SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 115 , વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના દીકરા “બાબુ'ના મૃત્યુ સંદર્ભે લખાયેલું “બાબુ' લાગણીસભર કાવ્ય છે. બાબુ ગયો છે એમ કોઈ માની શકતું નહિ. બાબુના અવસાન પછી પણ એની પથારી નિયમિત પથરાતી પણ પાછો તરત ખ્યાલ આવતાં સમજાતું કે “હતું તે તો તું રહ્યું સાદી સરળ વાણીમાં “છે” ને “હતું'નો મસમોટો ભેદ કવિ સમજાવે છે. ફૂલ શા કોમળ બાળકને અપાયેલો અંગાર સ્પર્શ પિતા ભૂલી શકતા નથી. ચિતાનો તાપ શમી જાય છે. પણ પેલો આંતરતાપ કેમેય નથી શમતો. કાળજાની વ્યથા કાળજામાં ભંડારી દઈ પિતા કહે ભૂલ્યો.... ન મારે ઉર ખોલવાનું” પરમશાંતિની ઇચ્છા ધરાવતો સ્વસ્થ થવા મથતો માનવ હવે નીરવં એકાંત ઈચ્છે છે. સંભારણાં'માં સ્વજન, મૃત્યુ પામતાં પછી જીવનમાં વ્યાપેલા સૂનકારની વ્યથા વ્યક્ત થઈ છે. આમ તો જગતમાં ક્યાંય કશું બદલાયું નથી.... પણ.... . ચકિત નયને આજે શોધો હવે મૃગતૃપ્લિકા” 2 (ગજેન્દ્ર-મૌક્તિકો પૃ. પર) સતના ભણકારા, ગયેલા માટેની ઝંખના “મૃગતૃષ્ણિકા' છે ને છતાં માનવ એને ઝંખે છે. નાનાં નાનાં બાળ અકાળે મુરઝાઈ જતાં વિધાતાને કરેલી ફરિયાદ “ભગ્નહૃદય (‘ગજેન્દ્રમૌક્તિકો' પૃ. ૬૨)માં વ્યક્ત થઈ છે. પૂરું ખીલતાંય પહેલાં અકાળે કુસુમો કેમ કરમાઈ જાય છે? બાળક મૃત્યુ પામ્યા પછી ક્યાંય સુધી પિતાને એ કાળભૈરવના ખડખડ થતા અટ્ટહાસ્ય સંભળાય છે. કવિ “સાગરે' (જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી) (1883-1936) ઈ. સ. ૧૯૦૯માં (વિ. સં. 1965) સો પાનાનું કાવ્ય “થાકેલું હૃદય' પ્રગટ કર્યું. સાગરની કવિતાને બિરદાવતાં સુંદરમ નોંધે છે “એકાદ મધુર શબ્દને લઈને તે બેવડાવવા, તેવડાવવાની કવિની સુંદર યુક્તિ કેવળ શબ્દનું જ નહિ, પણ અર્થનું પણ સંગીત સાધવામાં ખૂબ કામ આવે છે.” (અ.ક. મું. ર00) “થાકેલું હૃદય કલાપીને અપાયેલી પ્રેમાશ્રપૂર્ણ શ્રદ્ધાંજલિ છે. કલાપીના મૃત્યુની જ નહિ, એમના જીવનની વેદના પણ આ કવિને હલાવી ગઈ હતી. “જન્મ શું? મૃત્યુ શું? લોકો લગારે જાણતા નથી” (“થાકેલું હૃદય' 72). પ્રેમીઓ માત્ર પ્રેમના અભાવને જ “મૃત્યુગણે છે. દીવાનસાગર' પ્રથમ તબક્કામાં 1901 થી 1908 સુધીનાં કાવ્યો ગ્રંથસ્થ થયાં છે. જેમાંનું ‘નિવાપાંજલિ” કાવ્ય પિતાની પુણ્યતિથિએ રચાયેલું અંજલિ-કાવ્ય છે. પિતા વિનાનો પુત્ર નિરાધારીનો અનુભવ કરે છે. અરેરે સાલે છે શબવહન હારું મમ ખભે”e૫ (‘દીવાને સાગર' પહેલો તબક્કો પૃ. 16) એ પ્રસંગ યાદ કરતાં તેઓ અસ્વસ્થ બને છે. દીવાને સાગર’ બીજો તબક્કો 1908 થી 1913 સુધીનાં કાવ્યોનો છે. કલાપીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy