકપાન કર્યું ત્યાં જ્ઞાનનો ઉદય થયો. મોહતિમિર વિરમી જાય છે. પણ જ્યાં આ તિમિર નષ્ટ થાય છે ત્યાં દીકરીને ઉછેરનાર કવિભગિની પણ ડુલી જાય છે. સૌ મરણશીલ, તેથી કવિ કહે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust