SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 100 આપી શકવાની નથી. તેથી કવિ તીવ્ર વેદના સાથે અંતે સમગ્ર વિશ્વને “બહેરા મૂંગાનું વિશ્વ' કહી કરુણ આક્રોશ વ્યક્ત કરે છે. કવિ ત્રિભુવન પ્રેમશંકર (1865-1923) ૧૯૦૨માં “કલાપીનો વિરહ' કલાપીના અવસાનથી પ્રેરાઈને લખ્યું. કરણ અને શાંતિની મિલાવટવાળું દીર્ઘકરુણપ્રશસ્તિકાવ્ય આ છે. જેનું સ્થાન ગુણદષ્ટિએ “ફાર્બસવિરહ' તથા “સ્મરણસંહિતા'ની મધ્યમાં છે. સુંદરમે આ કવિની પ્રતિભાને હીરા જેવી પહેલદાર ગણાવી છે. કવિ ન્હાનાલાલ લખે છે. “સુરસિહ જાતાં સૂનકાર વ્યાપ્યો છે અને એ સૂનકાર અનુભવતાં વિરાગની ઊર્મિ ઊઠે છે. ને એમ કાવ્યની શરૂઆત થાય છે.” 3 (ઉપોદ્ધાત, “કલાપીનો વિરહ' પાનું. 6) બીજા ભાગમાં કવિ અશ્રુનાં પૂર છૂટાં મૂકે છે. કવિને પૂર્વસ્મરણો ખડાં થઈ સંતાપે છે. પંખીઓની કુદરતકલિ ગમતી નથી. એક દિનના રાજહંસનું સ્મરણ સ્મરતાં બીજો ભાગ સમાપ્ત થાય છે. “વિરહ' નામના બીજા ભાગમાં કવિએ કલાપી જતાં અનુભવેલી વેદનાને વાચા આપી છે. કલાપી જતાં કવિનો સુહૃદસ્નેહભાવ ફૂટી ગયો છે. હું કુમુદ ચંદ્ર તું વિયોગ નિત્યનો થયો અખંડવિરહ અગ્નિ, કુમુદ બળી જતું નથી” 39 * - (‘કલાપીવિરહ' પાનું. 33) કવિ વિધાતા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે. ગયાં પંખી રૂડાં ઊડી, થયું છે આ ચમન ખાલી વડા વેરાનમાં વસીને, હવે તો જીવવું મારે - ખજાના ફૂલડાંઓના થયા છે ખાખના ઢગ - હવે એ ખાખની સેજ, સૂવાનું છે લખ્યું” 38 વાર રે (‘કલાપીનો વિરહ' પાનું. 43) કલાપીના અવસાને કવિનું મન એટલું બધું બેચેન બન્યું છે કે તેઓ પંખીઓનેય એમનો કિલકિલાટ બંધ કરી શાંતિ આપવાની કપા કરવા કહે છે. પણ દગ્ધ દિલને કેમેય શાંતિ મળતી નથી. સાચો સારસ સ્નેહ એક મરતાં બીજું મરે કમબખ્ત આ દેહ, ફૂટ્યો ન મળનો માળો” 39 (“કલાપીનો વિરહ' પાનું. 43) કલાપી જતાં પોતે હજુ જીવતા કેમ છે, એ જ સમજાતું નથી. સિદ્ધ સુકાની જતાં આ કવિની બેડલી જાણે બૂડી ગઈ. કે ૧૮૭૪માં જન્મેલા કવિ કલાપી ૧૦૬૧૯૦૦ના રોજ એક જ રાતની ટૂંકી જીવલેણ માંદગી ભોગવી છવ્વીસ વર્ષની કાચી ઉંમરે અકાળ અવસાન પામ્યા. ચિત્રાત્મક્તા તેમજ ભાવોની સ્નિગ્ધ મધુરતા કવિની સમર્થ કળાશક્તિના નોંધપાત્ર અંશો હોવાનું સુંદરમ જણાવે છે. “મૃત્યુ' કાવ્યમાં પ્રેમ અને વાત્સલ્યનો મહિમા કવિએ સમજાવ્યો છે. પ્રણયના ગીત સમા ભોળા પારેવડા જેવા બાળકનો દેહવિલય થતાં બેબાકળા બનેલા પિતા “મૃત્યુ તત્ત્વને સમજી શકતા નથી. આ કોમળ ફૂલને લાકડાના ઢગ પર સુવાડે છે ત્યારે પિતૃહૃદય કકળી ઊઠે છે. “આ લાલું કઠિન અગ્નિ વતી ન બાળો' (પાનુ. 89) એમ પોકારી ઊઠે .P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy