SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 118 પૂર્વસ્મરણ' વિશેષ રસપ્રદ કાવ્યાત્મકતા ધારણ કરે છે. જો કે બંને ખંડકાવ્યો અનુવાદિત છે. ક્યારેક અલંકાર, પદાવલિ અને છંદ ત્રણેય દ્વારા ભાવાત્મક ગતિશીલ ચિત્ર અંકિત થઈ જાય એવું કે - “અને ત્યાં શું દીઠું... દિમૂઢ ખરે હું બની ગયો. બિચારો કોઈ ત્યાં કુમળી કદળીશો ઢળી પડ્યો પડ્યો છે ઘા ઊંડો અરર, વહતી રક્તસરીતા ગળામાંથી બોલે, કરુણવચનો “હા થયું શું આ” “અજાણ્યા આંધળા ઘા-નો રોષના ધરીએ જરા .... રે રે ત્રણે અગ્નિને સોંપિયા મહે” - (“કાવ્યપંદિતા' પૃ. 24) સૌ સુમતિબહેન ભૂપતરાય મહેતા (ઈ. સ. ૧૮૯Q/૧૯૧૧)નો મરણોત્તર કાવ્યસંગ્રહ હૃદયઝરણાં' ૧૯૧૨માં પ્રગટ થાય છે. જેમાં સ્થળે સ્થળે અંગ્રેજી કવિ બ્રાઉનિંગની રચનાઓમાં રૂપાંતરાદિ નજરે પડે છે. સૌ સુમતિએ કાવ્યનો આરંભ ભાષાંતરથી જ કર્યો હતો. “વીરની વિધવા' ટેનિસનના હોમ પે બોટ હર વોરીયર' કાવ્યનું ભાષાંતર છે. “મૃત્યુ દ્વારા જીવન ઇલિઝાબેથ બ્રાઉનિંગના “આઈડોલ્સ ઑફ લાઈફ એન્ડ ડેથ' નામના કાવ્ય ઉપરથી કરેલું છે. “વીરની વિધવા મૃત્યુ પામેલા વીર સૈનિકની સૂનમૂન બની ગયેલી પત્નીનું હૈયું મોકળું કરવાના પ્રયત્નરૂપે એક વૃદ્ધા, સૈનિકની પત્નીના ખોળામાં એના બાળકને સુવાડતાં એ ‘તું જ અર્થે જીવું છું હું કહી હૈયાફાટ રુદન કરે છે. એ પ્રસંગ વણ્યો છે. સ્મશાનભૂમિ કાવ્યમાં માતપિતા તરફની ભાવોર્મિ સંયુક્ત રૂપે પ્રગટ થાય છે. સ્મશાનનું વર્ણન ભયાનક નથી. અન્યના મૃત્યુ સંદર્ભે પોતાના મૃત્યુ પામેલાં સ્વજનો વિશેષ યાદ આવે. અહીં સૌની ધીર, વીર, ઊંચ, નીચ.... બધાની ચિતા બળે છે. રહેલાના હૃદયને ખિન્ન કરે છે. મરણ આટલું દુઃખદ હોઈ શકે એ ખ્યાલ જ ન હતો ને અચાનક “મૃત્યુદેવ છૂપાઈ પૂર્ણ સમયે પેઠો હમારે ગૃહ ખેંચી લીધી ગરીબ મ્હારી ભગિની દુઃખ હૈયું સહે” 2 (‘હૃદયઝરણાં' પૃ. 21). ....જેના આધાતે કવયિત્રીનાં માએ પણ પછી અંતિમ પ્રયાણ કર્યું. માતાના મૃત્યુ અંગે પરિતાપ નથી. અહીં બધા સ્વસ્થ છે. સદ્દગત માતાને પરલોકમાં સુખી રહેવા જણાવે છે. સ્મશાનભૂમિ જોઈ માનું મૃત્યુ યાદ આવી જતાં ઉર લાગણીથી ભરાઈ જાય છે. તેઓ કહે “ના તુટયાંની બુટી છે.” તો નાના બાળકને વિધાતા કેમ ખૂંચવી લે છે એ પણ કવયિત્રી સમજી શકતાં નથી. કવિ ખબરદારનો (1881-1953) પ્રથમ કાવ્યસંગ્રહ “કાવ્યરસિકા' ૧૯૦૧માં પ્રગટ થાય છે. “કવીશ્વર દલપતરામનું શોકજનક મૃત્યુ' લાગણીઓના ઉભરાવાળું સામાન્ય કાવ્ય છે. “પુત્રીવિરહ' કવિએ પોતાની ચૌદમાસની પુત્રીના અવસાન નિમિત્તે લખેલું સામાન્ય કાવ્ય છે. દીકરી મહિનો જન્મ 28/10/1899 ને અવસાન 18/12/1900 એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy