SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 112 સ્વર્ગવાસી ગુર્જર વિદ્વાન હરિલાલ ધ્રુવના અવસાન અંગેનું આ વિરહાકાવ્ય છે. કવિ જટિલ નોંધે છે તે મુજબ “જે ઢ૫ પર અંગ્રેજી કવિ મિલ્ટને લીસીડાસ ગાયો છે જે ઢબ પર એ જ ભાષાના કવિ શેલિએ “એડોને ગાયો છે, તે જ ઢબને વિચારમાં લઈ લેખનો ઘાટ ઊતાર્યો છે.” 48 (‘ચંદ્ર' 161) પહેલા ખંડની જ કેટલીક વિગતો મળી શકી છે. આ ખંડ વસંતતિલકામાં રચાયો છે. કાવ્યત્વ અતિસામાન્ય છે. સાહિત્યલહરીમાં, રસસરોવરે તરતા શીખવનારના મીઠડા જીવનને મૃત્યુએ હર્યું એનો રંજ કવિને છે. , “કાળે હર્યો સુહૃદ એ મુજ સંગમાંથી - ખોવાયું આપણું વિહંગમરત્ન એવું ઔદાર્ય વિશ્વ શું અમી ધરતું ગયું છે” 49 (‘ચંદ્ર' 162) ભૂતકાળના એ મૈત્રીસંબંધોના શુભ કાળનું સ્મરણ સતત રહ્યા કરતું. “ચાલ્યો હુલાસ ઘટ ઘેરી રહી નિરાશા આજે હવે નયનથી જળધાર સારું આજે હવે નિમનું છું હવે ખગમિત્ર ઓ . . એ આદ્ર ઉર ધરતો ખગબંધુ ખોયો છે, આ કાળ અચિન્તી ક્રૂરતા અજમાવી” પ૦ (162). (ઈ. સ. 1897 સંવત 1953) “ચંદ્ર નામના મેગેઝિનમાંથી (વૈશાખ અંક. 7 પુસ્તક. પમાંના ખંડ-૧માંથી મળેલી વિગત) 1 (બોટાદકર) દામોદરદાસ ખુશાલદાસ. (1870-1924) બોટાદકરે મહદ્અંશે ગૃહજીવન અને કૌટુંબિક જીવનના મંગલકરણ ભાવો વિશેષ ગાયા છે. “બાલાવસાન' અને પુત્રવિરહ (શૈવલિની) બે કાવ્યો કરુણરસના સારા નમૂના છે. જેનું મૃત્યુ સમીપ છે એવા બાળકના પ્રિયજનોના હૃદયક્ષોભ અને વ્યથાનું વર્ણન અહીં છે. “પુત્રવિરહમાં પુત્રનું મરણ થતાં માતાની હૃદયદ્રાવક અવસ્થાનું વેધક નિરુપણ કવિએ કર્યું છે. છેલ્લા શ્વાસ લેતા બાળકને બચાવવા આકાશપાતાળ એક કરતી માની કાકલૂદીનું આ કાવ્ય મૃત્યુ પાસે માનવની પામરતાનું દર્શન કરાવે છે. “નમેરા મૃત્યુના ઉરનખર વાગે ઘડઘડી' " (99 બાલાવસાન “શૈવલિની) માની દૃષ્ટિસમક્ષ જ શું મરણ એ બાળને ઉપાડી જશે ? એ પ્રશ્ન મૂંઝવે છે. જનનીનું ભોળું હૈયું ઘડીક તો પ્રાણ આપવા તૈયાર થઈ જાય છે. મૃત્યુને કોઈ પકડી રાખે એવી વિનંતી કરે છે. “ગ્રહી રાખો ને કો ફડફડ થતા આ હૃદયને હઠાડોને યત્ન નફટ બનતા આ નિધનને” પર (બાલાવસાન પૃ. 100 “શૈવલિની') પણ મૃત્યુ કાંઈ વ્યથિત ઉરનાં છંદનો સાંભળવા તૈયાર નથી. સૌ સ્વજનો કાળના એ છેલ્લા કઠિન ફટકાને અસહાય જોઈ રહે છે. ને જાણે કોઈ જ્યોતિ સ્વરૂપ આવીને બાળકને લઈ લે છે. (“ગયો ઊડી અંતે હૃદય કુમળું કાળ ઝડપી) આ કવિ ન્હાનાલાલ દલપતરામ કવિને (1877-1946) પિતાની મહાનુભાવિતાની પિછાન પુત્રને તેમના મૃત્યુ પછી જ થઈ. “પિતૃતર્પણ' એક ઉત્તમ શ્રદ્ધાંજલિ કાવ્ય છે. કોયલની જેમ પિતાનાં સ્મરણો કવિ હૃદયે ટહુકે છે. આ કાવ્યને ધીરુભાઈ ઠાકરે ન્હાનાલાલની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy