SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 111 કલાપી-સ્મરણ સાથે જાગતી વેદનાના સૂર સંભળાય છે. વયમાં સ્થાનો બાળ, વૃદ્ધ બની રહ્યો બાપલા લા છવ્વીશ વર્ષે કાળ કીધો, સાધુ સૂરસિંહ રોતાં રાખ્યા આમ, પરણી ઘરણી બાપને ગુરુ પાછળ પરિયાણ, વિરહ સહ્યો ના સૂરસિંહ” 43 | (“કલાપી અને સંચિત', પૃ. 321) “ગુરૂ પાછળ પરિયાણ' કહી કવિએ મણિલાલના અવસાનથી કલાપીને લાગેલા આઘાતનું વિશેષ ભારપૂર્વક નિરૂપણ કર્યું છે. “બહાવરું બુલબુલ' (1904) “ભીષ્મ પ્રતિજ્ઞા” “કબ પર નજર' (1922) અને દર્દદીલ (1907) આ ચાર ગઝલો કલાપીવિષયક છે. કલાપીના મૃત્યુનો પંજોગમ તેના હરેક હરફમાં વ્યક્ત થયો છે. “અભેદ સ્વરૂપની સમજના જ્ઞાનની સજ્જતા, નિર્વેદની ઉત્કટતા અને ભક્તિદ્રવની તીવ્રતાથી મૃત્યુનો ડર રહેતો નથી અને જીવ સંપૂર્ણ અભયથી શિવનો સાક્ષાત્કાર કરવા અધીર બને છે.” * (“કલાપી અને સંચિત ' 350) “આખી જિંદગી જ્યાં વેરવિખેર હોય ત્યાં ખંડિયેર થયેલી કબરને ફરી ચણવાથી શું? આ સમાધિ પથ્થરોનો ઢગલો નથી, જીવનની પ્રેમસભર કરુણતાના રક્તનો સ્રોત છે. આશકોનું પ્રેમતીર્થ છે.” 42 (‘કલાપી અને સંચિત રમેશ શુક્લ, 169) જીવણરામ લક્ષ્મીરામ દવેએ (જટીલે) રચેલી કાવ્યરચનાઓ “જટિલપ્રાણપ્રબંધ' (૧૮૯૪)માં ગ્રંથસ્થ થઈ છે. બારન મેન્ટેન્ડ પરથી રૂપાંતરિત “મૃતપ્રિયાનો પ્રિયતમ' કાવ્યમાં પ્રિયતમાના મૃત્યુ પછી ઉદ્વિગ્ન બનેલા પ્રિયતમની મનોદશાનો ચિતાર અપાયો છે. પ્રિયતમાના અવસાન પછી પ્રિયતમનું જીવન અર્થશૂન્ય બને છે. ચિંતા અને દુઃખને કારણે ઊંઘ હરામ થઈ જાય છે. અદૂભુત ઝરણાંઓમાં સ્નાન કરવા છતાં શાંતિ મળતી નથી. જીવવાનું નિરર્થક લાગે છે. સદૂગત બાળકનાં સ્મરણો “પાછું નહિ મળે'માં આલેખાયાં છે. (“કાવ્યાંગના” સંગ્રહ) થોડા સમય માટે પોતાના મૃત બાળકને વિસરી ગયેલી, અન્ય જનનીનું કૂણું કુસુમ મૃત્યુની ભીંસમાં રગદોળાતું જોતાં ભૂતકાળમાં દટાયેલી એ કરુણ ઘટના યાદ આવી જાય છે. કાળજા ઉપર રાખેલો પથ્થર અન્ય જનનીની વેદના જોતાં ખસી જાય છે ને પેલો ઘા ફરી દૂઝવા લાગે છે. “મીઠી ટશર' નામના કાવ્યમાં (“સંસ્પર્શ' સંગ્રહ) કોઈ વહાલાએ આદરેલી દૂરની સફરનો શોકપૂર્ણ નિર્દેશ કરતાં કવિ કહે છે. ગાઢ છાયા શોકની ઘેરાઈ છે પાંપણ ઉપર કોઈ વ્હાલું દૂરની છે આચરી બેઠું સફર” 40 (‘સંસ્પર્શ પાનું. 44) કહેવાય નહિ, સહેવાય નહીં એવી વ્યથા કવિ અનુભવે છે. અશ્રુઓ પણ પૂછ્યા વિના જ આંખ છોડી ચાલ્યાં ગયાં છે. કવિ પુષ્પોને જ્યાં પાનખર ન પહોંચે એવા સ્થળે ખીલવા સૂચવે છે. સુહૃદુમિત્રનો વિરહ અને તસંબંધિની કથા “કવિ જટિલની અગ્રંથસ્થ કૃતિ છે. હરિલાલ ધ્રુવના અવસાન નિમિત્તે લખાયેલી આ કૃતિને સુદરમે ' સૌથી મહત્ત્વાકાંક્ષી કૃતિ તરીકે ઓળખાવી છે.” આપણા વિરહકાવ્યોમાં એને “પ્રૌઢ કોટિનું કાવ્ય ગણાવે છે.” (“અર્વાચીન કવિતા” સુંદરમ્, પૃ. 375), . . P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy