SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 110 છે. એમની વાત કોઈ સાંભળતું નથી. “મૃતપુત્રી લાલાંની છબી દષ્ટિથી ખેસવતાંમાં મૃત પુત્રીની છબી આકારિત થાય છે ને આંખમાં આંસુ આવે છે. પણ તરત વિચાર આવે છે, ભૂલાયેલા દુઃખને ફરી ભૂલી જવાનો. મૃત્યુ પાછળ દુઃખ શાને ? “મૃતપુત્રી' લલાંની છબી દૃષ્ટિથી દૂર કરી' કાવ્યમાં પોતાની પ્રિય પુત્રીની છબીની અંદર રહેલી લાલા આંસુડાં ખેરતી દેખાય છે. પછી બંનેનાં નેત્રો મળતાં તેનો શોક જાણે કે ભૂંસાય છે. “વીણાનો મૃગ'માં મૃગના હૃદયમાં તીર ભોંકાતાં, ને પછી એનું મૃત્યુ થતાં વ્યથિત કન્યાનું હૃદયસ્પર્શી ચિત્ર કવિએ આપ્યું છે. તે દ્વારા સંસારની અસારતાનો નિર્દેશ થયો છે. પ્રિય સ્વજન જતાં હૃદય ચિરાઈ જતાં મૃગને મળેલું મરણનું પ્યાલું પોતેય ઇચ્છે છે. કલાપીના સાથી તરીકે જાણીતા સંચિત રૂપશંકર ઉદયશંકર ઓઝાના (18661932) “શ્રી સંચિતનાં કાવ્યો' (૧૯૩૮)માં પણ મૃત્યુસંદર્ભો મળે છે. ૧૯૩૮માં સંચિતનાં સંતાનોએ સંચિતના અવસાન પછી “શ્રી સંચિતનાં કાવ્યોનું સંપાદન કર્યું.” (“કલાપી અને સંચિત’ રમેશ શુક્લ, પાનું. 60) “સુમનહંસ' રૂપકાત્મક કાવ્ય છે. વાજસુરવાળાના સંતાનના અવસાન નિમિત્તે લખાયેલા આ કાવ્યમાં પુષ્પ જેવા મુલાયમ બાળકનો આત્મહંસ ઊડી જતાં ચોમેર છવાયેલી શૂન્યતાનો કવિ ચિતાર આપે છે. કરુણપ્રશસ્તિ પ્રકારના આ કાવ્યમાં ગમે તેવી વિષમ અને કરુણ પરિસ્થિતિમાં પણ મનની સ્વસ્થતા ન ગુમાવતા એવા વાજ-સુરવાળાની આંતરવ્યથાને વાચા આપવામાં આવી છે. કલાપી વિનાનો સંસાર કવિને સાર વિનાનો લાગે છે. “કલાપીને' કાવ્યમાં ભૂતકાળમાં સાથે કાશ્મીર ગયેલા એ સ્મરણોને વાચા આપી છે. તો “કલાપી' કાવ્યમાં પ્રકૃતિદર્શન નિમિત્તે કલાપીની જ યાદ વ્યક્ત થઈ છે. “ડાયરી-ખમાં “પ્રેમાશ્રયુક્ત અંજલિ' નામથી એક કરુણપ્રશસ્તિ કાવ્ય ઉતારાયું છે. જે તેમના જયેષ્ઠ પુત્ર મનહરલાલના જન્મ (૧૪૮૧૮૯૩)ના થોડા દિવસ પહેલાં મૃત્યુ પામેલા પુત્ર પ્રતાપ વિશેનું છે. જેમાં “જગતમાં ફરતા અસ્તોદયના ચક્રમાં મૃત્યુતારે આવીને હૃદય વીંધાયાના અનુભવની વાત છે.' સંચિતનાં ૧૮૯૪નાં ચાર કાવ્યો “કુસુમકંદન” “સુમનહંસ “લૌકિક “સ્વાન્તન્તસ્મૃતિ' વાજસુરવાળાના સંતાનના અવસાન નિમિત્તે લખાયાં છે. “લૌકિક' કાવ્યમાં પણ “તનું મરતા પિતા પહેલાં” અથવા “ચડે નીર નેવના મોભે' એવી વિધિની વક્રતાને કવિ આક્રોશ છે. રમેશ શુક્લ નોંધે છે “સ્નેહીજનોના અવસાનના આઘાતે હૃદયને કરુણ-ઘેરું બનાવી કેવળ અશ્રુકવિ બની રહેવાનો અભિગમ સંચિત નો નથી.” " (“કલાપી અને સંચિત્' પૃ. 287) “જુદાઈ” અને “અવધૂત” કલાપીના નિધન પછી રચાયેલી ગઝલો છે. દસ વર્ષ સાથે રહ્યા, ને દસ માસમાં જ મિત્ર સાથેના સ્નેહનો વિજોગ થયો. કલાપીના મૃત્યુનું રહસ્ય વણઉકલ્યું રહી ગયું. સ્વજનના મૃત્યુએ આંસુ સારતાં કવિ કહે છે. * “સ્પર્યા નહીં, લૂછયાં ન લાગે ન હોય શીતળ જે સર્યા એ આંસુડાં મુગાં ગરીબડાં મુજ વ્હાલા ક્યાં વહે?” 42 (પૃ. 314) કલાપીની સંવત્સરી” અને “કલાપીને' કલાપીના મૃત્યુ પછીના લગભગ એક દશકાને ગાળે રચાયેલાં સ્મરણાંજલિ કાવ્યો છે. પહેલું દુહામાં રચાયેલું મરસિયા પ્રકારનું છે. જેમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy