SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 117 પત્ની જતાં વિશેષ સાંભરે છે. આંસુને અભિષેકે સંસારને મસ્તક પર ધારણ કરવામાં સતત ભાગીદાર બનેલી પત્ની તો એમની “જિંદગી’ સમાન હતી. એ શી રીતે ભૂલી શકે ? તો દવસમાં સ્વજનોને આપવી પડતી વિદાયને કવિ “વસમી’ ગણાવે છે. વિદાય સમય કહી પણ શું શકાય? કેવળ અશ્રુભરી શ્રદ્ધાંજલિ. “સત દેવીનો સંવત્સર' રચાયું પત્નીની મૃત્યુતિથિના સંદર્ભમાં. સાથે સાથે અન્ય દિવંગત સ્વજનોને પણ કવિ શ્રદ્ધાંજલિ અર્પે છે. સખિનો માતૃવિરહ' કાવ્યમાં પત્નીનાં માનું અવસાન થતાં દુઃખદ ચિત્તસ્થિતિને કવિ વાચા આપે છે. એ કુમળા વદન પર એ સમયે અકથ્ય અસહ્ય કરુણરસના ભાવો હતા. ભાઈશંકર કુબેરજી શુક્લે “કાવ્યવિલાસ' નામનો કાવ્યસંગ્રહ બહાર પાડ્યો. જેમાં “યમ” અને “નચિકેતાનો સંવાદ' નામનું કાવ્ય કઠોપનિષદના સંવાદના ભાવાનુવાદરૂપ લખ્યું. વત્સરાજ વાસવદત્તા વિનોદ' “નૃપવિલાપ' કાવ્યનું વસ્તુ ભાસના “વાસવદત્તા' નાટક પર આધારિત છે. વાસવદત્તાને સંકેત પ્રમાણે ભોંયરા વાટે બહાર રવાના કરી રાજકીય ઉત્કર્ષના હેતુ માટે, રાણી વાસવદત્તા બળી ગયાના સમાચાર દાસી રાજાને આપવા જાય છે. ત્યારની રાજાની મનઃસ્થિતિનું કવિએ અહીં વર્ણન કર્યું છે. “દેવી કેરો જગતમહીં શું નાશ એ હોય સત્ય?” 2 (‘કાવ્યવિલાસ' પાનું. 91). દેવીને બાળી નાખનાર અગ્નિને એ ક્રૂર પાવક તરીકે ઓળખાવે છે. આક્રોશથી કોઈ મેઘખંડ ખળભળી ઊઠે, ને અવનિતલને અંધકાર છાઈ દે તેમ “મૂછ પામી દડદડ પડ્યો દીર્ઘ નિશ્વાસ નાંખી” " (પૃ. 91) “કાવ્યવિલાસ “નેત્રોમાંથી ખરર કરતી અશ્રુધારા અખંડ ચત્તોપાટ અબુધ પડીઓ હોય શું ચંદ્ર અખંડ.” (“કાવ્યવિલાસ' (1) આ કાવ્યમાં ચોથો ખંડ રાજાના વિલાપનો છે. ઉદયન વધુ વ્યથિત એટલા માટે છે કે પોતાની પ્રિયાનું શબ પણ જોવા ન પામ્યો. એને તો પ્રિય પત્નીની ભસ્મ પણ ન મળી એનો તીવ્ર આઘાત એ અનુભવે છે. વીસમી સદીના આરંભકાળમાં આપણને દીપકબા દેસાઈની કવિતાઓ મળે છે. સ્તવનમંજરી' નામનો સંગ્રહ તેઓ આપે છે. “ધર્મજ્ઞાના અવસાન નિમિત્તે અપાયેલી અંજલિમાં ખીલતી કારમી લતા (લતાને કારમી કહેવાય ?) પલકમાં શૂન્ય ચેતના બની ગયાનો વિષાદ કવયિત્રીએ વ્યક્ત કર્યો છે. અર્ધખીલેલા એ ફૂલડાએ મૃત્યુના પ્રખર તાપને શી રીતે સહન કર્યો હશે? ‘પ્રિયાને'માં ક્રૂર કાળને ઉદ્દેશી દીપકબા કરુણ આક્રોશ વ્યક્ત કરે છે. “અકાળે કુમળી કળી કાં શૂટી”? (‘સ્તવનમંજરી” 80) સદૂગત સ્વજનના ગુણો સંભારી તેઓ ઝૂરે છે. પોતાની આશાઓને છિન્નભિન્ન કરી ચાલી જનાર મધુરમૂર્તિ બહેનને તેઓ યાદ કરે છે, ને કલ્પાંત કરે છે. પોતાને ઘેર જ ફરી જન્મ લેવાનો અનુરોધ તેમની પુનર્જન્મની માન્યતાને પ્રગટ કરે છે. “દીપકબાનાં ખંડકાવ્યોમાં ‘ચિત્રદર્શન અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy